ઔદ્યોગિક એકમોની સહાય મંજૂરીથી રાજ્યમાં અંદાજિત ૫,૬૩૪ નવી રોજગારીની તકોનું સર્જન થશેઅમદાવાદ, સુરત, ભરૂચ સહિતના વિવિધ જિલ્લાઓના ઉદ્યોગોને મળશે વેગઅમદાવાદ, ગુજરાત વિશ્વભરના રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રે ‘દિવાદાંડી’ સ્થાપવાના વિઝન સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી. ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં રાજ્યના ૨૩ મોટા ઔદ્યોગિક એકમોને સહાય માટેના ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્રો આપવાની મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરીઓના પરિણામે રાજ્યમાં અંદાજિત ૫,૬૩૪ જેટલી રોજગારીની તકો ઊભી થશે. જે રાજ્યના યુવાનો માટે આર્થિક ઉન્નતિના દ્વાર ખોલશે.આ બેઠકમાં બે મુખ્ય યોજનાઓ હેઠળ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જેમાં ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ (ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ) હેઠળ કુલ…
Author: gujarat
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત એનેસ્થેશિયા વર્કસ્ટેશન અને ડિજિટલ મોબાઇલ એક્સ–રે મશીન એનાયત કરાયાઅત્યાધુનિક તબીબી સાધનો દર્દીઓનું નિદાન અને સારવાર ઝડપી બનાવવા સાથે સર્જરી દરમિયાન સલામતીમાં વધારો કરશેઅમદાવાદ, જી.એમ.ઇ.આર.એસ (GMERS) મેડીક્લ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ સોલા, અમદાવાદ ખાતે જનસેવાનું એક મહત્વપૂર્ણ કાર્ય સંપન્ન થયું હતું. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL), અમદાવાદ દ્વારા તેમની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) એક્ટીવિટિ અંતર્ગત કુલ ₹૫૫.૦૦ લાખની કિંમતના અત્યાધુનિક તબીબી સાધનો સંસ્થાને અર્પણ કરવામાં આવ્યા છે.આ સાધનોનું લોકાર્પણ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના ઉચ્ચ અધિકારીઓના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના વહીવટી અધિકારીઓ અને તબીબી સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.હોસ્પિટલને પ્રાપ્ત…
પશ્ચિમ રેલ્વે પર અમદાવાદ મંડળ પ્રથમ સ્થાન પરપશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મંડળ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશના નેતૃત્વમાં વર્ષ2025-26દરમિયાન પરિચાલન કાર્યક્ષમતા,માલ અને યાત્રી પરિવહન,મહેસૂલ સુદ્રઢીકરણ અને પાયાની સુવિધાઓના વિકાસના તમામ મુખ્ય પાસાઓમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરીને ઉત્કૃષ્ટ અને સંતુલિત પ્રદર્શન કર્યું છે.વર્ષ2025-26ની મુખ્ય સિદ્ધિઓ—માલ લોડિંગમાં નોંધપાત્ર સિદ્ધિઓપરિચાલન પ્રદર્શનમાં સતત સુધારોમહેસૂલ અને યાત્રી સેવાઓમાં મજબૂત પ્રગતિનવી રેલવે સેવાઓઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ
બ્રિજનું સમારકામ પૂર્ણ થતાં બ્રિજ આજથી શરૂ થઈ જશે, બાઇક અને પગપાળા માટે આ બ્રિજનો ઉપયોગ થશેવડોદરા, બરાબર ૧૦ મહિના પહેલા એટલે કે ૯ જુલાઈ ૨૦૨૫ના રોજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહી નદી પરનો ૪૦ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો. આ મોટી દુર્ઘટનામાં ૨૦ લોકોના મોત થયા હતા.જે બાદ બ્રિજને બંધ કરીને સમારકામ શરૂ કરી દેવાયું હતું. જોકે હાલ આ બ્રિજનું સમારકામ પૂર્ણ થતા વાહનચાલકો અને રાહદારીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે કે, આવતીકાલથી એટલે કે ૨ એપ્રિલથી આ બ્રિજ પર ફરી એકવાર વાહન વ્યવહાર ખુલ્લો મુકાશે.દુર્ઘટનાના ૧૦ મહિના બાદ હાલ તો ગંભીરા બ્રિજનું સમારકામ…
ભાજપ નર્મદા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજપીપલા શહેર અને નાંદોદ તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છેનર્મદા, ભાજપ નર્મદા દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે રાજપીપલા શહેર અને નાંદોદ તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં ભાજપની ટિકિટો મેળવવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. એક બેઠક માટે ૮થી ૧૦ કાર્યકરો અને હોદ્દેદારોએ ફોર્મ ભર્યા છે. આગામી દિવસોમાં જે સક્ષમ હશે તેને ટિકિટ ફાળવશે. જોકે ટિકિટ ન મળી તેઓ પણ ભાજપના ઉમેદવારોને જીતાડવા મહેનત કરશે.ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને રાજપીપલા શહેર ૨૮ બેઠકો માટે ૧૩૦ જેટલા ફોર્મ આવ્યાની વાત છે. જ્યારે જિલ્લા પંચાયતની ૨૨ બેઠકો માટે…
માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા-તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પરિણીતાને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અમદાવાદ, અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારમાં સામાન્ય બાબતે મોટો ઝઘડો થયો હતો. ગત ૩૧મી માર્ચના રોજ બપોરે ચારેક વાગ્યાની આસપાસ પરિણીત યુવતી પાસે તેના પતિએ ૨૦૦ રૂપિયાની માંગણી કરી હતી.જો કે, યુવતીએ પોતાની પાસે પૈસા ન હોવાનું જણાવતાં પતિ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નીને ગાળો ભાંડી તેના વાળ પકડીને બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું. ઘરમાં હાજર ૧૦ વર્ષનો દીકરો અને ૩ વર્ષનો દીકરો માતાને માર પડતો જોઈને ડરના માર્યા રડવા લાગ્યા…
ખંભાળિયામાં એક મોટી રાજકીય ઘટના બની-આ ઘટનાને પગલે રાજ્યભરમાં ‘આપ’ના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છેદેવભૂમિ દ્વારકા, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે જ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં એક મોટી રાજકીય ઘટના બની છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પોલીસે અટકાયત કરી છે.આ ઘટનાને પગલે રાજ્યભરમાં ‘આપ’ના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ સામે થયેલી ફરિયાદના સંદર્ભમાં ઈસુદાન ગઢવી પોતાના સમર્થકો સાથે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.પોલીસ સ્ટેશનની અંદર પીએસઆઈ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે તેમની ઉગ્ર ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ…
નડિયાદના યુવકને દુબઈમાં થયો કડવો અનુભવ -દુબઈમાં નોકરી માટે પહોંચેલા આ યુવકનો પાસપોર્ટ જપ્ત કરાયો હતોઅમદાવાદની ફાઈવ ટેક ઈન્ટરનેશનલ સર્વિસના આરોપીએ શિવમ ઝાલા સાથે ઠગાઈ આચરી હતી.નડિયાદ, ગુજરાતમાં અનેક લોકો વિદેશ જવાની લાલચમાં છેતરાતા હોય છે. ત્યારે નડિયાદમાં એક યુવક પણ ઠગાઈ કરનારાઓનો શિકાર બન્યો છે. અમદાવાદના એજન્ટે યુવકને વિદેશ મોકલ્યો હતો. દુબઈમાં નોકરી માટે પહોંચેલા આ યુવકનો પાસપોર્ટ જપ્ત કરાયો હતો. ગેસ્ટ હાઉસમાં બે મહિના સુધી ગોંધી રાખીને યુવકને માર મારવામાં આવ્યો હતો.અમદાવાદના એજન્ટે દુબઈમાં બાઈક રાઈડર માટેની નોકરીની ઓફર કરી હતી. નડિયાદના શિવમ ઝાલાને અમદાવાદના એક એજન્ટે નોકરીના બહાને વિદેશ મોકલ્યો હતો. દુબઈમાં બાઈક રાઈડીંગ માટેની નોકરીની ઓફર…
ભરૂચમાં નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનો પ્રારંભ(પ્રતિનિધિ) ભરૂચ, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે ભરૂચ જિલ્લાની પંચાયતો અને પાલિકાઓના ઉમેદવારો માટેની પસંદગી પ્રકિયા માટે પ્રદેશ નિરીક્ષકોએ સેન્સ લેવાની કામગીરી હાથધરી હતી.ભરૂચ જિલ્લા પંચાયત,નવ તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા ?ભરૂચની જીંજર હોટલ ખાતે ત્રણ નિરીક્ષકો ડૉ.જીવરાજ ચૌહાણ (પૂર્વ પ્રદેશ મંત્રી),નિખિલભાઈ પટેલ (કન્વીનર, આઈટી સેલ, ગુજરાત ભાજપ) તેમજ પ્રતિમાબેન પરમાર (સભ્ય, પ્રદેશ કારોબારી – ગોધરા) ની ટીમે કાર્યકર્તાઓને સાંભળવાની પ્રક્રિયા હાથધરી હતી.ભરૂચ ખાતે જિલ્લાની ૪ તાલુકા પંચાયત, ૩ નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ૧૬ જેટલી બેઠકો પર જે…
હજુ ત્રણ દિવસ માવઠુ થવાનો અણસાર, આકાશ વાદળોથી ઘેરાયું(પ્રતિનિધિ) હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં અત્યારે અનેક લોકો બે ઋતુને કારણે બિમારીમાં સપડાઈ રહયા છે ત્યારે છેલ્લા ચારેક દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લાના અનેક ઠેકાણે વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્યું છેત્યારે માવઠાની દહેશતને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ખેડુતોએ ઝડપથી શિયાળુ પાક તરીકે ઓળખાતા ઘઉં, બટાકા, તમાકુ અને વરીયાળી સહિતના પાકોની કાપણી અને લણણી કરીને ઘરભેગા થઈ ગયા છે. જેથી જિલ્લામાં શિયાળુ પાકની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે દરમ્યાન બુધવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો પારો ઉંચકાયો હતો. જેથી લોકોએ ઉનાળાની ગરમીનો અહેસાસ કર્યો છે.હવામાન વિભાગના જણાવાયા મુજબ ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠામાં તા.રથી પ એપ્રિલ…
