થરાદ નેશનલ હાઈવે પર કચરાના ઢગલા છે. હાઇવે પર પાર્ક કરેલી લારીઓના કારણે આ કચરો પડયો છે કે કેમ તે પણ ચર્ચાસ્પદ છે. પર્યાવરણ માટે હાનિકારક આ કચરાનો યોગ્ય નિકાલ થવો જોઈએ તેવી પર્યાવરણવાદીઓની લાગણી છે. થરાદ રેફરલ હોસ્પિટલથી હાઇવે 4 સુધીના રોડ પર ઉભેલી લારીઓ અને નાસ્તા વિક્રેતાઓ ખુલ્લેઆમ કચરો નાખીને રોડ પર પ્લાસ્ટિક ફેંકી રહ્યા છે. પ્લાસ્ટિકના આ ઢગલા રસ્તા પર ફેંકવામાં આવે છે ત્યારે ગાય, બળદ જેવા અનેક પ્રાણીઓ પ્લાસ્ટિક ખાઈ જાય છે. જેના કારણે ગાય અને બળદના મોતના બનાવો પણ બનતા રહે છે. આથી સતવાર આ રોડ પરના કચરા અને પ્લાસ્ટિકના ઢગલા હટાવીને કાર્યવાહી કરશે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે. થરાદમાં ખાનગી હોસ્પિટલની સામે પાર્ક કરેલી લારીઓ ખુલ્લેઆમ કચરો અને પ્લાસ્ટિક રોડ પર ફેંકી રહી છે. જેના કારણે ગંભીર રોગચાળો ફાટી નીકળવાની શક્યતા પણ ઉભી થઈ છે.