અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તસ્કરીના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાંથી અનેક ચોરીના ગુનાઓ ઉકેલવાના બાકી છે. ત્યારે માલપુરનગરમાં પણ તસ્કરીનો બનાવ સામે આવ્યો છે.
માલપુરનગર બસ સ્ટેન્ડ સામેના વિસ્તારમાં વરિયો પરિવાર મોડી રાત્રે દુકાનો બંધ કરી ઘરે ગયો હતો. ત્યારે મોડીરાત્રે કેટલાક તસ્કરોએ જુદી જુદી દુકાનોના તાળા તોડી નાખ્યા હતા. આ રીતે પોલીસ સ્ટેશનથી 300 મીટરના વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાન, ફાયનાન્સ પેઢી, મેડિકલ, પ્રોવિઝન સ્ટોર અને ઇલેક્ટ્રિક સ્ટોરના ગોડાઉનના તાળા તૂટ્યા હતા.
આજે સવારે દુકાનદારો દુકાને પહોંચ્યા ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં નારાજ વેપારીઓએ માલપુર પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસ માટે પડકાર બની ગયેલી તસ્કરીની ઘટનાએ અન્ય પ્રાંતોમાં પણ હલચલ મચાવી છે.
આજે સવારે દુકાનદારો દુકાને પહોંચ્યા ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં નારાજ વેપારીઓએ માલપુર પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસ માટે પડકાર બની ગયેલી તસ્કરીની ઘટનાએ અન્ય પ્રાંતોમાં પણ હલચલ મચાવી છે.