પ્રજા અને જનપ્રતિનિધિથી પણ ઉપર સરકારી અધિકારીઓ પોતાને જ સરકાર સમજી અંધાધૂંધ વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે જેનાથી સરકારની છબી ખરડાઈ રહી છે. ધારાસભ્ય દ્વારા સૂચવવામાં આવેલ કાર્યો કરવામાં આવતા નથી,પાંચ ભાજપ ધારાસભ્યો કેતન ઈનામદાર, અક્ષય પટેલ, શૈલેષ સોટ્ટા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અધિકારીઓના અણધડ વહીવટ સામે બળાપો ઠાલવ્યો(એજન્સી)વડોદરા, અધિકારી રાજ ચાલી રહ્યું છે તેવા દાવાઓ ઘણા થયા પણ હવે ભાજપના જ ૫ ધારાસભ્યોએ હકીકત જણાવી સરકાર અને અધિકારી બંનેના કાન મરડ્યા છે. વડોદરા જિલ્લાના પાંચ ભાજપ ધારાસભ્યો કેતન ઈનામદાર, અક્ષય પટેલ, શૈલેષ સોટ્ટા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને…
Author: gujarat
(એજન્સી)ગાંધીનગર, રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. અનેક શહેરોમાં તાપમાન સિંગલ ડિજિટમાં જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં નલિયા સૌથી ઠંડુ શહેર છે. હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ કાતિલ ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી મુજબ ઠંડીનો ચમકારો વધશે.રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ જશે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, રાજ્યના નાગરિકોએ આગામી ૧૨ જાન્યુઆરી સુધી કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં કોલ્ડવેવની સ્થિતિ છે. પવનની ગતિ વધતા ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં ૧૫…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ ઉપર છેલ્લા ઘણા સમયથી પાર્કિગ ચાર્જને લઈને નાગરિકોમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. આ વ્યવસ્થા સંભાળતા કર્મચારીઓ સાથે અવાર-નવાર સામાન્ય નાગરિકોને બોલાચાલી પણ થતી હોય છે.પાર્કિગ ચાર્જના બહાને એરપોર્ટ ઉપર લૂંટ કરવામાં આવી હોવાનો ખુલ્લેઆમ આક્ષેપ થઈ રહ્યો છે. અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ર્પાકિંગના નવા નિયમોને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે.એરપોર્ટ ઓથોરિટી દ્વારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના નામે લેવાયેલા નિર્ણય મુજબ, જો કોઈ મુસાફર કે તેમના પરિવારજનો ર્પાકિંગ ચાર્જની ચુકવણી રોકડમાં કરશે, તો તેમણે નિયત ચાર્જ ઉપરાંત વધારાના ૧૦૦ રૂપિયા દંડ સ્વરૂપે ચૂકવવા પડશે. આ નવા નિયમને કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી…
અમદાવાદના લાંભા, હાથીજણ, રાણીપ અને સરદારનગરમાં નવા ફાયર સ્ટેશન બનશે(પ્રતિનિધિ) અમદાવાદ અમદાવાદ શહેર દિન પ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં આગામી પાંચ વર્ષમાં નવા ૧૫ ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. જ્યારે આગામી બે વર્ષમાં નવા ૪ ફાયર સ્ટેશન સરદારનગર, રાણીપ, હાથીજણ અને લાંભામાં બનાવવામાં આવશે તેમજ જરૂરિયાત મુજબ સ્ટાફની ભરતી કરવામાં આવશે.મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકારની સ્ટેન્ડિંગ ફાયર એડવાઇઝરી કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલી ગાઇડ લાઇન મુજબ આશરે દર ૧૦ ચો.કી.મી.એ ૧ ફાયર સ્ટેશનની જરૂરીયાત હોય તે મુજબ ૫૦૦ ચો.કી.મી. વિસ્તારમાં માટે ૫૦ ફાયર સ્ટેશનની…
Gujarat Rajkot Earthquake: ગુજરાતના રાજકોટ જિલ્લાને સિલસિલેવાર ભૂકંપે ધ્રુજાવી દીધો છે. અહીં ગુરુવાર સાંજથી શુક્રવાર સવાર સુધી સતત 11 વાર ભૂકંપના આંચકા લાગ્યા. રિક્ટર સ્કેલ પર આ તમામ ભૂકંપની તીવ્રતા તો વધારે નહોતી પરંતુ 26 કલાકમાં 11 વાર ધરતી હલવાથી લોકો ડરી ગયા. ફરી સુરક્ષાના દૃષ્ટિકોણથી શાળાઓમાં રજા આપી દેવામાં આવી અને લોકોને સાવધાન રહેવા માટે કહી દેવામાં આવ્યું. આ આર્ટિકલમાં વાંચો કે રાજકોટમાં કેટલા વાગ્યે કેટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો.રાજકોટમાં કેટલા વાગ્યે આવ્યો કેટલી તીવ્રતાનો ભૂકંપ?isr.gujarat.gov.in ના જણાવ્યા મુજબ, રાજકોટમાં 9 જાન્યુઆરીએ 11:44 AM પર 2.6, 9:45 AM પર 3.2, 8:34 AM પર 3.2, 8:21 AM પર 3, 7:33 AM…
(એજન્સી)અમદાવાદ, હેરિટેજ સિટી તરીકે જાણીતા અમદાવાદમાં આ વર્ષનો આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ કંઈક અલગ અને ખાસ બની રહેશે. જી હા…દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા આ મહોત્સવમાં આ વખતે આધુનિકતાની સાથે સાથે અમદાવાદની સંસ્કૃતિ અને વિરાસતનો સંગમ જોવા મળશે.અમદાવાદની ઓળખ સમાન જૂની પોળોનો અનુભવ રિવરફ્રન્ટ પર કરાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. પોળ જેવો અહેસાસ કરાવવા માટે જૂના લાકડાના દરવાજા, કલાત્મક બારીઓ અને જૂના પિલ્લર જેવા મટીરીયલનો ઉપયોગ કરીને આખી થીમ તૈયાર કરાઈ છે.અંદાજે ૫૦૦૦ સ્ક્વેર મીટરમાં ફેલાયેલા આ ફેસ્ટિવલમાં હેરિટેજ પોળની થીમ પ્રવાસીઓ માટે સેલ્ફી પોઈન્ટ અને આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉત્તરાયણ વખતે જે રીતે લોકો પોળના ધાબા ભાડે રાખીને પતંગબાજીની…
Fake Marriage Visa Scam: ગુજરાતની ભરૂચ પોલીસે યુવાનોને વિદેશ મોકલવાના એક નવા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટ નકલી લગ્ન અને નકલી છૂટાછેડા કરાવીને યુએસ (US) ના વિઝા અપાવતું હતું. ગેરકાયદે ઇમિગ્રેશન યોજનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે નકલી લગ્ન અને છૂટાછેડાના દસ્તાવેજોનો ઉપયોગ કરીને એક સ્થાનિક મહિલાને આશ્રિત વિઝા (Dependent Visa) પર યુનાઇટેડ કિંગડમમાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો.નકલી લગ્ન અને છૂટાછેડાનો મામલો ત્યારે ખુલ્યો, જ્યારે રેકોર્ડમાં મહિલાના પતિ તરીકે નોંધાયેલ વ્યક્તિએ પોલીસનો સંપર્ક કર્યો. ગેરકાયદે ઇમિગ્રેશનની વ્યવસ્થા માટે કથિત રીતે નક્કી કરવામાં આવેલી રકમને લઈને તેનો વિવાદ થયો હતો. નારાજ થઈને તે પોલીસ પાસે પહોંચ્યો હતો.યુકેમાં રહે છે રિઝવાનપલેજ પોલીસ…
અમદાવાદ, ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્ત્વ છે. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. આ વર્ષે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬’નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧૨મી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સવારે સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે કરવામાં આવશે. આ ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું આયોજન પુરજોશમાં કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ ખાતે તા.૧૨થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાનાર ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ના મુખ્ય આકર્ષણના કેન્દ્રોમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો વિવિધ પ્રકારના શ્રેષ્ઠ મોટા પતંગોની ઉડાન કરશે. આ ઉપરાંત તા.…
PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૦ થી ૧૨ જાન્યુઆરી સુધી ગુજરાત પ્રવાસે રહેશે. ત્રણ દિવસના પ્રવાસમાં પીએમ મોદી ઘણા બધા કાર્યક્રમોમાં ભાગ લેશે. આમાં ધાર્મિક, સાંસ્કૃતિક, વિકાસાત્મક અને આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો સામેલ છે. પીએમ મોદીના આ પ્રવાસને ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી ૧૦ જાન્યુઆરીની સાંજે સોમનાથ પહોંચશે. રાત્રે લગભગ ૮ વાગ્યે તેઓ સોમનાથ મંદિરમાં ઓંકાર મંત્ર જાપમાં ભાગ લેશે. આ પછી તેઓ મંદિર પરિસરમાં આયોજિત ભવ્ય ડ્રોન શોનું અવલોકન કરશે. આ કાર્યક્રમ આધ્યાત્મિકતા અને આધુનિક ટેકનોલોજીના સમન્વયનું પ્રતીક હશે.શૌર્ય યાત્રામાં જોડાશે પીએમ મોદી૧૧ જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદીનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે. સવારે લગભગ ૯:૪૫ વાગ્યે તેઓ…
પારસાના રામીબા પ્રાકૃતિક ફાર્મની મુલાકાત કરી પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા રાજ્યપાલશ્રીનો ખેડૂતોને અનુરોધમાણસા ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને માટે તાલુકામાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રની શરૂઆત કરવા સુચન કરતા રાજ્યપાલશ્રીગાંધીનગર, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ‘ગ્રામ્ય કલ્યાણ કાર્યક્રમ’ અંતર્ગત માણસા તાલુકાના, સોલૈયા ગામની તા.૦૭ અને ૦૮ જાન્યુઆરી એમ બે દિવસીય મુલાકાતે પધાર્યા હતા. જે દરમિયાન રાજ્યપાલશ્રીએ સોલૈયા પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં સાદગીપૂર્ણ રાત્રી વિશ્રામ કર્યો હતો.રાત્રી વિશ્રામ બાદ તારીખ 8 જાન્યુઆરી ગુરુવારના દિવસે રાજ્યપાલશ્રીએ પારસા ગામના ખેડૂત આત્મારામભાઈ પ્રજાપતિના ‘રામીબા પ્રાકૃતિક ફાર્મ’ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગાય દોહવા સાથે પ્રાકૃતિક કૃષિ ફાર્મનું ઝીણવટ ભર્યુ નિરીક્ષણ કર્યું હતું.છેલ્લા દસ વર્ષથી…
