હરિયાણાના નુહમાં વિશ્વ હિન્દુ પરિષદની વ્રજ મંડળ યાત્રા દરમિયાન થયેલી હિંસામાં હિંદુઓના મોતના વિરોધમાં આજે વિસનગરના બજરંગ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.વિસનગરના બજરંગ ચોક ત્રણ દરવાજા ટાવર ખાતે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હરિયાણાના નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદની વ્રજ મંડળની પદયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં રેલીમાં સામેલ લોકો અને સ્થાનિક મુસ્લિમ લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન ફાયરિંગ પણ થયું હતું. જેમાં હિંદુ સમાજના લોકો ફાયરીંગમાં માર્યા ગયા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ ઉપસ્થિત રહી રામધૂન કરી હતી.