(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના ટ્રાફિક માટે મહત્ત્વનો ગણાતો સુભાષ બ્રિજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૩૫ કરોડ રૂપિયાના ખર્ચે નવો અને મોર્ડન બ્રિજ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જૂના બ્રિજનો સ્પાન બેસી જતાં તેને જોખમી જાહેર કરી તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં આ નવો પ્રોજેક્ટ પૂર્ણ કરી જનતા માટે ખુલ્લો મૂકવાનું લક્ષ્ય કોર્પોરેશનનું છે.મળતી માહિતી અનુસાર, આગામી પહેલી એપ્રિલથી ૧૫મી જૂન સુધીના અઢી મહિનાના સમયગાળા દરમિયાન સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી રાખવામાં આવશે. સિંચાઈ વિભાગ દ્વારા વાસણા બેરેજના ૩૦ પૈકી ૧૮ દરવાજા નવા નાખવા અને અન્યમાં રિપેરિંગની કામગીરી કરવાની હોવાથી નદીનું પાણી છોડી દેવાશે.નદી ખાલી હોવાનો સીધો ફાયદો કોર્પોરેશનને મળશે,…
Author: gujarat
(એજન્સી)ભાવનગર, ઉનાળાની ઋતુ અને કેસર કેરી… આ બંનેનો સંબંધ જાણે એકબીજા વગર અધૂરો છે. પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કેસર કેરીના પાક પર વાતાવરણનો માઠો પ્રભાવ પડતો જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લાના સોસિયા, મહુવા અને ઘોઘા પંથક સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ખેડૂતો વર્ષોથી આંબાની ખેતી કરી રહ્યા છે.સામાન્ય રીતે આંબામાં વહેલો મોર બેસે અને ત્યારબાદ નાની નાની કેરીઓ આવવાની શરૂઆત થાય છે. પરંતુ આ વર્ષે વાતાવરણમાં સતત આવતા ફેરફારોને કારણે આંબામાં પૂરતો મોર બેસ્યો નથી. બીજી તરફ અનેક આંબામાં નવા પાન અને ડાળીઓ ફૂટી નીકળતા ખેડૂતોમાં ચિંતા વધી છે.જ્યારે આંબામાં નવા પાન અને ડાળીઓ આવે છે ત્યારે આંબાનું…
મહેસાણાની દૂધસાગર ડેરીના ગેસ પુરવઠામાં ૪૦ ટકાનો કાપ મૂકાશે તેવું જાણવા મળ્યુ છે?ગેસની અછત સર્જાતા હવે ડેરી પ્લાન્ટ પણ બંધ કરવા પડે તેવા સંકેત -પ્રોપેન ગેસની સપ્લાય બંધ થવા સિરામીક સહિત અન્ય ઉદ્યોગોએ તાળા મારવા પડે તેવી સ્થિતિ(એજન્સી)અમદાવાદ, કોમર્શિયલ ગેસના પૂરવઠાની અછત સર્જાતા હોટલ-રેસ્ટોરન્ટ, કેટરિંગ ઉદ્યોગની મુશ્કેલી વધી છે. જ્યારે પ્રોપેન ગેસની અછત સર્જાતાં સિરામિક ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે. મહેસાણા સહિત અન્ય ડેરી પ્લાન્ટમાં અપાતાં ગેસ પુરવઠામાં ૪૦ ટકાનો કાપ મૂકાયો છે, ત્યારે ડેરી પ્લાન્ટ બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.મિડલ ઈસ્ટમાં યુદ્ધ હવે ડેરી ઉદ્યોગને પણ નડે તેવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે.ઈરાન સામે ઇઝરાયલ-અમેરિકાના…
રાજસ્થાનની મહિલાની મગજ સુધી વિસ્તરેલી ગાંઠ સફળતાપૂર્વક દૂર કરાઈ, તો વાપીના યુવાનને કિડનીમાં 10 સેમીની ગાંઠથી રાહત મળીસિવિલ હોસ્પિટલ જટિલ અને ગંભીર બીમારીઓની સારવાર માટે અદ્યતન ટેકનિક અને અનુભવી નિષ્ણાતોની ટીમ સાથે દર્દીઓની સેવામાં સતત પ્રતિબદ્ધ :- ડૉ. રાકેશ જોશી, મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલઆલેખન :- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદઅમદાવાદની સિવિલ હોસ્પિટલે ફરી એકવાર તેની તબીબી શ્રેષ્ઠતા સાબિત કરી છે. હોસ્પિટલના ENT અને યુરોલોજી વિભાગના ડોક્ટરો દ્વારા બે જટિલ અને દુર્લભ કિસ્સાઓમાં સફળ સર્જરી કરી દર્દીઓને નવી આશા પૂરી પાડવામાં આવી છે.પ્રથમ કિસ્સામાં રાજસ્થાનની મહિલા છેલ્લા ત્રણ વર્ષથી ગળાની ગાંઠથી પીડાતી હતી. આ વિશે સિવિલના ENT વિભાગના વડા ડૉ.…
મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જીનો જથ્થો ઉપલબ્ધમધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે ઉદભવતા વર્તમાન સંજોગોમાં સમગ્ર રાજ્યમાંLPGસિલિન્ડરોના અવિરત વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો તથા મોનિટરીગ કરવામાં આવી રહેલ છે.મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને,રાજ્યમાં ઉપલબ્ધLPGસ્ટોકનું પરિવહન અને કાર્યક્ષમ રીતે વિતરણ માટે રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી નો જથ્થો ઉપલબ્ધ છે. એમ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયુ છે.ગુજરાત રાજ્યમાં30%ઘરેલુ ગેસPNG GAS PIPELINEમારફત પૂરો પાડવામાં આવે છે.PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી ગુજરાત રાજ્યની પરિસ્થિત વધારે સારી છે.રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેના એલ.પી.જી નો…
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં ‘પોષણ ટ્રેકર’ અને AIથી આંગણવાડીઓનું ડિજિટલ મોનિટરિંગ :*NFHS-5ની સરખામણીએ જાન્યુઆરી-૨૦૨૬ સુધીમાં રાજ્યમાં કુપોષણના દરમાં ૨૮.૩૦ ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો: મંત્રીશ્રી**આંગણવાડીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એટેન્ડન્સ સિસ્ટમ અને ઈમેજ પ્રોસેસિંગ માટે રૂ.૫ કરોડની જોગવાઈ**ગુજરાત દેશમાં ૩૭.૪ ટકાના સર્વાધિક ‘જેન્ડર બજેટ’ સાથે પ્રથમ ક્રમે**બાળકોનું સ્વાસ્થ્ય એ કોઈ પક્ષનો નહીં પણ સમગ્ર સમાજનો વિષય:‘સુપોષિત ગુજરાત‘થી‘મજબૂત ભારત‘ના નિર્માણમાં સૌને સાથે મળીને કામ કરવા મંત્રીશ્રીનો અનુરોધ*Gandhinagar, વિધાનસભા ગૃહમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની રૂ. ૭,૬૮૯.૮૪ કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. આ ચર્ચામાં સહભાગી થતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલે વિભાગની સિદ્ધિઓનો ચિતાર રજૂ કર્યો હતો. મંત્રીશ્રીએ…
તળાવનાં પાણીમાં ઓક્સિજનનુ પ્રમાણ વધશે અને માછલી, કાચબા સહિતના જળચર જીવતા રહી શકશે તેમજ લીલ અને જળકુંભી જેવી બિનજરૂરી વનસ્પતિ ઉપર અંકુશ આવશે.(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલાં ૧૪૫ જેટલાં નાના મોટા તળાવોને ઇન્ટરલીંક કરીને તેમજ મીની એસટીપી મુકીને બારેમાસ પાણીથી ભરવાનાં આયોજનનાં ભાગરૂપે તળાવોમાં ભરાયેલાં પાણીની ગુણવત્તા સુધારવા તેમજ લીલ-જળકુંભી જેવી બિનજરૂરી વનસ્પતિ ઉત્પન્ન થાય નહિ તે માટે નેનો બબલ ટેકનોલોજી સહિત ત્રણેક પ્રકારની ટેકનોલોજીનાં ઉપયોગનાં પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. મ્યુનિ.નાં નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ (એનઆરસીપી) દ્વારા આ પ્રકારની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.શહેરના સાત ઝોનમાં હાલનાં તબક્કે ૪૧ તળાવોને નાગરિકોને હરવા-ફરવાનાં સ્થળ તરીકે ડેવલપ કરી દેવાયાં…
સાબરકાંઠાના નવલપુર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાને રૂ. ૭૨ કરોડના ૧૯૯૯ વિકાસકામોની ભેટ ધરીસાબરકાંઠાને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ કામગીરી માટે પ્રતિષ્ઠિત ‘સ્કૉચ એવોર્ડ‘ની સિદ્ધિ બદલ જિલ્લાને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રીમુખ્યમંત્રીશ્રી:– સરકારી કામને પોતાનું સમજીને કરવામાં આવે તો તેની ગુણવત્તા અને આયુષ્ય આપોઆપ વધી જાય છે– નવલપુર ગામને મહિલા સશક્તીકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યુંનવલપુર, સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના વિકાસમાં એક નવું સોપાન ઉમેરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે તલોદ તાલુકાના આદર્શ ગામ નવલપુર ખાતેથી અંદાજે રૂ. ૭૨ કરોડના કુલ ૧૯૯૯ જેટલા વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સાથો સાથ મુખ્યમંત્રીશ્રીએ નવલપુર ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગ તેમજ ગામના અમૃત સરોવર સ્થિત સરદાર પટેલના પ્રતિમાનું…
વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ધારાસભ્યશ્રીઓ સાથે‘એક કદમ યોગમય વિધાનસભા તરફ‘કાર્યક્રમ યોજાયોGandhinagar, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવાMLAઆવાસ,ગાંધીનગર ખાતે રાજ્યના ધારાસભ્યશ્રીઓ માટે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં એક વિશેષ યોગ સંવાદ કાર્યક્રમ “એક કદમ યોગમય વિધાનસભા તરફ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ “સ્વસ્થ ગુજરાત – મેદસ્વીતા મુક્ત ગુજરાત” અભિયાનના એક મહત્વપૂર્ણ ભાગરૂપે યોજાયો હતો,જેનો મુખ્ય હેતુ‘વિકસિત ગુજરાત,વિકસિત ભારત‘ના વિઝનને સાકાર કરવા માટે લોકપ્રતિનિધિઓના માધ્યમથી યોગને જન-આંદોલન બનાવવાનો છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ‘મન કી બાત‘કાર્યક્રમમાં વધતી જતી ઓબેસિટી -મેદસ્વીતા સામે ચિંતા વ્યક્ત કરી હતી. આ ચિંતાને ધ્યાને રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિધાનસભા સત્રમાં…
*ચીખલી તાલુકાના રૂમલા ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા સંદેશ* નવસારી જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે સફાઈ અભિયાન તથા વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થઈ ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માં કે નામ” અભિયાનને વેગ આપતા રાજ્યપાલશ્રીએ રૂમલા ગામમાં સભાસ્થળના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે એક વૃક્ષ ઉછેરવું એટલે અનેક જીવનોને જીવનદાન,તેમ જણાવી વૃક્ષનો નિયમિત ઉછેર તેમજ સારસંભાળ લેવાં પણ આહવાન કર્યું હતું. પર્યાવરણની સાથે જનસ્વાસ્થ્યનો વિચાર કરતા રાજ્યપાલશ્રીએ…
