(GNS) તા. 25
અમદાવાદ,
મેળામાં આયોજિત રોજગાર મેળામાં 14 દિવ્યાંગોને નોકરીના ઓફર લેટર મળ્યા હતા.
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ દ્વારા આયોજિત 15મા દિવ્ય કલા મેળાનો ભવ્ય સમાપન સમારોહ સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે યોજાયો હતો.
15માં દિવ્ય કલા મેળામાં 2 કરોડનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું હતું. આ મેળામાં આયોજિત રોજગાર મેળામાં 14 દિવ્યાંગોને નોકરીના ઓફર લેટર આપવામાં આવ્યા હતા. એટલું જ નહીં આ મેળામાં સૌથી વધુ ખરીદી કરનાર વ્યક્તિને બેસ્ટ બાયરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત વિકલાંગ કલાકારોને તેમની કલાત્મક કૌશલ્ય માટે પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ 15મા દિવ્ય કલા મેળામાં 20 રાજ્યોમાંથી 100 જેટલા વિકલાંગ કારીગરો અને સાહસિકોએ ભાગ લીધો હતો.