દાગીના બનાવવા ભાગીદારનું સોનું લઈ ફરાર થઈ ગયાસુરત, અશ્વિનીકુમાર રોડ પર આવેલી અમર સ્વર્ણ મંદિર જ્વેલર્સમાંથી ઘરેણાં બનાવવા માટે આપેલું રૂ.પ.૦૩ કરોડની કિમતનું સોનું લઈને પેઢી બંધ કરીને નાસી જનારા હીરા ગોલ્ડ પેઢીના ભાગીદાર પાનસુરિયા બંધુઓ સામે અશ્વિનીકુમાર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.વરાછામાં અમર જ્વેલર્સ નામની દુકાન ધરાવતા અલ્પેશ અને નિતેશનો સરથાણામાં રહેતા નીતિન ચિમનભાઈ પાનસુરિયા અને તેના ભાઈ મનિષ સાથે થયો હતો. આ બન્ને ભાઈઓ વરાછા મીનીબજારમાં આવેલા સરદાર આવાસમાં હીરા ગોલ્ડના નામે સોનાના ઘરેણાં બનાવવાનું કામ કરે છે.પોતાના દિકરા સાથે ધંધો કરતા હોવાથી મગનભાઈને તેના પર વિશ્વાસ બેસી જતાં તેમણે આ બંધુઓએ સોનાના ઘરેણાં સમયસર બનાવી આપી…
Author: gujarat
રાજકોટ,સુરત,વડોદરા,અમદાવાદથી ટ્રેનમાં પધારેલા યાત્રિકોનું ઢોલ નગારા,શરણાઈ,ભાતીગળ ગરબાથી સ્વાગતપ્રભાસની ધરતી પર ઊઘડતી ઉષા એ હર હર મહાદેવ,જય સોમનાથના નાદથી સ્ટેશન પરિસર ગુંજી ઉઠ્યુંસોમનાથ, તા. ૮ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહેલ ભારતની આધ્યાત્મિક આસ્થાના પ્રતિક ‘સ્વાભિમાન પર્વ‘અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શિવભક્ત શ્રદ્ધાળુઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત રાજકોટ,સુરત,અમદાવાદ અને વડોદરા જેવા શહેરોથી સોમનાથ આવવા ઇચ્છતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ ટ્રેનોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પવિત્ર સોમનાથધામે આવનારા શ્રદ્ધાળુઓને સુલભ,સુરક્ષિત અને અનુકૂળ મુસાફરી મળી રહે તે માટે સરકાર દ્વારા આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી છે.સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે વેરાવળ રેલવે સ્ટેશન પર વિશેષ સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ શહેરોથી ટ્રેન…
ચાલો ગાંધીનગરના નારા સાથે જિલ્લાના હજારો ખેડૂતોએ પોતાની ન્યાયસંગત માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવા તૈયારીટોલબૂથથી ૨૦ કિમીના વિસ્તારમાં રહેતા ખેડૂતોને ટોલમુક્તિ આપવાની રજૂઆત કરાશે.(પ્રતિનિધિ) હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના ખેડૂતની વિવિધ સમસ્યાઓને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા તા.૧૨ જાન્યુઆરી રોજ ગાંધીનગર ખાતે શક્તિ પ્રદર્શન કરાવાનું આયોજન કરાયું છે ત્યારે સાબરકાંઠા કિસાન સંઘ એકમના અગ્રણીઓએ ગામડાઓમાં રહેતાં ખેડુતોને આ શક્તિ પ્રદર્શન અંતર્ગત ચાલો ગાંધીનગરના નારા સાથે જિલ્લાના હજારો ખેડૂતોએ પોતાની ન્યાયસંગત માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવા તૈયારી દર્શાવી છે.ભારતીય કિસાન સંઘ દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્ય માંગણીઓમાં વડીલોપાર્જીત મિલકતમાં આડી લાઇનના વારસદારોને સ્ટેમ્પ ડયૂટીમાંથી મુક્તિ, ગૌચરની જમીનની માપણી કરી દબાણો દૂર કરવું તેમજ…
સમગ્ર સોમનાથમાં ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ ના નાદ સાથે ડમરૂનો અવાજ ગુંજી રહ્યો હતો, જેણે અત્યંત આધ્યાત્મિક વાતાવરણ ઊભું કર્યું હતું.ગીર સોમનાથ, 9 જાન્યુઆરી : શુક્રવારે ગુજરાતના સોમનાથ જિલ્લામાં દેશભરમાંથી આવેલા ૫૦૦ થી વધુ સાધુ-સંતોએ એક ભવ્ય ‘ડમરૂ રેલી’ માં ભાગ લીધો હતો, જેમાં પવિત્ર વાદ્યોના ગુંજારવથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. સહભાગી સંતોએ આ કાર્યક્રમને ‘મિની કુંભ મેળો’ ગણાવ્યો હતો, જે આ મેળાવડાના વ્યાપ અને આધ્યાત્મિક ઉત્સાહને દર્શાવે છે.More than 500 saints took part in a damru rally in Somnath, with the rhythmic beats of the drums echoing throughout the Somnath and Prabhas regionsવડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સોમનાથ…
Gujarat BJP MLA Letter Bomb: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ વચ્ચે ભાજપના પાંચ ધારાસભ્યોએ લેટર બોમ્બ ફોડ્યો છે. વડોદરા ગ્રામ્યના પાંચ ભાજપ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સામૂહિક પત્ર લખીને જણાવ્યું છે કે અધિકારીઓ તેમનું સાંભળતા નથી. ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કહ્યું છે કે આ સમયે રાજ્યમાં અનેક જગ્યાએ વહીવટી તંત્રની હાલત ખરાબ થઈ ગઈ છે. લોકો સાથે જોડાયેલા કામો આ તંત્ર સુધી પહોંચી જ રહ્યા નથી. ધારાસભ્યોએ કહ્યું કે એક સામાન્ય માણસ માટે સરકારી કચેરીમાંથી પોતાનું નાનું અમથું કામ કરાવવું એ જંગ લડવા જેવું બની ગયું છે. રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઈને તમામ નાના કર્મચારીઓએ પોતાની મનમાની બતાવવાનું શરૂ…
વિદ્યાર્થીઓ અને વિભાગના કર્મીઓ સાથે સીધો સંવાદ કરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યુંઆણંદ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે તેમના આણંદ જિલ્લાના પ્રવાસ દરમિયાન આણંદના નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બસ સ્ટેન્ડમાં ઉપલબ્ધ સુવિધાઓ તથા બસના વિવિધ રૂટ અને તેના આવાગમનના સમય સહિતની બાબતોની જાણકારી મેળવી મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી તેમની જરૂરિયાતોથી માહિતગાર થયા હતા. આ મુલાકાત દરમિયાન આણંદના ધારાસભ્ય શ્રી યોગેશ પટેલે નાયબ મુખ્યમંત્રીશ્રીને નવા બસ સ્ટેન્ડ માટે હાથ ધરવામાં આવનાર વિકાસલક્ષી કામગીરીની ટુંકમાં જાણકરી આપી હતી. તેમજ શ્રી સંઘવીએ આગામી સમયમાં મુસાફરોને આધુનિક સુવિધાઓ મળી…
Somnath Swabhiman Parv 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન 11 જાન્યુઆરીએ સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે. તેઓ 10 જાન્યુઆરીએ ગુજરાત પહોંચશે અને ત્યારબાદ 12 જાન્યુઆરી સુધી રોકાશે. આ દરમિયાન પીએમ મોદી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પણ પ્રારંભ કરાવશે. પીએમ મોદી ઐતિહાસિક સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરશે. તેની સાથે ગાંધીનગરમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ સાથે દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા કરશે. વડાપ્રધાન પોતાના ગૃહ રાજ્યના પ્રવાસ દરમિયાન ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત ‘શૌર્ય યાત્રા’નું નેતૃત્વ કરશે. આ એક કિલોમીટર લાંબી યાત્રા હશે જેમાં 108 ઘોડાઓ સામેલ થશે. વડાપ્રધાન મોદી રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનનું ઉદ્ઘાટન પણ કરશે.આખું વર્ષ કાર્યક્રમોનું આયોજન થશેકેબિનેટ મંત્રી…
અમદાવાદ, શહેરમાં ચોમાસા દરમિયાન મોટાભાગનાં રોડ ઉપર ખાડા પડતાં હોય છે, તે સિવાય પણ સમયાંતરે નાનામોટા ખાડા પડવાની અને રોડની સરફેસ ઘસાઇ જવાની સમસ્યા સર્જાતી હોય છે, તેનાં ઉકેલ માટે મ્યુનિ.ઇજનેર ખાતાએ રોડના ખાડા પૂરવા તેમજ માઇક્રોરિસરફેસ કરવા ૧૩ કરોડનાં કામો રોડ કમિટી સમક્ષ રજૂ કર્યા છે.જોકે તેમાં એક જ કોન્ટ્રાક્ટરને બે મોટા કામો આપવાની દરખાસ્તથી વિવાદ પણ સર્જાયો છે.મ્યુનિ.માંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ચોમાસા સિવાય પણ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ પર ખાડા પડે છે અને તેના કારણે ખાડા પૂરવા, પૈચવર્ક કરવા, રોડ મીલિંગ કરવા, માઈક્રોરિસરફેસ કરવાની નોબત આવે છે.ઉત્તર ઝોનનાં રખિયાલ-સરસપુર વિસ્તારમાં જુદા જુદા મેઈન રોડના ખાડા પૂરવા માટે જેટ…
Earthquake in Rajkot Gujarat: પૂર્વોત્તર રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ ગુજરાતમાં પણ કોઈ અઘટિત ઘટનાની આશંકાએ ફફડાટ ફેલાવ્યો છે. ગુજરાતના રાજકોટમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ૧૨ કલાકમાં ચાર વખત આંચકા આવતા સાવચેતીના ભાગરૂપે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ભૂકંપની તીવ્રતા ૨.૭ થી ૩.૮ ની વચ્ચે રહી હતી. ભૂકંપના કારણે ધરતી ધ્રૂજવા છતાં જાન-માલનું કોઈ નુકસાન થયું નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે ૨૪ કલાકમાં સાત વખત ધરતી કાંપી છે. રાજકોટમાં ધરતી ધ્રૂજવાની આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે રાજ્ય સરકારે એક દિવસ પહેલા જ સોમનાથ મંદિરને લઈને ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની શરૂઆત કરી છે. આ કાર્યક્રમના સિલસિલામાં પીએમ…
અમદાવાદ, શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતી ગત શનિવારે અંબાજી માતાના દર્શન કરવા સારું નીકળ્યા હતા. બીજા દિવસે પાછા આવી રહ્યા હતા ત્યારે તેમની સોસાયટીના ચેરમેને ફોન કરીને જણાવ્યું કે તેમના ઘરમાં ચોરી થઇ છે. બાદમાં વૃદ્ધ દંપતીએ ઘરે પહોંચીને જોતા અંદરના રૂમમાં મુકેલ તિજોરીમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ.૯.૧૩ લાખની મતાની તસ્કરોએ ચોરી કરી હતી.આ અંગે પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઇસનપુર રત્નદીપ સોસાયટીમાં રહેતા વૃદ્ધ દિલીપકુમાર ઠક્કર વ્યવસાયે એલ.આઈ.સી. એજન્ટ છે.ગત તા.૩ જાન્યુઆરીના રોજ વૃદ્ધ તેમની પત્ની અને ડ્રાઈવર સાથે અંબાજી મંદિરે દર્શન કરવા ગયા હતા. બીજા દિવસે સવારે જ્યારે…
