સિદ્ધપુર શહેરના તાવડિયા રોડ પર સ્થિત એક આઇસ ફેક્ટરીના માલિક દ્વારા હર ઘર તિરંગા હેઠળ 30 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોળો ત્રિરંગો 3 હજાર કિલો બરફમાંથી બનાવવામાં આવ્યો હતો. અમૃત મોહોત્સવનો કાર્યક્રમ સમગ્ર ભારતમાં અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ લોકો દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે અને દરેક ઘરમાં ત્રિરંગાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં તાવડિયા રોડ પર શ્રી રામ રેફ્રિજરેટર અને માર્બલ આઈસ બનાવતી કંપનીની સામે તમન્ના સોસાયટી હતી. આજે તેના માલિકે 3000 કિલો બરફનો ઉપયોગ કરીને 30 ફૂટ ઊંચો અને 24 ફૂટ પહોળો ભારતનો ગૌરવ અને પ્રતિષ્ઠિત ત્રિરંગો બનાવ્યો છે. જેમાં ચેતનજી ઠાકોર, જીતેન્દ્રજી ઠાકોર અને ડો.પ્રકાશભાઈ પ્રજાપતિએ અદભુત અને કલ્પી ન શકાય તેવું વાતાવરણ ઉભુ કરવા મહેનત કરી અને પરિણામે આજે સિદ્ધપુરનું ગૌરવ વધાર્યું છે.