(જી.એન.એસ),તા.૧૫
ગાંધીનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની અંદર તૂટેલા બિનઉપયોગી બાંકડા દૂર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત એસ્ટેટ શાખાની ટીમ દ્વારા બે દિવસ શહેરના સેક્ટર વિસ્તારના મુખ્યમાર્ગ તથા રિંગરોડ પર તૂટેલા બિનઉપયોગી બાંકડા દૂર કરવાની ડ્રાઈવ ચલાવવામાં આવી હતી.આ સંદર્ભે સેક્ટર ૧ થી ૧૫ માંથી ૭૩ બાંકડા અને સેક્ટર ૧૬ થી ૩૦ માંથી ૮૧ બાંકડા એમ કુલ ૧૫૪ બિનઉપયોગી તૂટેલા બાંકળા દૂર કરવામાં આવ્યા હોવાનું મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે.