ઈરાનથી આવતા કિવી, સફરઝનની આવક બંધ: કેળા, કેરી, દ્રાક્ષનું એકસપોર્ટ ખોરવાયુંભારતમાંથી મિડલ ઈસ્ટના દેશો ઈરાન, સઉદી અરબ, દુબઈ, કતાર, બહેરીન, મશ્કત, કુવૈતમાં કેળા, કેરી, દ્રાક્ષની નિકાસ થતી હતી તેમાં ફટકો પડયો છે.સુરત, વૈશ્વિક સ્તરે પ્રવર્તી રહેલી યુદ્ધની પરસ્થિતિ અને હોર્મુઝ ખાડીના ઈસ્યુના પગલે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ઈરાનથી આવતા કિવી અને સફરઝનની આવક સંપૂર્ણ બંધ થઈ છે.બીજી તરફ ભારતમાંથી કેરી, કેળા, દ્રાક્ષ, ટામેટાની મિડલ ઈસ્ટના દેશોમાં નિકાલ થતી હતી તેમાં પણ એકસપોર્ટરો અને વેપારીઓને મોટો ફટકો પડયો છે. આ કારણે ફળોના ભાવમાં પણ ૧પથી ર૦ ટકાનો ઉછાળો આવ્યો છે.ભારત દેશમાં ન્યુઝીલેન્ડ, પોલેન્ડ, સાઉથ આફ્રિકા, અમેરિકા, ઈટલી, ફ્રાન્સ, ઈરાન જેવા…
Author: gujarat
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત ભાષાના પ્રચાર, પ્રસાર અને સંવર્ધન માટે શત સુભાષિત કંઠપાઠ યોજના અમલમાં મૂકવામાં આવી હતીગાંધીનગરમાં સંસ્કૃત સન્માન સમારોહમાં રાજ્યકક્ષાએ સન્માન કરાયું(પ્રતિનિધિ) વલસાડ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યપાલના અધિકૃત નિવાસસ્થાન રાજભવન ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય સંસ્કૃત સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડની પ્રતિષ્ઠિત શાહ ખીમચંદ મુળજીભાઈ હાઈસ્કૂલમાં આચાર્યા તરીકે ફરજ બજાવતા જયશ્રી બહેન ભગતને રાજ્ય કક્ષાએ શિક્ષણમંત્રી દ્વારા શત સુભાષિત પંડિતની ગરિમામયી પદવી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત ભાષાના પ્રચાર, પ્રસાર અને સંવર્ધન માટે શત સુભાષિત કંઠપાઠ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. પ્રાચીન પરંપરા મુજબ જેમને ૧૦૦…
ગેનીબેન ઠાકોર હઠે ચડ્યાં, અલાયદા બંને જિલ્લા માટે પ્રમુખ માટેની કાર્યકરોની માંગ ફગાવીબે જિલ્લા થયા પછી ભાજપે વાવ-થરાદ જિલ્લા માટે નરેશ ઠાકોરને નિયુકત કર્યા છે જયારે બનાસકાંઠા માટે રાજપૂત નેતા કીર્તિસિંહ વાઘેલા છે.ગાંધીનગર, સ્થાનિક સ્વરાજયની ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંગઠનમાં નિમણૂંકની પ્રક્રિયા પુરી કરી દેવામાં આવી છે, પરંતુ અમુક જગ્યાએ હજુ પણ સ્થાનિક આગેવાનોમાં અસંતોષ છે.બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ જિલ્લો અલગ કરવામાં આવ્યો અને એક નવા જિલ્લાની સ્થાપના થઈ. તે પછી કોંગ્રેસના કાર્યકરોમાં વાવ-થરાદ માટે અલગ પ્રમુખ માટે વિદ્રોહ ઉભો થયો છે. જોકે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર આ બંને જિલ્લાના પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપૂતને યથાવત…
પૂર્વ જાણ કર્યા વગર લાઈટો ગુલ: મેસેજની ખબર ન પડતા ગ્રામીણ જનતા મુશ્કેલીમાંશામળાજી, અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સ્માર્ટ મીટરના અમલીકરણ બાદ જનતાની પરેશાનીમાં તોતિંગ વધારો થયો છે. ખાસ કરીને શામળપુર ગામમાં સ્માર્ટ મીટર નાખ્યા બાદ જી.ઈ.બી. દ્વારા કોઈ પણ જાતની પૂર્વ જાણ કર્યા વગર વીજ જોડાણો કાપી નાખવામાં આવતા લોકરોષ ફાટી નીકળ્યો છે.શામળપુરના સરપંચ સંગીતાબેન પટેલે ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું કે, “ગામમાં સ્ટ્રીટ લાઈટનું બિલ્ ભરી દેવાયું હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાણ કર્યા વગર લાઈટો બંધ કરી દેવામાં આવી છે. અધિકારીઓ એવું કહે છે કે મોબાઈલમાં મેસેજ આવશે તે મુજબ બિલ ભરવું, પરંતુ ગામડાની ભોળી જનતાને…
(એજન્સી) અમદાવાદ, પૂર્વ વિસ્તારમાં ઝડપથી વિકસી રહેલા નિકોલ વોર્ડમાં આવેલા બેટી બચાવો ગાર્ડન અત્યારે મ્યુનિસીપલ કોર્પોરેશનની ઘોર બેદરકારીનો નમુનો બની ગયો છે. સવાર-સાંજ હજારો નાગરીકો જે બગીચાઓમાં યોગા અને વોકીગ માટે આવે છે. તે બગીચો અત્યારે અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે.બગીચાની સ્થિતી એટલી ખરાબ છે કે, છેલ્લા ૧ વર્ષથી જાળવણી ન થતા મોટાભાગની ઘાસની લોન સંપૂર્ણ સુકાઈ ગયું છે. સિનીયર સીટીઝનો માટે બેસવા માટેના બાંકડા તુટી ગયેલા છે. બાળકોમાટેના રમતના સાધનો બિસમાર થઈ ગયા હોવાથી રમવા આવતા બાળકો નિરાશા થઈને પરત જાય છે.આ ઉપરાંત નિયમીત ટ્રીમીગ ન થવાને કારણે ઝાડાની ડાળીઓ વોકીગ ટ્રેક પર નડતરરૂપ બની રહી છે. સ્થાનીકો…
(એજન્સી)નવીદિલ્હી, બીએચઆઈએમ એપમાં એક એવું ફીચર પણ છે. જેનાથી યુઝર્સ પ,૦૦૦ સુધીનું યુપીઆઈ પેમેન્ટ પીન નાખ્યા વગર પણ કરી શકે છે. ફિગરપ્રીન્ટ અથવા ફેસ રેકગીશન દ્વારા પેમેન્ટ કરવું સરળ અને ઝડપી બને છે. આ સુવિધા ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે. જેઓ પીન ભુલીજવાની અથવા ખોટો પીન નાખવાની સમસ્યાનો સામનો કરે છે.ડીજીટલ પેમેન્ટને વધુ સરળ બનાવવા માટે સરકારી એપ બીએચઆઈએમ માં ફીંગરપ્રીન્ટ અથવા ફેસ રેકગીશન દ્વારા પેમેન્ટ કરવાનું ફીચર પણ છે. આ એપ યુપીઆઈ દ્વારા બેકથી બેકમાં તરત જ પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે.આમાં તમે મોબાઈલ નંબર અથવા યુપીઆઈ આઈડી દ્વારા સરળતાથી પૈસા મોકલી અને મંગાવી શકો છો.…
બનાવટી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવનાર મહિલાની જામીન અરજી કોર્ટે ફગાવી(એજન્સી)અમદાવાદ, સીટી સીવીલ એન્ડ સેશન્સ કોર્ટે બોગસ પાસપોર્ટ કૌભાંડમાં સંડોવાયેલી મહીલા આરોપી નિશા વિપુલકુમાર રાણાની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરી છે. કોર્ટે નોધ્યું હતુંકે, આ ગુનાની તપાસ હાલ ચાલુ છે. અને હજુ ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી.જો આરોપીને જામીન પર મુકત કરવામાં આવે તો તે પુરાવા સાથે ચેડાં કરી શકે છે. અને સાક્ષીઓને પ્રભાવીત કરી શકે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.આ કેસમાં અન્ય સહ આરોપીઓને પકડવાના હજુ બાકી છે. જેમને પકડવા માટે આરોપીની કસ્ટડી અને તપાસ અનિવાર્ય છે.આરોપી સામે આર્થિક લાભ મેળવવા માટે ખોટા દસ્તાવેજોના આધારે બોગસ પાસપોર્ટ મેળવી તેનો…
પિકઅપની ટક્કરે ૭ વર્ષના બાળકનું માથું છૂંદાઈ ગયું(એજન્સી)જૂનાગઢ, વિસાવદરમાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. સતાધાર રોડ પર એક બોલેરો પિકઅપ વાહન દ્વારા બાળકને અડફેટે લેવાતા ૭ વર્ષીય બાળકનું કમકમાટીભર્યું મોત થયું છે.આ અકસ્મતા એટલો ભયાનક હતો કે તેમાં બાળકના નાથાના ભાગમાંથી મગજ આખું જુદુ પડી હતી અને અને કાળજું કંપાવતા દ્રશ્યો સર્જાયા હતા, ત્યારે અકસ્માત બાદ ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો, પરંતુ પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી લીધો છે, જેથી ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છે અને પરિવાર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.એક વ્યક્તિની ઉતાવળ અને બેદરકારીથી ઉપાડ ઝડપે વાહન ચલાવવાના કારણે…
ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ કરંટ લાગી મૃત્યુના અકસ્માત વળતરના અધિકારમાં મૃતક યુવકના ભાઈ-બહેનોનો પણ સમાવેશઅમદાવાદ ઈલેક્ટ્રિસિટી કંપની અને ગુજરાત એનર્જી બોર્ડની ગંભીર બેદરકારીને કારણે શયનને ભારે વીજ કરંટ લાગ્યો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.(એજન્સી)અમદાવાદ, વળતરના કેસોમાં નિર્ભરતા(ડિપેન્ડન્સી)ના વ્યાપને ફરીથી વ્યાખ્યાયિત કરતા એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું છે કે, ‘ફેટલ એક્સિડન્ટ એક્ટ, ૧૮૫૫’ની કલમ ૧-A હેઠળ ભાઈઓ અને બહેનોને પણ પરિવારના ભાગ તરીકે ગણવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણય પ્રથમ વખત ભાઈ-બહેનોની તરફેણમાં આ વ્યાખ્યાનો વિસ્તાર કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે કાયદાના સાંકડા અર્થઘટન પર ન્યાય અને સમાનતાનો વિજય થાય.આ કેસ ત્રણ દાયકા જૂની એક દુખદ ઘટના…
સાળંગપુરમાં હનુમાન જયંતી નિમિત્તે કૃતજ્ઞતા મહામહોત્સવની ઉજવણી(એજન્સી)સારંગપુર, શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આજે (બીજી એપ્રિલ) હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની અત્યંત દબદબાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી જ કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.હનુમાન જયંતીના પાવન પર્વ પર વિશેષ દિવસે દાદાના જન્મોત્સવને યાદગાર બનાવવા માટે વહેલી સવારે ૫ઃ૦૦ કલાકે મંગળા આરતી અને ત્યારબાદ ૭ઃ૦૦ કલાકે શણગાર આરતી યોજાઈ હતી. દાદાને ૮ કિલો શુદ્ધ સોનામાંથી તૈયાર કરવામાં આવેલા અત્યંત કલાત્મક ‘નૂતન સુવર્ણ વાઘા’ અર્પણ કરવામાં આવ્યા છે. સોનાના આભૂષણો અને વસ્ત્રોમાં સજ્જ દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતા…
