રામપુર; સપા નેતા અને પૂર્વ મંત્રી આઝમ ખાનને રામપુરની સેશન કોર્ટમાંથી મોટી રાહત મળી છે. દ્વેષપૂર્ણ ભાષણના કેસમાં જેમાં તેમને 3 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને વિધાનસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી. આ જ કેસમાં રામપુર કોર્ટે આઝમ ખાનને નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટના આ નિર્ણયથી આઝમ ખાનને મોટી રાહત મળી છે. આઝમ ખાનને નફરત ફેલાવવાના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
કોર્ટના આ નિર્ણયથી આઝમ ખાનના સમર્થકોમાં ખુશીનો માહોલ છે.