પાટણ નગરપાલિકા દ્વારા શહેરની સોસાયટીઓમાં નગરપાલિકાના 70 ટકા અને સોસાયટીના રહીશોના 30 ટકા લોકોના ફાળાથી નવા રસ્તાઓ બનાવવામાં આવે છે. જે અંતર્ગત શહેરના અંબાજી નેલીડીયા સ્થિત રાજલક્ષ્મી સોસાયટી પાર્ટ-2માં બિલ્ડીંગ નંબર 1 થી 10 અને 98 સામે નવા સીસી રોડનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.
જે હવે પૂર્ણ થઈ ગયું છે.આ રોડના બાંધકામમાં કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનો માલ વાપર્યો હોવાનો સ્થાનિક રહીશોનો આક્ષેપ છે. આ સાથે રોડની કામગીરીમાં કોઈ લેવલીંગના અભાવે કેટલાક લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. પાણીનો નિકાલ પણ થતો નથી.
સ્થાનિક રહીશ નવીનભાઈ પટેલના જણાવ્યા મુજબ આ સોસાયટીમાં પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ પણ રહે છે અને તેમનું ધ્યાન પણ આ સોસાયટીમાં દોરવામાં આવ્યું હતું. જોકે તેઓ આ સમસ્યાને નજરઅંદાજ કરી રહ્યા છે. જ્યાં સુધી કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ યોગ્ય રીતે ન થાય ત્યાં સુધી આ કોન્ટ્રાક્ટરને બિલ ચૂકવવામાં ન આવે તેવી લેખિત માંગણી પણ પાલિકા વતી કરવામાં આવી છે.
સ્થાનિક રહીશ નવીનભાઈ પટેલના જણાવ્યા મુજબ આ સોસાયટીમાં પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ પણ રહે છે અને તેમનું ધ્યાન પણ આ સોસાયટીમાં દોરવામાં આવ્યું હતું. જોકે તેઓ આ સમસ્યાને નજરઅંદાજ કરી રહ્યા છે. જ્યાં સુધી કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ યોગ્ય રીતે ન થાય ત્યાં સુધી આ કોન્ટ્રાક્ટરને બિલ ચૂકવવામાં ન આવે તેવી લેખિત માંગણી પણ પાલિકા વતી કરવામાં આવી છે.