VGRCકચ્છ અને સૌરાષ્ટ્રને ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસના ઉભરતા કેન્દ્રો તરીકે પ્રદર્શિત કરશેVGRCસિરામિક્સ,એન્જિનિયરિંગ,બંદરો અને લૉજિસ્ટિક્સ,મત્સ્યોદ્યોગ, પેટ્રૉકેમિકલ્સ,કૃષિ અને ફુડ પ્રોસેસિંગ,ગ્રીન એનર્જી અને પ્રવાસન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશેકચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે યોજાનારી દ્વિતીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સમાં (VGRC)કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઝડપથી વિકસી રહેલી આર્થિક,ઔદ્યોગિક અને સાંસ્કૃતિક તકોને રજૂ કરવામાં આવશે.VGRCના લીધે આ પ્રદેશોમાં રોકાણ ઝડપથી વધી રહ્યું છે,જે ગુજરાતને મજબૂત,સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ તરફ આગળ વધવામાં મદદ કરશે. આ કૉન્ફરન્સમાં સિરામિક્સ,એન્જિનિયરિંગ,બંદરો,લૉજિસ્ટિક્સ,મત્સ્યોદ્યોગ,પેટ્રૉકેમિકલ્સ,કૃષિ અને ફુડ પ્રોસેસિંગ,ખનિજો,ગ્રીન એનર્જી,કૌશલ્ય વિકાસ,સ્ટાર્ટઅપ્સ, MSME,પ્રવાસન અને સંસ્કૃતિ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિકાસની તકોને પ્રકાશિત કરવામાં આવશે. નીતિગત સહયોગ અને વ્યૂહાત્મક ભાગીદારી સાથે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઔદ્યોગિક વિકાસને ઝડપી બનાવવાની સાથે…
Author: gujarat
કોઇ સમાજના આગેવાનોએ સામેથી સંપર્ક કરી પરીવારજનોને અંગદાન માટે સમજાવ્યા હોય તેવો પહેલો કિસ્સો :- ડો. રાકેશ જોષી તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ અમદાવાદગુજરાતના છેવાડાના જીલ્લા કચ્છના અનુસુચિત જાતિના મહેશ્વરી મેઘવાલ સમાજના આગેવાનો એ બ્રેઇન ડેડ દર્દી ના પરીવારજનોને અંગદાન માટે સમજાવી તમામ જાતિના આગેવાનો માટે દ્રષ્ટાંત પુરુ પાડ્યુદરેક સમાજના લોકો અંધશ્રધ્ધા, જુની માન્યતાઓ અને ખોટી રૂઢીગત પરંપરાઓમાંથી બહાર આવી દેશ અને સમાજના ભલા માટે આગળ આવે તે જરૂરી :- મહેશ્વરી સમાજના આગેવાન નવીનભાઇ હિંગણા, પુંજા ભાઇ માંગલીયા અને અન્ય આગેવાનોઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કચ્છ જિલ્લાના વતની બ્રેઇન ડેડ થતા અંગદાન થયું. જે સિવિલ હોસ્પિટલમાં થયેલ 221 મું અંગદાન હતું. સિવિલ હોસ્પિટલમાં…
GCCI દ્વારા ITCFSAN અને FSSAI (પશ્ચિમ ક્ષેત્ર) ના સહયોગથી ‘Repurpose Used Cooking Oil (RUCO)’ પર વિશેષ તાલીમ સત્રનું આયોજન.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ઇન્ટરનેશનલ ટ્રેનિંગ સેન્ટર ફોર ફૂડ સેફ્ટી એન્ડ ન્યુટ્રિશન (ITCFSAN) અને FSSAI (પશ્ચિમ ક્ષેત્ર) ના સંયુક્ત ઉપક્રમે બુધવાર, ૧૯મી નવેમ્બર ૨૦૨૫ ના રોજ GCCI ના એ.એચ. હોલ ખાતે ‘Repurpose Used Cooking Oil (RUCO)’ (વપરાયેલા ખાદ્ય તેલનો નિકાલ અને રિસાયકલીંગ) પર એક વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય FSSAI ના નિર્દેશો અનુસાર વપરાયેલા કુકિંગ ઓઈલના સુરક્ષિત હેન્ડલિંગ, મોનિટરિંગ અને પુનઃઉપયોગ અંગે ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં જાગૃતિ લાવવાનો અને ક્ષમતા નિર્માણ કરવાનો…
વાર્ષિક ૧૦.૪૨ લાખ મે. ટનથી વધુ મત્સ્ય ઉત્પાદન સાથે ગુજરાત બન્યું દેશની બ્લૂ ઇકોનોમીમાં યોગદાન આપતું અગ્રણી રાજ્યØગુજરાતમાં ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૧ લાખ મે. ટનથી વધુ મત્સ્ય ઉત્પાદન થવાનો પ્રાથમિક અંદાજભારત અને ગુજરાત સરકારના સહિયારા પ્રયાસોથી રાજ્યમાં ‘બ્લૂ ક્રાંતિ’ સાકાર થઈ: મત્સ્યોદ્યોગ મંત્રીદર વર્ષે ૨૧ નવેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં‘વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ‘ની ઉજવણી કરવામાં આવે છે. ભારત જેવા વિશાળ દરિયાઈ સીમા ધરાવતા દેશ માટે આ દિવસનું વિશેષ મહત્વ છે,અને તેમાંય જ્યારે વાત ગુજરાતની હોય,ત્યારે આ ઉજવણી વધુ‘ગૌરવપૂર્ણ‘બની જાય છે.દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય હોવાથી ગુજરાતને ભારતના મત્સ્ય ઉદ્યોગનું‘પાવરહાઉસ‘માનવામાં આવે છે. મત્સ્ય ઉત્પાદનના ક્ષેત્રે ગુજરાત આજે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે…
પાલનપુર, કેન્દ્રીય નાર્કાેટિક્સ બ્યુરો દ્વારા પાલનપુરમાંથી સાતેક દિવસ અગાઉ એન્ડી ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક સમીક્ષા મોદી અને સુનિલ મોદી પતિ-પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. રિમાન્ડ દરમિયાન મોદી દંપતિએ પાલનપુરના ગોડાઉનમાં પ્રતિબંધિત દવાઓનો જથ્થો હોવાનું કબૂલ્યું હતું. જેથી નાર્કાેટિક્સ બ્યુરોની ટીમે ગોડાઉનમાંથી પ્રતિબંધિત દવાઓનો જથ્થો જપ્ત કર્યાે હતો.૨૦૨૪માં ધાનેરા અને થરાદ વિસ્તારમાં કેન્દ્રીય નાર્કાેટિક્સ બ્યુરોએ રેડ કરીને કરોડોની પ્રતિબંધિત દવાઓ જપ્ત કરી હતી તેમજ આ દવાઓ વેચતા બે જણાની અટકાયત કરી હતી. જ્યારે દવા બનાવતી કંપનીના માલિક દંપતી ફરાર હતું.આ દંપતીની ૬ દિવસ પહેલાં જ ગાંધીનગરથી અટકાયત કરવામાં આવી હતી. પકડાયેલા દંપતી સમીક્ષા મોદી અને સુનિલ મોદીએ રિમાન્ડ દરમિયાન પાલનપુરના ગોડાઉનમાં પ્રતિબંધિત…
મહેસાણા, કડી તાલુકાના નંદાસણની ૩ માસની બાળકીને આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન આપ્યાના ત્રીજા દિવસે ચકામાં પડી જવા સહિત લોહી નીકળેલી હાલતમાં આકસ્મિક મોત નીપજ્યું હતું. એક સાથે છ વેક્સિન આપી હોવાથી બાળકીનું મોત થયું હોવાના આક્ષેપ પરિવારજનોએ કરતાં પેનલ પીએમ સહિતની તપાસ હાથ ધરાઈ છે.નંદાસણ ગામે અકબરી મસ્જિદ પાછળ રહેતા તોસીફભાઈ અયુબશા ફકીર સહિત પરિવારજનો તેમની ૩ માસની મૃત પુત્રીના મૃતદેહ સાથે શુક્રવારે મહેસાણા સિવિલમાં આવ્યા હતા.તોસીફભાઈએ જણાવ્યું હતું કે, ૩ માસની પુત્રીને લઈને તેઓ બુધવારે નંદાસણના સરકારી આરોગ્યમાં ગયા હતા. તેણીને અગાઉની પણ રસીઓ આપવાની બાકી હોવાથી હાજર સ્ટાફે બે પગે બે, બે હાથે બે ઈન્જેક્શનથી રસી આપી હતી અને…
અમદાવાદ, આગામી અઠવાડિયા દરમિયાન આવનાર ચક્રવાતની અસરને કારણે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાના યોગ છે. ડિસેમ્બરમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની વકી હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં હાલ લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રીની આસપાસ નોંધાય છે. મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રીની આસપાસ રહે છે.આમ બેવડી ઋતુનો અહેસાસ લોકો કરી રહ્યાં છે. જેના કારણે લોકો રોગના ભોગ બની રહ્યાં છે. શુક્રવારે ૧૨.૨ ડિગ્રી સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. અમદાવાદનું તાપમાન સામાન્ય વધી ૧૬.૫ ડિગ્રી રહ્યું હતું.મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રીની આસપાસ રહેતા પરોઢે ફૂલગુલાબી ઠંડક વર્તાઇ હતી. નિવૃત્ત હવામાન વૈજ્ઞાનિકની આગાહી મુજબ, ૧૯ નવેમ્બર…
અમદાવાદ, ખોખરામાં બાળકોને રમવાની બાબતમાં દંપતિ સાથે તકરાર કરી હતી અને યુવકની પત્નીને ધક્કો મારી નીચે પાડી દીધા પછી યુવકને લાકડીના ફટકા મારીને લોહી લુહાણ કર્યાે હતો. આ બનાવમા મહિલાએ ભત્રીજાને ઘરે જા શું કરવા ચોકમાં રમે છે કહેતા મારા મારી થઇ હતી. આ બનાવ અંગે ખોખરા પોલીસે પડોશમાં રહેતી મહિલા સહિત ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પડોશીએ મહિલાને યુવકની પત્ની ધક્કો મારી નીચે પાડયા ઃ લાકડીઓ મારતા યુવક લોહી લુહાણ ખોખરા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધ્યોખોખરામાં રામજી મંદિર સામે રહેતા યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક તથા મહિલા સહિત ચાર વ્યક્તિ સામે ફરિયાદ…
અમદાવાદ , હિમાલયા મોલમાં આવેલા ડોમિનોઝ પીઝા સહિત ત્રણ એકમોને સીલ મારવામાં આવ્યા છે. જાહેરમાં ગંદકી કરવા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ આ ત્રણ એકમો સીલ કરાયા છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧૬૭ એકમોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ગંદકી અને ન્યૂસન્સ બદલ ૯૪ એકમોને નોટિસ ઈશ્યુ કરાઈ છે.આ ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂ. ૮૫ હજારનો દંડ વસૂલ કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વોર્ડમાં જાહેર માર્ગાે પર ગંદકી કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચતા ફેરિયા, પાનના ગલ્લાં, ચાની કીટલી, પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ,…
Sandesara case supreme court: મોટા નાણાકીય ગોટાળાથી જોડાયેલા સ્ટર્લિંગ બાયોટેક મામલામાં સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. જાહેરક્ષેત્રની બેન્કો અને સપ્લાયર્સના આશરે 18000 કરોડ રૂપિયા ડૂબાડનાર નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાની 5100 કરોડ રૂપિયા 30 દિવસમાં જમા કરાવવાની દરખાસ્ત સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્વીકારી લીધી છે. આ ચુકાદાથી રાજકીય અને આર્થિક ક્ષેત્રમાં મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે એટલા ભારે ડિફોલ્ટ સામે ઓછી રકમ જમા કરીને મુક્તિ મળે તે મુદ્દો ચર્ચામાં રહ્યો છે. સાંડેસરા કેસમાં અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું.18000 કરોડ સામે 5100 કરોડનો પ્રસ્તાવ અને સુપ્રીમ કોર્ટની શરતકોર્ટને મૂકવામાં આવેલી દરખાસ્ત…
