(GNS),તા.19
ગાંધીનગર,
જિલ્લા રોજગાર વિનિમય કચેરી/મોડેલ કારકિર્દી કેન્દ્ર ગાંધીનગર દ્વારા 21/02/2024 ના રોજ સવારે 10:30 કલાકે, મહાસુખલાલાની વાડી, બાર્ફ ફેક્ટરી પાસે, ભારત પેટ્રોલ પંપ સામે, તા.દહેગામ જી. ગાંધીનગર ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 10 અને 12 પાસ, સ્નાતક, ITI, ડિપ્લોમા ઉમેદવારો ભાગ લઈ શકશે. રોજગાર ઇચ્છુક યુવાનો રોજગારીની વિવિધ તકોથી વંચિત ન રહી જાય અને રોજગારદાતાઓને કુશળ માનવબળ મળી રહે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.રોજગાર ભરતી મેળાનું આયોજન કરવા માટે તમામ નોકરી ઇચ્છુક ઉમેદવારો, જેમાં બહોળી સંખ્યામાં ભાગ લેવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.