સુરતની ટીપી 49,50 અને 51ની જૂની સોસાયટીને ખાલી કરાવવાની નોટિસ આપવાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 50 જેટલા સમાજના પ્રમુખો કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાને મળ્યા હતા.
સુરતની ટીપી 49,50 અને 51ની જૂની સોસાયટીને ખાલી કરાવવાની નોટિસ આપવાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 50 જેટલા સમાજના પ્રમુખો કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાને મળ્યા હતા. મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ વિનુ મોરડિયાને જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાએ સોસાયટીમાંથી કબજો ખાલી કરવા માટે માત્ર 5 દિવસનો સમય આપ્યો છે. ત્યારબાદ રજૂઆત બાદ ધારાસભ્ય વિનુ મોરડીયાએ લોકોને પ્રોત્સાહિત કર્યા હતા.
સુરતના વરાછા વિસ્તારની 6 સોસાયટીના રહીશો વિરોધમાં ઉતર્યા છે. વરાછાના રહેણાંક વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ વિસ્તાર બનાવવાની યોજનાનો વિરોધ થઈ રહ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ઔદ્યોગિક વિસ્તાર રહેવાસીઓ માટે ઘણી સમસ્યાઓ ઊભી કરશે. ટ્રાફિક, પ્રદુષણ, અસામાજિક તત્વો દ્વારા ત્રાસ વધશે. એવો પણ આરોપ છે કે આનાથી બાળકોને પણ તકલીફ થશે. તેમજ સુરતમાં પણ તક્ષશિલા જેવી ઘટના બને તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આથી સોસાયટીના રહીશોએ પાલિકા, કલેક્ટર અને સરકારને આવેદન પાઠવ્યું છે. આ બાબતે યોગ્ય નિકાલ લાવવા માંગ કરી છે. જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.
વરાછાના રહેણાંક વિસ્તારમાં મહાનગરપાલિકાએ સ્થાનિક લોકોને માત્ર 5 દિવસનો સમય આપ્યો છે. સોસાયટી ખાલી કરવા નોટિસ પાઠવવામાં આવી છે.આ સમગ્ર મામલે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે. અને ધારાસભ્ય સમક્ષ રજૂઆત પણ કરી હતી. જોકે, કલેક્ટર અને ધારાસભ્યએ યોગ્ય નિકાલની માંગ કરી છે અને હિંસક આંદોલનની ચેતવણી પણ આપી છે.