દેશમાં 2000 રૂપિયાની નોટનું ચલણ બંધ થઈ ગયું છે. હવે આ નોટને લઈને ભારતીય રિઝર્વ બેંક દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
આરબીઆઈએ આ નોટને લઈને એક નવું અપડેટ આપ્યું છે કે બેંકોમાં વાર્ષિક હિસાબ સંબંધિત કામને કારણે તમને નવા મહિનાના પહેલા દિવસે 2000 રૂપિયાની નોટ બદલવાની કે જમા કરાવવાની સુવિધા નહીં મળે. એટલે કે આ સુવિધા 1 એપ્રિલ, 2024થી ઉપલબ્ધ રહેશે નહીં.
આરબીઆઈને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે આ સુવિધા 1 એપ્રિલ, 2024 ના રોજ ઉપલબ્ધ થશે નહીં, પરંતુ મંગળવારે મધ્યસ્થ બેંકની 19 પ્રાદેશિક કચેરીઓમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે.
નોંધનીય છે કે 19 મે, 2023 ના રોજ, ભારતીય રિઝર્વ બેંકે 2,000 રૂપિયાની બેંક નોટોને ચલણમાંથી હટાવવાની જાહેરાત કરી હતી. બેંકે રૂ. 2,000ની નોટો બેંકોમાં જમા કરવા અથવા અન્ય મૂલ્યોની નોટો સાથે બદલી આપવા જણાવ્યું હતું. 19 ઓફિસોમાં આ પ્રકારની સુવિધા આપવામાં આવી છે.