જામનગર શહેરમાંથી હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શહેરના આંબેડકર બ્રિજ નીચે સૂતેલા એક વ્યક્તિને કાર ચાલકે ટક્કર મારતાં 200 મીટર દૂર પડી ગયો હતો. આ અકસ્માતમાં આ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ જામનગરના આંબેડકર બ્રિજ નીચે ગત રાત્રે કનુભાઈ માધવજી રાઠોડ સુતા હતા. દરમિયાન મોડી રાત્રે એક કારચાલકે બ્રિજ નીચે સૂઈ રહેલા કનુભાઈને ટક્કર મારીને 200 મીટર સુધી નીચે ધકેલી દીધા હતા. આ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે, અકસ્માત સર્જીને ચાલક નાસી ગયો હતો.
આ અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યાંથી પસાર થતા લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી અને કનુભાઈને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પોલીસને આ માહિતી આપતાં પોલીસ પણ જીજી હોસ્પિટલ પહોંચી ગઈ હતી. હાલ પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.