Gujarat DGP Appointment: ગુજરાતના ડીજીપી વિકાસ સહાય છ મહિનાનો વધારાનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ બુધવારે નિવૃત્ત થયા છે. ગાંધીનગરમાં એક સમારોહમાં વિકાસ સહાયને વિદાય આપવામાં આવી હતી. ગુજરાત સરકારે નવા ડીજીપીની જાહેરાત કરી નથી. ૧૯૯૨ બેચના આઈપીએસ અધિકારી ડો. કે.એલ.એન. રાવને ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા છે. તેઓ પૂર્ણકાલીન ડીજીપીની નિમણૂક સુધી કાર્યભાર સંભાળશે. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ની દોડમાં કે.એલ.એન. રાવ ઉપરાંત અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક પણ હતા. સરકાર દ્વારા ડીજીપીની નિમણૂક ન કરવામાં આવતા હજુ સસ્પેન્સ યથાવત છે. સવાલ એ છે કે શું રાવ જ સહાયના ઉત્તરાધિકારી હશે કે પછી મલિક ડીજીપી બનશે.કોણ છે કે.એલ.એન. રાવ?કે.એલ.એન. રાવ ગુજરાત કેડરના…
Author: gujarat
વધુમાં વધુ ખેડૂતો આ પવિત્ર મિશનમાં જોડાય તેવા પ્રયાસો કરીએ: કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીરાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા અર્થે લોકભવન ખાતે બેઠક યોજાઈરાજ્યમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગરમાં લોકભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા કૃષિ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે,લોકોમાં આજે પણ એવી માનસિકતા વ્યાપક છે કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઉત્પાદન ઘટશે અને દેશની ખાદ્ય સુરક્ષા સામે સંકટ ઊભું થશે. પરંતુ આ માન્યતા ભ્રામક છે. પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી;ભ્રમ તોડવો…
સંસ્કૃત પ્રેમીઓ આગામી તા. ૦૭ જાન્યુઆરી,૨૦૨૬ સુધી કરી શકશે ઓનલાઈન નોંધણીGandhinagar, રાજ્યમાં સંસ્કૃત ભાષા,ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાને વધુ પ્રોત્સાહન આપવાના હેતુસર શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના તથા શત સુભાષિત કંઠપાઠ યોજના એટલે કે સંપૂર્ણ ગીતા કંઠપાઠ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સમીક્ષા-પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છુક સંસ્કૃત પ્રેમીઓ અને પ્રતિભાગીઓ તા. ૦૧ જાન્યુઆરીથી તા. ૦૭ જાન્યુઆરી,૨૦૨૬ સુધી રાજ્ય સંસ્કૃત બોર્ડની અધિકૃત વેબસાઇટhttps://grsb.gujarat.gov.in/મારફતે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. વધુમાં,શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શત સુભાષિત કંઠપાઠ યોજનાની માર્ગદર્શિકાhttps://drive.google.com/file/d/1uYof0D6t1lqape–aZFcspirGE2aBtXP/view?usp=drive_linkલિંક પરથી ડાઉનલોડ કરી શકાશે,તેમ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની અખબારી યાદીમાં જણાવાયું છે.આ પરીક્ષામાં ભાગ લેનાર પ્રતિભાગીઓના કંઠસ્થ શ્લોકોની અને…
23 ટ્રેનોના મુસાફરી સમયમાં 5 મિનિટથી લઈને 40 મિનિટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો-85 ટ્રેનોની ગતિ વધારવામાં આવી છેઅમદાવાદમંડળનાવિવિધસ્ટેશનોપરથીચાલતી/પસાર થતીટ્રેનોનાસમયમાંફેરફારપશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર આવનારી 01 જાન્યુઆરી, 2026થી નવી સમયસૂચિ અમલમાં મૂકવામાં આવી રહી છે. તેમાં કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી રહી છે, જેના પરિણામે આ ટ્રેનો પોતાની વર્તમાન નિર્ધારિત સમય પહેલાં જ ગંતવ્ય પર પહોંચશે.આ વખતે અમદાવાદ મંડળમાંથી પસાર થતી 85 ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે તેમજ 23 ટ્રેનોના મુસાફરી સમયમાં 05 મિનિટથી લઈને 40 મિનિટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રેનોની ગતિ વધારવાના પરિણામે મુસાફર ટ્રેનોના સંચાલન સમયમાં ઘટાડો થયો છે. તેનો સંપૂર્ણ લાભ મુસાફરોને મળશે અને તેઓને પોતાના…
એક વિશિષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઔદ્યોગિક વિકાસનું નવું કેન્દ્રમોરબીથી વૈશ્વિક બજારો સુધી:VGRCરાજકોટ ખાતે એડવાન્સ્ડ સિરામિક્સમાં વ્યૂહાત્મક રોકાણની તકોજાંબુડિયા-પાનેલી ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC)દ્વારા આગામી સમયમાં ઇન્ટિગ્રેટેડ સિરામિક પાર્ક વિકસિત કરવામાં આવશે,જેને રાજ્યના ઔદ્યોગિક ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ તરીકે જોવામાં આવે છે. આ મહત્વપૂર્ણ પહેલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના વિઝનને સાકાર કરતી દિશામાં એક સશક્ત પગલું છે.GIDCઇન્ટિગ્રેટેડ સિરામિક પાર્ક ગુજરાતના ઉત્પાદન ક્ષેત્રના ભવિષ્યને મજબૂત આધાર આપશે.જાંબુડિયા–પાનેલી ખાતેGIDCનો વ્યૂહાત્મક ઔદ્યોગિક વિકાસગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC)દ્વારા મોરબી–રાજકોટ ઔદ્યોગિક પટ્ટામાં જાંબુડિયા–પાનેલી ખાતે વિકસિત થઈ રહેલો ઇન્ટિગ્રેટેડ સિરામિક પાર્ક આશરે1050એકર વિસ્તારને આવરી લેશે. આ પાર્ક વિશ્વવિખ્યાત મોરબી સિરામિક ક્લસ્ટરની નજીક…
રેવા ગ્રામ એ સેવા ધામ બની રહેશેઃ જગદીશ ત્રિવેદીજાણીતા હાસ્યકાર, વિરલ દાતા, લેખક પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ આત્મન ફાઉન્ડેશન સંચાલિત રેવા ગ્રામની મુલાકાત લીધીગાંધીનગર, પદ્મશ્રી એવોર્ડથી વિભૂષિત, જાણીતા હાસ્ય કલાકાર, લેખક અને અનેક સંસ્થાઓને વિરલ દાનથી મદદ કરનાર જગદીશ ત્રિવેદીએ તાજેતરમાં રેવા ગ્રામ સેવા સંકુલની મુલાકાત લીધી હતી. આત્મન ફાઉન્ડેશન દ્વારા અંબોડ નજીક રેવા ગ્રામ સેવા સંકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેઓએ રસપૂર્વક સંસ્થાની પ્રવૃત્તિઓ જાણી હતી તથા આખા પરિસરની મુલાકાત લીધી હતી.ગ્રામભારતી સંસ્થાના વિદ્યાર્થીઓ, નજીકની શાળાના શિક્ષકો- વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને ભાવકો સાથે આત્મીયતાથી જગદીશભાઈએ વાર્તાલાપ કર્યો હતો. બાળકો, વિદ્યાર્થીઓ અને મોટેરાઓ માટે તેમણે જુદી જુદી પ્રેરક પ્રસંગકથાઓ કહી હતી.ગુરુ…
કેટલીક નોટો પર સ્પષ્ટપણે ‘ચિલ્ડ્રન બૅંક’ લખેલું હતું, તેમ છતાં તે બૅંકિંગ સિસ્ટમ સુધી પહોંચી ગઈ હતી. કેટલીક નોટો હાઇ-ક્વોલિટી કલર ઝેરોક્ષ જેવી જણાતી હતી. અમદાવાદમાં નકલી નોટોનું મોટું કાવતરુંઃ ૧૭ બૅન્કમાંથી પાંચ લાખથી વધુની ફેક કરન્સી જમા(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ભારતીય ચલણને નબળું પાડવાનું એક ગંભીર કાવતરું સામે આવ્યું છે. શહેરની રિઝર્વ બૅન્ક આૅફ ઇન્ડિયા સહિતની ૧૭ જેટલી સરકારી અને ખાનગી બૅન્કોમાં મોટા પ્રમાણમાં નકલી નોટો જમા થઈ હોવાનો સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે. આ મામલે અમદાવાદ એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ) ક્રાઇમ બ્રાંચે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચને મળેલી માહિતીના આધારે વિવિધ બૅંકોમાં જમા થયેલી…
Hemang Joshi BJP Career: લોકસભા ચૂંટણી 2024માં ભાજપે તત્કાલીન સાંસદ રંજનબેન ભટ્ટને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ જ્યારે તેમને ત્રીજી વખત ટિકિટ મળવાનો વિરોધ થયો ત્યારે ભાજપે ટિકિટ કાપવી પડી હતી. આવી સ્થિતિમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ હેમાંગ જોષીની લોટરી લાગી ગઈ હતી. વડોદરા ગુજરાતમાં ભાજપનો અભેદ ગઢ હોવાથી ટિકિટ મળતાની સાથે જ હેમાંગ જોષીની જીત નિશ્ચિત થઈ ગઈ હતી. આ જ કારણ હતું કે ચૂંટણીના પરિણામો આવતા પહેલા જ તેમના કાર્યાલયનું નિર્માણ પણ શરૂ થઈ ગયું હતું. હવે જ્યારે ગુજરાતમાં ભાજપે નવી ટીમની જાહેરાત કરી, ત્યારે હેમાંગ જોષી રાજકારણના નવા ‘ધુરંધર’ બનીને ઉભર્યા છે.…
(એજન્સી)ગાંધીનગર, ઉત્તરાયણ નજીક આવતા જ ગુજરાતમાં ચાઈનીઝ દોરીનો વેપલો વધ્યો છે. હાઈકોર્ટેના કડક વલણ બાદ પોલીસની ટીમો રાજ્યભરમાં ચાઈનીઝ દોરી વેચતા લેભાગુ તત્વોને ઝડપી લેવા દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે ગાંધીનગરના માણસાના બિલોદરામાંથી ચાઈનીઝ દોરીની ૯૬૦ રીલ જપ્ત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત ૨.૮૮ લાખ આંકવામાં આવી છે. વેપારી ખેતરમાં વાવેલા એરંડાની આડમાં ચાઈનીઝ દોરીને સંતાડી તેનું વેચાણ કરતો હતો.માણસા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે બિલોદરા ગામનો દલપુજી ઠાકોર નામનો ઈસમ મહેસાણા-હિંમતનગર હાઈવે પર આવેલા ચડાસણા તરફ જતા રોડ પાસે આવેલા સર્વે નંબર ૩૬૧ વાળા ખેતરમાં ચાઈનીઝ દોરીનું બેફામ વેચાણ કરે છે.…
Indian Post My Stamp: રાજકારણમાં સ્વપ્રસિદ્ધિ માટે નાટક થવું નવી વાત નથી, પરંતુ હવે આ વૃત્તિ કેટલાક અખબારોમાં પણ જોવા મળી રહી છે. કચ્છમાંથી પ્રકાશિત થતું એક અખબાર તાજેતરમાં સતત પોતાની હાજરી બતાવવા માટે અતિશયોક્તિભર્યા પ્રચારમાં ઉતર્યું છે. રોજબરોજ મોટા ફોટા અને વધારાની વાતો સાથે પ્રથમ પાનું ભરવાનું વલણ હવે ચર્ચાનું કારણ બન્યું છે. તાજી ઘટના એનું જીવતું ઉદાહરણ બનીને સામે આવી છે.સ્વર્ગવાસી ઉદ્યોગપતિના નામે ભ્રામક રજૂઆતતાજેતરમાં આ અખબારે પોતાના પૂર્વ ચેરમેન અને જાણીતા ઉદ્યોગપતિના નામે એક ઘટનાને અતિમહત્વપૂર્ણ બનાવવાનો પ્રયાસ કર્યો. પ્રથમ પાના પર આઠ કોલમમાં એવી રીતે સમાચાર છપાયા કે જાણે ભારત સરકારે સત્તાવાર ટપાલ ટિકિટ બહાર પાડી…
