(એજન્સી)ગાંધીનગર , ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીના પટમાંથી રેતી ચોરનારા ભૂમાફિયા તત્વોની દાદાગીરી વકરી રહી હોય તેવો ચોંકાવનારો બનાવ ૧૦ નવેમ્બરના રોજ ગાંધીનગર-કલોલ હાઇવે પર બન્યો હતો.ખાણ ખનીજ વિભાગના મહિલા અધિકારીને ઘેરી લઇ ધમકી આપી ગેરકાયદે રીતે રેતી ભરેલું ડમ્પર છોડાવી ગયા હોવાની ઘટના અંગે કલોલ તાલુકા પોલીસે ૬ આરોપીઓને ઝડપી લીધા છે અને તેમની પાસેથી ૩૫.૪૫ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગર મદદનીશ ભૂસ્તર વિભાગની કચેરીમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા દેવયાનીબા મહેન્દ્રસિંહ જાડેજા ૧૦ નવેમ્બરના રોજ તેમની ટીમ સાથે ગાંધીનગર-છત્રાલ હાઇવે પર રૂટિન ચેકિંગમાં હતા. તે દરમિયાન તેમણે એસીયન ટ્યુબ્સ પ્રાઇવેટ લીમીટેડના ગેટ પાસે…
Author: gujarat
તમામ પ્રભારી મંત્રીઓને પોતાના પ્રભારી જિલ્લામાં રાજ્યના માર્ગોની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થળ સ્થિતિનો વિગતવાર અહેવાલ તૈયાર કરવા સૂચના આપી હતી.ગાંધીનગર, રાજ્યમાં રસ્તાઓની બગડેલી સ્થિતિ અંગે મુખ્યમંત્રી અત્યંત ગંભીર બની ગયા છે. તાજેતરમાં યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને કડક સૂચનાઓ આપી છે કે રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામોમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહી આવે.ખાસ કરીને તાજેતરમાં બનેલા નવા રસ્તાઓ જો ઓછા સમયમાં તૂટી ગયા હોય અથવા નુકસાન પામ્યા હોય તો તેમના જવાબદાર કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને સંબંધિત સંસ્થાઓ સામે તાત્કાલિક પગલાં લેવા માટે હુકમ કરવામાં આવ્યો છે.રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં માર્ગોની સ્થિતિ અંગે મુખ્યમંત્રીએ સમીક્ષા કરી…
૧૮ નવેમ્બરથી ૧૬ જાન્યુઆરી સુધી અમલમાં રહેનારા આ નિર્દેશ મુજબ તમામ ગેરેજોને વાહનો અને તેમના માલિકોના વિગતવાર રેકોર્ડ જાળવવા અને તેમના પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે.અમદાવાદ, દિલ્હીના લાલ કિલ્લા નજીક તાજેતરમાં બનેલી કાર-બોમ્બ ઘટનાના પગલે અમદાવાદના પોલીસ કમિશનરે ગેરેજ માલિકોને વાહનોના રેકોર્ડ રાખવા અને સીસીટીવી કેમેરા લગાવવા માટે ફરજિયાત આદેશ જારી કર્યો છે.અમદાવાદ સિટી પોલીસ કમિશનરેટ દ્વારા તાજેતરમાં લેવાયેલા એક કડક પગલામાં શહેરના તમામ વર્કશોપ્સ, ગેરેજો અને સર્વિસ સ્ટેશનોના સઘન મોનિટરિંગ માટે એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ નિર્ણય પર દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર-બોમ્બ વિસ્ફોટની ઘટનાની ગહન અસર જોવા મળી રહી છે.૧૮ નવેમ્બરથી ૧૬…
(એજન્સી)ગાંધીનગર, ટેકાના ભાવે રાજ્યના ૭૦,૦૦૦ થી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૧,૧૭૭ કરોડના મૂલ્યની ૧.૬૨ લાખ મેટ્રીક ટનથી વધુ મગફળી ખરીદાઈ છે. રૂ. ૧૦,૦૦૦ કરોડના કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય મેળવવા આજસુધીમાં ૧૦ લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હોવાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.સપ્ટેમ્બર-૨૦૨૫ના કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા પણ પાંચ અસરગ્રસ્ત જિલ્લાના ૧.૨૫ લાખ ખેડૂતોએ અરજી કરી હતી. કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ચાલી રહેલી ટેકાના ભાવે મહફળીની ખરીદી તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા બે કૃષિ રાહત પેકેજ સંદર્ભે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી.આ સંદર્ભે પ્રેસ-મીડિયાને માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અત્યાર…
સ્કૂલોના ખાતાકીય ઓડિટને લઈને ૨૯ નવેમ્બર સુધી મુદત લંબાવવામાં આવી(એજન્સી)અમદાવાદ, શહેરની સ્કૂલ ખાતાકીય ઓડિટમાં ઉદાસીનતા દાખવી રહી હોવાનું જાણવા મળે છે. અમદાવાદ શહેરની ૧૯૫ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોનું ૨૦૨૨-૨૩ સુધીનું ઓડીટ બાકી હોવાથી શહેર DEO દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જોકે, કેમ્પમાં પણ માત્ર ૨૦થી ૨૨ જેટલી સ્કૂલોએ જ ઓડીટ કરાવવાની તસ્દી લીધી હતી. જ્યારે ૧૪૦ કરતા વધુ સ્કૂલોએ ઓડીટ કરાવ્યું ન હતું. આમ, અનેક સ્કૂલનું ઓડીટ બાકી રહેતા ૨૯ નવેમ્બર સુધી તારીખ લંબાવવામાં આવી છે.જેથી બાકી રહેલી સ્કૂલો માટે કેમ્પનું આયોજન કરાશે. આ કેમ્પમાં હાજર ન રહેનારી સ્કૂલોની ગ્રાન્ટ અટકાવવાની ચિમકી આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ…
(એજન્સી)છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને એપીએમસીના ચેરમેન મુકેશ પટેલનું બુધવારે હાર્ટ એટેકથી દુઃખદ નિધન થયું છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે નગરમાં આયોજિત તિરંગા યાત્રાના સમાપન સમયે જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો.તેમના આકસ્મિક નિધનથી સમગ્ર જિલ્લાના રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી ફરી વળી છે. સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે છોટાઉદેપુર નગરના ઝંડા ચોકથી ઘેલવાંટ સુધી ૬ કિલોમીટરની તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ભાજપના પૂર્વ મહામંત્રી અને ઉચ્ચતર માધ્યમિક સંઘના પ્રમુખ એવા મુકેશ પટેલ પણ આ પદયાત્રામાં પૂરા ઉત્સાહ સાથે જોડાયા હતા. યાત્રા ઘેલવાંટ ખાતે પૂર્ણ થઈ, તે સમયે જ મુકેશ પટેલની તબિયત અચાનક…
લાજપોર જેલના જેલરના નામે ધમકી આપનાર ઈસનપુરમાંથી ઝડપાયો -અગાઉ છ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાયેલી હોવાનું ખૂલ્યું(એજન્સી)અમદાવાદ, અડાજણ બ્લેકમેઈલિંગ કેસના આરોપીના પરિવારજનોને લાજપોર જેલના જેલર તરીકે ઓળખ આપીને શખ્સે વીઆઈપી સુવિધા આપવાનું કહીને પૈસા માંગી તેમજ ધાકધમકીઓ આપી હતી.આ સમગ્ર ઓડિયો રેકોર્ડીંગ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે પરિવારજનોએ સુરતમાં ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ ઝોન ર એલસીબીએ બાતમીના આધારે નકલી જેલરને પકડી પાડીને સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. જો કે, આરોપી વિરૂદ્ધમાં અગાઉ ૬ ફરિયાદો નોંધાયેલી છે અને તે અનેક વખત નકલી અધિકારી બનીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી ચૂકયો છે.અડાજણ બ્લેકમેઈલિંગ કેસમાં સંડોવાયેલા શખ્સ હાલમાં લાજપોર…
અમદાવાદ (પ્રતિનિધિ) શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વટવા વિસ્તારમાં JNRUMની ગ્રાન્ટમાંથી ચાર માળિયા મકાનો બનાવવામાં આવેલા છે. આ મકાનો સાબરમતી રિવરફ્રન્ટના વિસ્થાપિત સહિતના લોકોને ફાળવવામાં આવ્યા હતા.મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ એસ્ટેટ સેલ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે તે વટવા ચાર માળિયા મકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 285 જેટલા લોકો ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું સામે આવ્યું છે.આ મકાનોમાં નોટિસ આપવામાં આવી હોવાનું આજે મળેલી હાઉસિંગ કમિટીમાં અધિકારીએ જણાવ્યું હતું જો કે આ મકાનમાં માત્ર સર્વે જ કરવામાં આવ્યો છે કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી. હાઉસિંગ અને એસ્ટેટ વિભાગના અધિકારીઓએ ભાજપના સત્તાધીશોને ગેરમાર્ગે દોર્યા હોવાનું સામે આવ્યું છે.હાઉસિંગ કમિટીના ભાજપના ચેરમેન…
કોપનહેગેનાઇઝ ઇન્ડેક્સ 2025ના રિપોર્ટઅમદાવાદ (પ્રતિનિધિ) :વિશ્વના સાયકલિંગ ફ્રેન્ડલી શહેરોના મુલ્યાંકન માટે કામ કરતી અગ્રણી સંસ્થા કોપનહેગેનાઇઝ ઇન્ડેક્સ 2025 – EIT અર્બન મોબિલિટી એડિશને પોતાનો નવો રિપોર્ટ આ વર્ષે જાહેર કર્યો છે, જેમાં વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદને વિશ્વના ટોપ 100 ‘સાયકલ ફ્રેન્ડલી’ શહેરોની યાદીમાં સ્થાન મળ્યું છે. વિશ્વના શહેરોની પ્રાથમિક પસંદગી બાદ 100 શહેરોની ગ્લોબલ યાદી તૈયાર કરવામાં આવી હતી,જેમાં અમદાવાદનો સમાવેશ થવો શહેરની સાયકલિંગ નીતિઓ અને વધતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વૈશ્વિક માન્યતા તરીકે જોવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સતત પ્રયાસો અને નાગરિકોના સહકારથી અમદાવાદને વિશ્વના સાયકલિંગ ફ્રેન્ડલી રેન્કિંગમાં સ્થાન પ્રાપ્ત થયું છે, આ સાથે સાયકલિંગ માટેનું અમદાવાદનું…
આ તસ્કરો મંદિરના તાળા તોડીને રોકડ રકમ તેમજ દાનપેટી ઉઠાવીને ફરાર થયા હતાઅમરેલી, અમરેલી જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ જણાઈ રહ્યું છે. અમરેલીના લીલીયામાં તસ્કરોનો ત્રાટક્્યા હતા. આ તસ્કરોએ સુપ્રસિદ્ધ અંટાળેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરી હતી. આ તસ્કરોએ ૫ મંદિરોમાં ચોરી કરી છે. આ તસ્કરો મંદિરોમાંથી દાનપેટી ઉઠાવી પલાયન થઈ ગયા હતા. આ તસ્કરો મંદિરના તાળા તોડીને રોકડ રકમ તેમજ દાનપેટી ઉઠાવીને ફરાર થયા હતા. આ સમગ્ર ચોરી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.અમરેલીના લીલીયામાં તસ્કરોએ તરખાટ મચાવતા સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટના ૧૭ નવેમ્બરની મોડી રાત્રે અમરેલી જિલ્લા સહિત સુપ્રસિદ્ધ અંટાળેશ્વર મહાદેવ…
