સરકારે ધોરણ-1માં 6 વર્ષ પૂરાં કરી ચૂકેલા બાળકને જ પ્રવેશ આપવાનો નિયમ બનાવ્યો છે. જેને 53 જેટલા વાલીઓએ હાઈકોર્ટમાં પડકાર્યા છે. જસ્ટિસ સંગીતા શિશરે સરકારને આદેશ આપ્યો હતો કે જે બાળકોને 6 વર્ષ પૂરા થવાથી એક દિવસ દૂર હોય તેમને એડમિશન ન આપવાનો.
આ અંગે બાળકના પિતાએ હાઈકોર્ટમાં કરેલી અરજીને કોર્ટે સ્વીકારી લીધી છે. અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે બાળકના 6 વર્ષ પૂરા થવામાં માત્ર એક દિવસ બાકી છે. જો ધોરણ 1 માં પ્રવેશ માત્ર એક દિવસ માટે નકારવામાં આવે તો બાળકનું આખું વર્ષ બરબાદ થઈ જાય છે.
અરજદાર પિતા દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારના નિયમો-2012ના નિયમ-3ના પેટા-નિયમ (1)ને પણ પડકારવામાં આવ્યો હતો. આવી જ સમસ્યા દેશના અન્ય રાજ્યોમાં પણ જોવા મળી છે. જેમાં કેટલાક રાજ્યોની હાઈકોર્ટે કટ ઓફ ડેટ જૂનને બદલે ડિસેમ્બર કરવાનું સૂચન કર્યું છે.
અરજદારના પિતાએ આ મુદ્દે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી પરંતુ તેણે ના પાડી હતી. જો કોઈ બાળકને માત્ર એક દિવસ માટે પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવે તો તેને ન્યાય ગણવામાં આવતો નથી. તેથી હાઈકોર્ટે બાળકને એડમિશન આપવાનો આદેશ આપવો જોઈએ.