હવે સુદીપ્તો સેને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા કહ્યું, “એ વાત સાચી છે કે અદા શર્મા અને મારો શનિવારે રાત્રે એક નાનકડો અકસ્માત થયો હતો. જ્યારે અમે ગેઈટી-ગેલેક્સી થિયેટરથી પાછા આવી રહ્યા હતા.” જોકે, સુદીપ્તોને લાગે છે કે નાની દુર્ઘટના તેની નવી-નવી સફળતાને કારણે સમાચાર બની હતી. તેણે કહ્યું, “કેરળ સ્ટોરી સાથે જોડાયેલી દરેક વસ્તુ અને દરેક જણ હવે સમાચાર છે. અકસ્માત નજીવો હતો, ગંભીર કંઈ નથી.