(GNS) તા. 27
રાજ્યના મહત્વના 8 યાત્રાધામો સહિત 52 યાત્રાધામોમાં સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું
• તે જ દિવસે એકત્રિત કચરો સીધો ડમ્પિંગ
• દરેક જિલ્લામાં નોડલ અધિકારીની નિમણૂક
ગુજરાતમાં પ્રવાસન સ્થળોએ ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 31મી ઓક્ટોબરના રોજ 5 દિવસના આ સ્વચ્છતા અભિયાન દરમિયાન રાજ્યના મહત્વના 8 યાત્રાધામો સહિત કુલ 53 યાત્રાધામો પર સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2જી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિથી સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પણ સઘન સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અભિયાન અંતર્ગત હવે રાજ્યના પ્રવાસન સ્થળોએ પણ સઘન સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.