(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય હલચલ તેજ બનતી જોવા મળી રહી છે.આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ સાથે જોડાયેલા અનેક કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો છે.ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી,નરેન્દ્રસિંહ પરમાર, ઉપ પ્રમુખ મનોજ મહેતાના હસ્તે કોંગ્રેસના પાલિકા પૂર્વ ઉમેદવાર શંકર પટેલે કાર્યકરો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.તો આપના પૂર્વ શહેર પ્રમુખ આકાશ મોદી પણ કાર્યકરો સાથે ભાજપ માં પ્રવેશ મેળવ્યો હતો.આ પ્રસંગે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મળી કુલ ૫૦થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો છે.કાર્યક્રમ…
Author: gujarat
વડોદરા, વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પદમલા ગામમાં બે જૂથો વચ્ચે અથડામણ સર્જા હતી. જૂની અદાવતને લઈને બંને પક્ષો વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હતી.મારામારી બાદ મામલો વધુ તંગ બનતા બંને જૂથો વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો. પથ્થરમારાની ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતા જ છાણી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. બંને પક્ષના આશરે ૧૦ થી ૧૫ લોકોને પોલીસે અટકાયત કરી છે.ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.સ્થાનિક લોકોમાં પણ ઘટનાને લઈને ચિંતા અને ભયનો માહોલ…
અમરાવતી, આંધ્રપ્રદેશ હાઈકોર્ટે પત્નીની મિલકતને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે પોતાના આદેશમાં કહ્યું છે કે જો કોઈ હિન્દુ મહિલાને તેના પિતા કે માતા તરફથી વારસામાં મિલકત મળી હોય અને તેનું મૃત્યુ વસિયત કર્યા વિના (અવસાન) થાય, તો તે મિલકત પર તેના પતિ કે સાસરી પક્ષનો કોઈ હક રહેશે નહીં. સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તે છે કે, પત્નીના નામે રહેલી મિલકત પર પતિનો અધિકાર હોય છે, પરંતુ કોર્ટે આ કાયદાકીય ગૂંચ ઉકેલી દીધી છે.જસ્ટિસ તરલાડા રાજશેખર રાવે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૧૫(૨)(ક)નો હવાલો આપતા જણાવ્યું હતું કે, જો કોઈ મહિલાને તેના પિતા કે માતા તરફથી મિલકત મળી હોય…
ચુકવણી કામના જથ્થા પર નહીં,પણ રસ્તાની ગુણવત્તા અને પરફોર્મન્સ આધારિત થશે• માર્ગોના નવીનીકરણ અને ગુણવત્તા માટે રૂ. ૩,૪૦૦ કરોડથી વધુના કામોને મંજૂરી: ૫,૭૦૦ કિમીના‘નોન-પ્લાન્ડ’ રસ્તાઓનું થશે રીસરફેસીંગરસ્તાની જાળવણી માટે OPRCઅનેPBMCજેવા નવા મોડેલ અમલમાં: હવે કોન્ટ્રાક્ટરોએ ૧૦ વર્ષ સુધી રસ્તા સાચવવા પડશેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસની પરંપરાને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યના માર્ગોના નેટવર્કને વધુ સુદ્રઢ અને સુરક્ષિત બનાવવા માટે બે અત્યંત મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. આ નિર્ણયોથી ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોની કનેક્ટિવિટી વધુ સુદ્રઢ બનશે અને રસ્તાઓની ગુણવત્તામાં પણ લાંબાગાળાનો સુધારો જોવા મળશે,તેમ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.રાજ્યના માર્ગોના નેટવર્કને સુરક્ષિત બનાવવા માટેના…
મુખ્યમંત્રીશ્રીએ દાદાના આશીર્વાદ લીધા અને રથનું પૂજન કરી, રાજ્યના નાગરિકોની સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરીઅમદાવાદના શાહીબાગ સ્થિત કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ બાદ આ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ હનુમાનજીના રથની આરતી ઉતારી હતી અને ત્યાર બાદ શ્રીફળ વધેરીને શોભાયાત્રાના મુખ્ય રથને પ્રસ્થાન કરાવ્યું હતું.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે અમદાવાદના કેમ્પ હનુમાન મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ હનુમાન દાદાની પૂજા-અર્ચના કરી, રાજ્યના નાગરિકોની સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.ઉલ્લેખનીય છે કે, શોભાયાત્રામાં ગજરાજ, ઊંટગાડી, વિવિધ ટ્રક,…
કેઈન્સ સેમિકોન સુવિધાનું ઉદ્ઘાટન આત્મનિર્ભરતા તરફ ભારતના પુશને મજબૂત બનાવે છે; તે મજબૂત સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવવાની દિશામાં એક સીમાચિહ્નરૂપ પગલું છે: પ્રધાનમંત્રી- PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદ ખાતે કેઈન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું2021 માં, ભારતે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન લોન્ચ કર્યું; આ મિશન માત્ર એક ઔદ્યોગિક નીતિ નથી પરંતુ ભારતના આત્મવિશ્વાસની જાહેરાત છે: પ્રધાનમંત્રીAhmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતના સાણંદમાં કેઈન્સ ટેકનોલોજી (Kaynes Technology) સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જે આ સુવિધામાં ઉત્પાદનની શરૂઆત દર્શાવે છે.તેમણે નોંધ્યું હતું કે તેઓ 28 ફેબ્રુઆરીએ માઈક્રોન પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ કરવા માટે સાણંદમાં હાજર હતા અને બરાબર એક મહિના પછી કેઈન્સના સીમાચિહ્નરૂપ ક્ષણ માટે…
·સમ્રાટ સંપ્રતિ મહારાજા ભારતના દર્શન અને અભ્યાસને જોડતા સેતુરૂપ હતા·ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રાચીન હસ્તપ્રતોના ડિજિટાઈઝેશન માટે‘જ્ઞાન ભારતમ મિશન‘શરૂ કરાયું·મહાવીર સ્વામીના જન્મદિવસે કોબા ખાતેનો કાર્યક્રમ જડોથી જોડાવાનો,જ્યારે સાણંદ ખાતેનો બીજો કાર્યક્રમ સેમિકંડક્ટર ચિપ થકી જગત સાથે જોડાવાનો·વર્તમાન સમયમાં મહાવીર સ્વામીના વિચારો જ વિશ્વને શાંતિનો રાહ દર્શાવી શકે એમ છે: મુખ્યમંત્રીગાંધીનગરના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયોવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે આજે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર,કોબા,ગાંધીનગર ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણકના શુભ અવસરે ભારતીય વિરાસતના ગૌરવ અને જૈન સંસ્કૃતિને સમર્પિત વિશ્વસ્તરીય ભવ્ય ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાષ્ટ્ર સંત જૈનાચાર્ય શ્રી…
સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું મોદીએ કર્યું ઉદ્ઘાટન-ભારત એક ભરોસાપાત્ર સેમિકન્ડક્ટર સપ્લાયરઃ મોદીPM મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, જ્યારે રાષ્ટ્રને એકતાની સૌથી વધુ જરૂર છે ત્યારે કોંગ્રેસ પક્ષ દેશમાં ભાગલાવાદી રાજકારણ રમીને ડર અને અફવાઓ ફેલાવી રહ્યો છે(એજન્સી)ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાતની મુલાકાતે છે, સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ તેઓ વાવ-થરાદ પહોંચ્યા હતા, વડાપ્રધાને કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ૧૯,૮૦૬.૯ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર ગુજરાતના વિકાસ કાર્યોના લોકાર્પણ સમયે ભૂતકાળની વિષમ પરિસ્થિતિઓને યાદ કરતાં જણાવ્યું કે, દાયકાઓ પહેલા ઉત્તર ગુજરાતની ઓળખ માત્ર સૂકા પ્રદેશ તરીકે થતી હતી. લોકોએ પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડતું…
(એજન્સી)ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક અને પવિત્ર તીર્થધામ સોમનાથમાં આવેલું ભવ્ય સર્કિટ હાઉસ અત્યારે ભારે વિવાદના વમળમાં ફસાયું છે. દરિયાકિનારે અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવેલી આ સરકારી મિલકતને રાજ્ય સરકાર દ્વારા એક ખાનગી પાર્ટીને સાવ નજીવા દરે ભાડે આપી દેવામાં આવતા સ્થાનિક સ્તરે અને રાજકીય વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.વર્ષ ૨૦૧૯માં સોમનાથના દરિયાકિનારે વિશાળ જગ્યામાં આ સર્કિટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આધુનિક સુવિધાઓ અને ૫૦ થી વધુ રૂમ ધરાવતા આ ભવનની આજની બજાર કિંમત ૪૦ કરોડ રૂપિયાથી પણ વધુ અંકાય છે.જોકે, આટલી કિંમતી મિલકતને કોઈ પણ મોટા કારણ વગર ખાનગી સંસ્થાને સાવ મામુલી ભાડામાં…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા સોનાની દાણચોરીનું મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. કુઆલાલંપુરથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી ૮૩.૨૯ લાખ રૂપિયાની કિંમતનું ૫૫૩.૦૭ ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ્સ વિભાગે મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.એડવાન્સ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા કરવામાં આવેલા ડેટા એનાલિસિસ અને પ્રોફાઇલિંગના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ૩૦મી માર્ચ ૨૦૨૬ના રોજ કુઆલાલંપુરથી ફ્લાઇટ દ્વારા અમદાવાદ પહોંચેલી આ મહિલા પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને ગ્રીન ચેનલ પર અટકાવવામાં આવી હતી.પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ સંતોષકારક જવાબ ન આપતા તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. મેડિકલ તપાસ…
