અમદાવાદ , ઇસનપુર વિસ્તારમાં સંયુક્ત પરિવારમાં રહેતી એક પરિણીતાને તેના જેઠે શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી હતી. પરિણીતાએ આ માગણી નકારી દીધી હતી. તેમ છતાં, બીજી વખત ઘરમાં ભાભી એકલી હોવાનું જાણીને જેઠે ફરીથી શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું અને બળજબરી કરીને તેણીના કપડા ફાડી નાખ્યા.આ ઘટનાની જાણ પતિને થતા દંપતીએ મળીને જેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.શહેરના ઇસનપુર વિસ્તારમાં ભાભી અને જેઠના પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. ૨૪ વર્ષીય પરિણીત સ્ત્રી તેના પતિ, સાસુ અને જેઠ સાથે સંયુક્ત પરિવારમાં રહે છે.તેણીનો પતિ સામાન્ય નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.કેટલાક દિવસ…
Author: gujarat
અમદાવાદ, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા પ્રશ્નપત્રોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઉમેરવામાં આવેલી ટેકનિકલ સુવિધા (ફિચર) જ ચર્ચાનું કારણ બની છે.સીબીએસઈએ પ્રશ્નપત્રોમાં મૂકેલા ક્યુઆર કોડ સ્કેન કરતાં કેટલાક પ્રશ્નપત્રોમાં અંગ્રેજી ગીતનો વીડિયો શરૂ થતો હોવાનું જણાયું હતું. આ ક્યુઆર કોડ પ્રશ્નપત્રની અસલિયતની ચકાસણી માટે મૂકવામાં આવ્યા હતા. પરંતુ કોડ સ્કેન કરતાં યૂટ્યૂબ પર અંગ્રેજી ગીત શરૂ થતા પ્રશ્નપત્ર સાચું છે કે કેમ તે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મુંઝવણ સર્જાઈ હતી. જોકે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે પ્રશ્નપત્ર સંપૂર્ણપણે અસલી છે અને તેની સુરક્ષા અથવા ગોપનીયતા સાથે કોઈ પ્રકારનો ભંગ થયો નથી.સાથે જ ભવિષ્યમાં આવી તકનીકી ભૂલો ન બને તે…
રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીને રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રીનો જવાબ11 માર્ચ,2026:કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઇવેના વિકાસ અને જાળવણી માટે રૂ. 47,236 કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રી શ્રી નીતિન ગડકરીએ 11 માર્ચ,2026ના રોજ રાજ્યસભામાં આ માહિતી આપી હતી.શ્રી નથવાણીએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર વસૂલવામાં આવેલા ટોલ અને તે જ સમયગાળા દરમિયાન રાજ્યમાં નેશનલ હાઇવેના બાંધકામ અને જાળવણી માટે રાજ્યને…
અમદાવાદ-ગાંધીનગર કોરિડોરના મુસાફરો માટે ટ્રેનની ફ્રીકવન્સી વધશેગુજરાતમાં હાલ108કિમી મેટ્રો રેલ નેટવર્ક,આગામી વર્ષોમાં190કિમી સુધી વિસ્તરવાનો અંદાજઅમદાવાદ, ગુજરાત સરકારે34અત્યાધુનિક મેટ્રો ટ્રેનસેટ્સ માટે ઓર્ડર આપ્યો છે,જેમાં અમદાવાદ મેટ્રો ફેઝ-IIમાટે10ટ્રેનસેટ અને સુરત મેટ્રો માટે24ટ્રેનસેટનો સમાવેશ થાય છે. આ ટ્રેનો કોલકાતામાં ટીટાગઢની અદ્યતન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે બનાવવામાં આવી રહી છે,જે હાઇ-ટેક અર્બન મોબિલિટી સોલ્યુશન્સ ક્ષેત્રે ભારતની વધતી જતી આત્મનિર્ભરતા દર્શાવે છે. આ પહેલ ગુજરાતમાં જાહેર પરિવહન સુવિધાઓને તો મજબૂત કરશે જ,સાથે-સાથે દેશની ઉત્પાદન ક્ષમતાઓને પણ ઉજાગર કરશે. આ પહેલ રોજગાર અને કૌશલ્ય વિકાસની તકો પેદા કરશે તેમજ તેના થકી વિદેશી હૂંડિયામણની પણ બચત થશે.ઉલ્લેખનીય છે કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં મેટ્રો ટ્રેન…
કાયાકલ્પતરફવટવાસ્ટેશન:પુનર્વિકાસકાર્યઝડપીગતિએચાલુવટવારેલવેસ્ટેશનનુંબદલાતુંસ્વરૂપ:નવુંસ્ટેશનબિલ્ડિંગ, 40ફૂટપહોળોએફઓબીઅનેલિફ્ટજેવીઅદ્યતનસુવિધાઓથીથશેસજ્જપશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ મુસાફરોને સુરક્ષિત,સુગમ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે. આ જ દ્રષ્ટિકોણ હેઠળ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત વટવા રેલવે સ્ટેશનનું વ્યાપક પુનર્વિકાસ કાર્ય ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી રહ્યું છે. અંદાજિત₹33.64કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ કામોનો મુખ્ય હેતુ સ્ટેશનને માત્ર પરિવહન કેન્દ્ર તરીકે નહીં પરંતુ શહેરના આધુનિક “સિટી સેન્ટર” તરીકે વિકસાવવાનો છે.આ સાથે વટવામાં લગભગ3કિલોમીટર લાંબામેગા કોચિંગ ટર્મિનલના નિર્માણનો પણ પ્રસ્તાવ છે. તેના નિર્માણથી અમદાવાદ ક્ષેત્રમાં ટ્રેન સંચાલન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે તેમજ ભવિષ્યમાં અનેક નવી ટ્રેનોના સંચાલન માટે માર્ગ પ્રસસ્ત થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત લગભગ20નવી પરીક્ષણ (એક્ઝામિનેશન) લાઈનોઅને40થી વધુ સ્ટેબલિંગ લાઈનોનું…
ગાંધીનગર સ્થિત EQDC ખાતે માનનીય ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામિતના હસ્તે ઉર્જા લેબોરેટરી, કૉન્ફરન્સ રૂમ અને તાલીમ કેન્દ્રનું કરાયું ઉદ્ઘાટનનવી ઉર્જા લેબોરેટરી શરૂ થતાં આધુનિક ટેસ્ટિંગ તેમજ ગુણવત્તા મૂલ્યાંકન સેવાઓ વધુ સરળ બનશેનવું તાલીમ કેન્દ્ર MSME ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને ઇલેક્ટ્રિકલ-એનર્જી ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગોને માર્ગદર્શન અને ટેકનિકલ સપોર્ટ આપશેગાંધીનગર, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કાર્યરત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ક્વોલિટી ડેવલોપમેન્ટ સેન્ટર (EQDC), ગાંધીનગર ખાતે ઉર્જા લેબોરેટરી, કોન્ફરન્સ રૂમ તથા તાલીમ કેન્દ્રનું માનનીય ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી ડો. જયરામભાઈ સી. ગામિતના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું. મંત્રીશ્રીએ ઈક્યૂડીસીની સુવિધાઓ અંગેની તકતીનું અનાવરણ કરી ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન બાદ મંત્રીશ્રીએ ઉર્જા લેબોરેટરીનું પ્રત્યક્ષ…
Øસ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે,એ દિવસ ભવ્ય અને દિવ્ય હશે!Øસમાજમાંથી કુરિવાજો અને અંધશ્રદ્ધા દૂર કરવાનું મોટું કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું હતુંમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ‘અવસર‘માં ઉપસ્થિત રહ્યાઅમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ ‘અવસર‘માં જણાવ્યું હતું કે આજે જેતલપુર ધામની સ્થાપનાને ૨૦૦ વર્ષ પૂર્ણ થયાં છે. સ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે,એ દિવસ ભવ્ય અને દિવ્ય હશે! શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્થાપેલા નવ મંદિરોમાંથી જેતલપુરનું મંદિર પાંચમું હતું,એવું તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વિશ્વના સાંપ્રત પ્રવાહોમાં પણ ભારત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં…
નવી દિલ્હી: ૧૨-જામનગર લોકસભા ક્ષેત્ર (જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા) ના મીડિયાકર્મીઓ માટે તાજેતરમાં નવી દિલ્હી ખાતે ભારતની લોકશાહીના સર્વોચ્ચ મંદિર સમાન ‘સંસદ ભવન’ અને ‘સંવિધાન સદન’ની વિશેષ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગરના MP પુનમબેન માડમ હાજર રહ્યા હતા.આ મુલાકાત દરમિયાન પત્રકારોએએ સંસદની કાર્યપદ્ધતિ, તેના ઐતિહાસિક મહત્વ અને નૂતન સંસદ ભવનની ભવ્ય રચના વિશે અત્યંત ઉત્સાહપૂર્વક ઝીણવટભરી માહિતી મેળવી હતી. નવા સંસદ ભવન પાછળના ઉમદા ઉદ્દેશ્યો અને તેની અત્યાધુનિક વ્યવસ્થાઓ વિશે જાણીને સૌ પ્રતિનિધિઓ પ્રભાવિત થયા હતા.લોકશાહી અને જનતા વચ્ચે સંવાદ મજબૂત કરવાના મજબૂત ‘સ્તંભ’ તરીકે કાર્યરત મીડિયાકર્મીઓએ આ ભવ્ય વ્યવસ્થાને નિહાળી હતી. “બંધારણના પાલન અને જતન”…
ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી રાજધાનીની મુલાકાતે હતા જ્યાં ગુજરાતના મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.નવી દિલ્હી/અમદાવાદ, ૧૧ માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી (ડેપ્યુટી સીએમ તરીકે ઉલ્લેખિત) હર્ષ સંઘવીએ દિલ્હીથી પરત ફરતી વખતે એરપોર્ટ પર લોકો સાથે મુલાકાત કરી હતી. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથેની બેઠકો પૂર્ણ કરીને પરત ફરી રહેલા આ નેતાઓએ પ્રોટોકોલ બાજુ પર મૂકીને સામાન્ય લોકો સાથે વાતચીત કરી હોવાનું અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું.અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે બંને નેતાઓ ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર કોઈ પણ પ્રકારના ઔપચારિક પ્રોટોકોલ વગર મુસાફરો અને અન્ય નાગરિકોને મળ્યા હતા. તેઓ સામાન્ય જનતાની વચ્ચે…
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે દેશી પરિવારોને રાહત: સરકારની ગાઈડલાઈન મુજબ રિલાયન્સ ગેસ અને ઈંધણની પૂર્તિ સુનિશ્ચિત કરશેજામનગર, વૈશ્વિક ઊર્જા બજારોમાં અસ્થિરતા જોવા મળી રહી છે તેવા સમયે ભારતીય પરિવારો માટે આવશ્યક ઈંધણની અવિરત આપૂર્તી સુનિશ્ચિત કરવી એ રાષ્ટ્રીય પ્રાથમિકતા છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સરકારની માર્ગદર્શિકા મુજબ જામનગરમાં આવેલાવિશ્વના સૌથી મોટા સંકલિત રિફાઇનિંગ હબ –રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સમાંથીએલ.પી.જી.નું ઉત્પાદન વધારવા માટે સક્રિય પગલાં લઈ રહી છે. અમારી ટીમો રિફાઇનરીની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા અને એલ.પી.જી.ના ઉત્પાદનમાં વધારો કરવા માટે ચોવીસે કલાક કામ કરી રહી છે જેથી સ્થાનિક બજારમાં પુરવઠો સ્થિર અને ભરોસાપાત્ર રહે.એ સાથે જ રાષ્ટ્રીય ઊર્જાની પ્રાથમિકતા અને સરકારી માર્ગદર્શિકાને અનુરૂપકે.જી. ડી-6 બેઝિનમાંથી…
