Author: gujarat

(એજન્સી)વડતાલ, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય પાવનધામ વડતાલ ખાતે આજે સોમવારે ૧૫મી ડિસેમ્બરના રોજ સુફલા એકાદશીના શુભ દિવસે શ્રી સ્વામિનારાયણ મહામંત્રના ૨૨૪મા પ્રાગટ્યોત્સવની ધામધૂમપૂર્વક અને દિવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી હતી.આ અવસર પર સવારે ૭ વાગ્યાથી લઈને સાંજના ૭ વાગ્યા સુધી અખંડ મહામંત્રની ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો જોડાયા હતા. ઉત્સવના પ્રારંભે મંદિર પરિસરમાં ગોઠવવામાં આવેલા પૂજન મંચ પર શ્રી હરિકૃષ્ણમહારાજની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી.પૂ. લાલજી સૌરભપ્રસાદજી મહારાજે શ્રી હરિ તથા મહામંત્રનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું અને મહામંત્રનો મહિમા સમજાવ્યો હતો. સંતોના હાથે ઠાકોરજી અને મહામંત્રની આરતી ઉતારવામાં આવી હતી, ત્યાર બાદ…

Read More

ગુજરાતની ભૂમિએ એકવાર ફરીથી એક એવી વિલક્ષણ પ્રતિભા આપી છે, જે ન માત્ર શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં, પરંતુ નવોત્પાદન અને વૈશ્વિક નેતૃત્વમાં પણ પોતાનું અસાધારણ યોગદાન આપી રહ્યા છે.ધ્યેય ધર્મેન્દ્રકુમાર માવાણી મૂળભૂત રીતે ગુજરાતના જૂનાગઢના વતની છે. તેમણે અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થા એમહર્સ્ટ કોલેજમાંથી કોમ્પ્યુટર સાયન્સ, ગણિત અને આંકડાશાસ્ત્રમાં ત્રણ વિષયોમાં (ટ્રિપલ મેજર) અંગ્રેજી ડિસ્ટિન્ક્શન સાથે સર્વોચ્ચ સન્માન સાથે સ્નાતક થયા છે. તેમણે પોતાની સંપૂર્ણ કારકિર્દીમાં $3$ કરોડથી વધુની (INR) આંતરરાષ્ટ્રીય સ્કોલરશિપ મેળવીને પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.સંશોધનમાં અસાધારણ સિદ્ધિઓ (ડબલ ઑનર્સ થીસીસ)ધ્યેય માવણીએ ગણિત અને આંકડાશાસ્ત્ર એમ બંને ક્ષેત્રોમાં બે અસામાન્ય ઑનર્સ થીસીસનું સંયોજન કર્યું છે, જે એક દુર્લભ બાબત…

Read More

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના સિંધુભવન રોડ પર ચાલી રહેલા શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન માનવીય સંવેદના અને ઈમાનદારીનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું, જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની સતર્કતા અને જવાબદારીના કારણે અંદાજે રૂ. ૨.૫૬ લાખ કિંમતનું ગુમ થયેલું સોનાનું મંગળસૂત્ર તેના મૂળ માલિકને સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવ્યું હતું.વાત એમ છે કે, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં સવારે હેલ્પ ડેસ્ક પર ફરજ બજાવી રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષ વિભાગ (ઉત્તર પશ્ચિમ ઝોન)ના કર્મચારી શ્રી નિલકંઠપુરી ગૌસ્વામી અને હેતલબેન છોટીયા સફાઈની તપાસ અને વ્યવસ્થા જોવા માટે વિસ્તારમાં નીકળ્યા હતા.આ દરમિયાન સોનાનું મંગળસૂત્ર મળ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂપિયા ૨.૫૬ લાખ હોવાનું જાણવા મળ્યું. બંને કર્મચારીઓએ…

Read More

Gujarat Farmers Crop Damage: ૧ એપ્રિલ ૨૦૨૫થી ૩ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ગુજરાતમાં પડેલા ભારે કમોસમી વરસાદથી ખેતીને મોટું નુકસાન થયું હોવા છતાં સંસદમાં તેની વિગતો શૂન્ય દર્શાવવામાં આવી છે. આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર ડૉ. મનિષ દોશીએ ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમના કહેવા મુજબ, જો કેન્દ્ર સરકારને વાસ્તવિક આંકડા મોકલવામાં આવ્યા હોત તો વધારાની કેન્દ્રીય સહાય મળવાની શક્યતા હતી. નુકસાન શૂન્ય દર્શાવાતા ખેડૂતો માટે મળનારી રાહતની તક ગુમાઈ છે. આ સ્થિતિ રાજ્ય સરકારની નિષ્ક્રિયતાને ઉજાગર કરે છે તેવી ટીકા કરવામાં આવી છે.કમોસમી વરસાદે તૈયાર પાકોને કર્યો વ્યાપક નાશડૉ. મનિષ દોશીના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અનેક…

Read More

ઓલિમ્પિક્સ,એશિયન અને કોમનવેલ્થ ગેમ્સ સહિત અન્ય સ્પર્ધામાં ખેલાડીઓ દ્વારા પ્રાપ્તમેડલ એ ભારતનો આત્મવિશ્વાસ,પ્રતિબદ્ધતા અને વૈશ્વિક પ્રતિષ્ઠાનું પ્રતીક :- મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસઆગામી ૨૨ ડિસેમ્બર સુધી યોજાનાર ટુર્નામેન્ટમાં રાજ્ય- રાષ્ટ્રીય કક્ષાની મળીને કુલ ૨૮ ટીમોના ૨૬૬ ખેલાડીઓ સહભાગી થશેરાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસે આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય વહીવટી તંત્ર સચિવાલય વેલફેર કામિટી દ્વારા આયોજિત અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૫-૨૬નો શુભારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધા જીમખાના સેકટર -૨૧ ખાતે તા.૧૬ થી ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાનયોજાશે.મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસે સૌ સિવિલ સર્વિસ સાથે જોડાયેલા ખેલાડીઓનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે,દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવેલા અધિકારીઓને એકત્ર કરતો…

Read More

Øમુંબઈ ખાતે આયોજિત ‘ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસ’માં એવોર્ડ અપાયોØગ્રીન સ્કૂલ અંગેના ૧૧ નવા વિચારો-પ્રોજેક્ટના અમલીકરણ માટે વિશેષ સન્માનØવિવિધ પ્રકારના અંદાજે ૧,૨૦૦ થી વધુ વૃક્ષોથી શાળાનું ગ્રીન કેમ્પસ સુશોભિતઅમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગાંધીનગર જિલ્લાની જીવરાજના મુવાડા ગામની સરકારી પ્રાથમિક શાળાએ રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણના જતનની સાથે શિક્ષણ ક્ષેત્રે માત્ર જિલ્લાનું જ નહિ પણ સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા રાષ્ટ્રીય સ્તરે મુંબઈ ખાતે આયોજિત ‘ગ્રીન યોર સ્કૂલ પોગ્રામ’ હેઠળ ગાંધીનગરની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય કક્ષાનો ‘ગ્રીન સ્કૂલ એવોર્ડ-૨૦૨૫’ અપાયો છે. અંદાજે ૧,૨૦૦થી વધુ વૃક્ષ ધરાવતી આ શાળાને રાષ્ટ્રીય સ્તરે ગ્રીન સ્કૂલ અંગેના ૧૧ નવા વિચારો…

Read More

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નારણપુરામાં વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશેસોસાયટીની જે મૂળ જગ્યા છે તેના માલિક ધર્મેશ પટેલ છે એટલે કે કાંતિલાલ પટેલે ખોટી રીતે બનાવીને મકાન વેચ્યા હતા.સુપ્રીમ કોર્ટ દ્વારા 79 કરોડ રૂપિયાને બદલે પ્રવર્તમાન જંત્રી મુજબના નાણા એટલે કે 41 કરોડ તા.૩૦/૦૯/૨૪ સુધીમાં જમા કરાવવા અથવા પ્લોટનો ખુલ્લો કબજો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને સોંપવા આદેશ કરવામાં આવેલ. (પ્રતિનિધિ) અમદાવાદ, થલતેજ વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીમાં 25 મકાન આવેલા છે.આ સોસાયટીની સ્થાપના 1983માં થઈ હતી. કાંતિલાલ પટેલ નામના બિલ્ડરે સોસાયટીમાં 1985માં બે લાખ રૂપિયાના ભાવથી 25 મકાન વેચ્યા હતા. 25 પૈકી 20 મકાન ONGCના કર્મચારીઓએ લોનથી ખરીદ્યા હતા.બિલ્ડર કાંતિ પટેલે મકાન વેચ્યા…

Read More

અમદાવાદ, સાયબર ગઠિયાઓ લોન આપવાના નામે, ડિજિટલ અરેસ્ટ કરીને, ઓટીપી મોકલીને અનેક લોકોના નાણાં ખંખેરીને છેતરપિંડીને અંજામ આપી રહ્યા છે. પોલીસની ધોંસ વધતા અને અસરકારક કામગીરી કરતા હવે સાયબર ગઠિયાઓએ ફરી જૂની મોડસ ઓપરેન્ડી અપનાવી છે.હવે, ગઠિયાઓ યેનકેન પ્રકારે લોકોના નંબર મેળવીને રૂપિયા ૫ કે ૧૦ની જૂની નોટો આપો અને બે કરોડ લઇ જાવ તેવી ઓફર મૂકીને જાળ બીછાવીને છેતરપિંડી આચરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવક સાથે આ પ્રકારે છેતરપિંડી થતાં મામલો પોલીસના ધ્યાને આવ્યો હતો. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી નાણાકીય ટ્રાન્ઝેક્શનની વિગતો મેળવીને આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે. ધોળકામાં રહેતા ૪૯ વર્ષીય વ્યક્તિ ગ્રામ…

Read More