ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.
(GNS),તા.16
ગાંધીનગર,
દેશમાં લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. હવે રાજકીય પક્ષો સંપૂર્ણ રીતે ચૂંટણી જંગમાં ઉતરી ગયા છે. દેશની લોકસભાની ચૂંટણીની સાથે સાથે ગુજરાતની 26 લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે ગુજરાતની 6 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં પૈટા વિધાનસભાની ચૂંટણી યોજાશે. ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થશે. ગુજરાતની છ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ પેટાચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે પોતપોતાના ઉમેદવારોની પસંદગી માટેના પ્રયાસો તેજ કર્યા છે.
લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જેમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 19 એપ્રિલે યોજાશે. બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ થશે. ગુજરાતમાં 26 બેઠકો માટે 7મી મેના રોજ મતદાન થશે. જ્યારે 4 જૂને મતગણતરી હાથ ધરાશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થશે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને રજૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કાની ચૂંટણી 19 એપ્રિલે યોજાશે. ગુજરાતમાં 7મીએ મતદાન થશે.ગુજરાતની 6 બેઠકોની વાત કરીએ તો કોંગ્રેસે પ્રથમ 4 બેઠકો જીતી હતી. જ્યારે એક સીટ પર 1 એસએસનો વિજય થયો હતો અને 1 વિપક્ષી નેતા જીત્યા હતા, પરંતુ આ છ સીટોના ધારાસભ્યોએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે અને હવે ફરીથી પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે.