સિદ્ધપુરમાં સોમવારે તિરુપતિ માર્કેટ બિલ્ડિંગના ત્રીજા માળેથી 30 વર્ષીય વ્યક્તિએ અગમ્ય કારણોસર કૂદીને આત્મહત્યા કરી હતી. સિદ્ધપુર તિરૂપતિ માર્કેટમાં નવા બસ ડેપો પાસે રહેતા વિનુભાઈ બાબુભાઈ ઠાકોર 30 વર્ષીય યુવક હતા. સોમવારે બપોરે તિરુપતિ માર્કેટ બિલ્ડીંગના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી.કૂદતી વખતે માથામાં ગંભીર ઈજાને કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આપઘાત બાદ સમગ્ર બજારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. યુવકે આપઘાત કરતા સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને સિદ્ધપુર પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.