મા જગતજનનું અંબાનુ ધામ શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે. ત્યારે માઇ અંબાજીના હજારો-લાખો ભક્તો મા અંબાના ધામમાં આવી રહ્યા છે. દૂર-દૂરથી મોટી સંખ્યામાં ભક્તો માતા અંબાના આશીર્વાદ મેળવવા ઉમટી પડે છે. અંબાજીમાં ગંદકી અને વહેતી નાળાઓના કારણે વેપારીઓ અને સ્થાનિક લોકો તેમજ યાત્રાળુઓ ભારે પરેશાન છે.
અંબાજીની મુખ્ય બજારમાં દરરોજ નીકળતી ગટર અને ગંદકીના કારણે દુકાનદારો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અંબાજીના 51 શક્તિપીઠ સર્કલથી મંદિરના ગેટ નંબર 7 સુધીના બજાર રોડ પર વધતી ગટર અને ગંદકીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યાત્રિકોને મંદિરમાં પ્રવેશવા માટે ગંદા પાણીમાંથી પસાર થવાની પણ ફરજ પડે છે. સ્થાનિક લોકો અને વેપારીઓ દ્વારા વારંવારની અરજીઓ છતાં અંબાજી ગ્રામ પંચાયત દ્વારા આ ગંદા પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે દરરોજ આ સમસ્યા સર્જાઈ રહી છે. અંબાજીની મુખ્ય બજારમાં દરરોજ સવારે મોટા પ્રમાણમાં ગટરનું ગંદુ વહેતું હોવાથી અંબાજીની છબી ખરડાઈ રહી છે. આને સુધારવા માટે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.