દ્વારકા: દ્વારકામાં 24મી ડિસેમ્બરને રવિવારે સવારે 5 કલાકે બ્રહ્મમુહૂર્તમાં નંદગામ સંકુલમાં 37,000 આહીરાણીઓએ મહારાસ પૂર્ણ કર્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણની પુત્રવધૂ અને બાણાસુરની પુત્રી ઉષા રાસ વિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ દ્વારકામાં રમતી હતી. જેમની સ્મૃતિમાં 23 અને 24 ડિસેમ્બરના રોજ અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંઘ દ્વારા યાત્રાધામ ખાતે ખૂબ જ ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પરંપરાગત કાર્યક્રમના મુખ્ય કાર્યક્રમમાં આજે 24મીએ સવારે 5 કલાકે બ્રહ્મમુહૂર્તમાં દ્વારકાના રૂક્ષ્મણી માતાના મંદિર પાછળના મોટા મેદાનમાં પરંપરાગત પોશાકમાં સજ્જ 37 હજારથી વધુ આહીરાણીઓએ રાસની રમઝટ જમાવી હતી.
આ રાસની પૂર્ણાહુતિ બાદ ખૂબ જ વ્યવસ્થિત રીતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં આ રાસ અર્પણ કરવા શાંતિયાત્રા કાઢવામાં આવશે. તેમજ જગતના કલ્યાણ માટે શ્રી કૃષ્ણને રાસ રચી પ્રાર્થના કરવામાં આવશે. આ પછી સવારે 7 વાગ્યે અબુથી બ્રહ્મા કુમારી વિશ્વવિદ્યાલયના બી.કે.ઉષાદીદી નારી તુ નારાયણી સંદેશ ગીતા સંદેશ સાથે આપવામાં આવ્યો હતો.