સુરત શહેરનો હીરા ઉદ્યોગ ઘણા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. આર્થિક સંકડામણના કારણે એક જ પરિવારના ચાર લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે માતા-પુત્રીના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. થોડા કલાકો પછી પુત્ર પણ મૃત્યુ પામ્યો.