જન કલ્યાણકારી યોજનાઓના લાભોથી કોઈ વંચિત ન રહે તે હેતુથી સરકારની 17 જુદી જુદી યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરતો “વિકાસ ભારત સંકલ્પ યાત્રા” રથ જિલ્લાભરમાં ફરી રહ્યો છે. જે આજે પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના વરસીલા ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિકાસ ભારત સંકલ્પ યાત્રા દરમિયાન સરકારની વિવિધ શાખાઓની કલ્યાણકારી યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી. જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના ઉપરાંત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ હેઠળ, ઉજ્જવલા યોજનાના 09 લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 12 લાભાર્થીઓએ બેંક ઓફ ઈન્ડિયાની વીમા યોજનાઓનો લાભ લીધો હતો. લાભાર્થીઓએ સ્થળ પર જ આયુષ્માન કાર્ડનો પણ લાભ લીધો હતો. આ પ્રસંગે સંસ્થાના અધિકારીઓ નંદજી ઠાકોર, જિલ્લા સરકારી વકીલ, ગામના આગેવાનો, શાળાનો સ્ટાફ અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.