અમદાવાદઃ અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીના ગળાના ભાગે છરી મારી ગંભીર ઈજાઓ પહોંચાડી સનસનાટી મચાવી દીધી હતી. ઇજાગ્રસ્ત પરિણીતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અમદાવાદમાં બનેલી આ ઘટનાએ મને સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસની યાદ અપાવી.
આ ઘટનાઓની મળતી માહિતી મુજબ પ્રેમમાં પાગલ એક યુવક અમદાવાદ શહેરના સરદારનગરમાં રહેતી પરિણીતા સાથે લગ્ન કરવા પરિવાર સાથે પરિણીતાના ઘરે પહોંચ્યો હતો અને લગ્નની વાત કરી હતી. જોકે, પરિણીતાના છૂટાછેડા ન હોવાથી તેણે લગ્નની ના પાડી દીધી હતી. જેથી પ્રેમી નવીન ઉર્ફે રાજુ કોસ્તીએ પરિણીતાના ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત પરિણીતાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ ઘટનાની મળતી માહિતી મુજબ સરદારનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ રાજસ્થાનમાં તેના જ સમાજના યુવક સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર હતો. જોકે, બાદમાં પતિ સાથે અણબનાવ થતાં તે રાજસ્થાનથી તેના વતન અમદાવાદ રહેવા આવી હતી અને છેલ્લા કેટલાક સમયથી પરિણીતા તેના પુત્ર સાથે રહેતી હતી.
પરિણીતાએ તેના બાળકને અભ્યાસ માટે શાળામાં રાખ્યો હતો, તેને શાળાએ મુકવા માટે રિક્ષા લઈને તે નવીન ઉર્ફે રાજુ કોષ્ટી નામના રિક્ષાચાલક સાથે મળી હતી અને તેનો સંપર્ક થયો હતો. બંને ફોન પર વાત કરતા હોવાથી રિક્ષાચાલકને નવીન પરિણીતા સાથે પ્રેમ થઈ ગયો હતો. આથી યુવક પ્રેમીએ લગ્ન કરવાની જીદ પકડી હતી. જોકે, પરિણીતાના છૂટાછેડા ન હોવાથી તેણે લગ્નની ના પાડી દીધી હતી. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે બંને વચ્ચે એક વર્ષ પહેલા મિત્રતાનો કરાર થયો હતો. પોલીસે ગુનો નોંધી યુવક પ્રેમીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.