અમદાવાદ, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા પ્રશ્નપત્રોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઉમેરવામાં આવેલી ટેકનિકલ સુવિધા (ફિચર) જ ચર્ચાનું કારણ બની છે.
સીબીએસઈએ પ્રશ્નપત્રોમાં મૂકેલા ક્યુઆર કોડ સ્કેન કરતાં કેટલાક પ્રશ્નપત્રોમાં અંગ્રેજી ગીતનો વીડિયો શરૂ થતો હોવાનું જણાયું હતું. આ ક્યુઆર કોડ પ્રશ્નપત્રની અસલિયતની ચકાસણી માટે મૂકવામાં આવ્યા હતા. પરંતુ કોડ સ્કેન કરતાં યૂટ્યૂબ પર અંગ્રેજી ગીત શરૂ થતા પ્રશ્નપત્ર સાચું છે કે કેમ તે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મુંઝવણ સર્જાઈ હતી. જોકે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે પ્રશ્નપત્ર સંપૂર્ણપણે અસલી છે અને તેની સુરક્ષા અથવા ગોપનીયતા સાથે કોઈ પ્રકારનો ભંગ થયો નથી.
સાથે જ ભવિષ્યમાં આવી તકનીકી ભૂલો ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.મળતી વિગતો મુજબ સીબીએસઈની ધો.૧૨ની ગણિત વિષયની પરીક્ષા દરમિયાન કેટલાક પ્રશ્નપત્રોમાં આપેલા ક્યુઆર કોડ સ્કેન કરતાં યૂટ્યૂબનો વીડિયો ખુલતો હોવાની ચર્ચા શરૂ થઈ હતી.
આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પ્રશ્નપત્ર લીક થયાની શંકા ઊભી થઈ હતી. આ પરિસ્થિતિમાં સીબીએસઈએ સત્તાવાર સ્પષ્ટતા કરી હતી. બોર્ડે જણાવ્યું હતું કે પરીક્ષામાં આપવામાં આવેલા પ્રશ્નપત્રો સંપૂર્ણપણે અસલી છે અને તેમની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ થઈ નથી. પ્રશ્નપત્રોમાં વિવિધ સુરક્ષા વ્યવસ્થાઓ અમલમાં રાખવામાં આવી છે, જેમાં શંકાસ્પદ પરિસ્થિતિમાં પ્રશ્નપત્રની અસલિયત ચકાસી શકાય તે માટે ક્યુઆર કોડનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓ ક્યુઆર કોડ સ્કેન કરીને પ્રશ્નપત્ર અસલી છે કે કેમ તેની ખાતરી કરી શકે તે હેતુથી આ સુવિધા આપવામાં આવી હતી.સોમવારે ધો.૧૨ના ગણિત વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ કેટલાક પ્રશ્નપત્ર સેટોમાં નોંધાયું હતું કે તેમાં આપેલા ક્યુઆર કોડ સ્કેન કરતાં યૂટ્યૂબની લિંક ખુલતી હતી અને તેના પર ક્લિક કરતાં અંગ્રેજી ગીતનો વીડિયો શરૂ થઈ જતો હતો.
આ ઘટનાના કારણે સામાજિક માધ્યમોમાં પ્રશ્નપત્રની અસલિયત અંગે ચર્ચા શરૂ થઈ હતી અને કેટલાક વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં ગેરસમજ ફેલાઈ હતી.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સીબીએસઈએ સ્પષ્ટ કર્યું કે પરીક્ષામાં આપવામાં આવેલા પ્રશ્નપત્રો સંપૂર્ણપણે અસલી અને સુરક્ષિત છે. પ્રશ્નપત્રોની ગોપનીયતા અથવા સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ થઈ નથી.આ અંગે બોર્ડે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર મામલાની નોંધ લઈને તેને ગંભીરતાથી વિચારવામાં આવ્યો છે.
પ્રશ્નપત્રોની અસલિયત અંગે ઊભી થયેલી ગેરસમજ હવે દૂર થઈ ગઈ છે. તેમ છતાં ભવિષ્યમાં આવી કોઈ ગેરસમજ અથવા ટેકનિકલ ખામી ન સર્જાય તે માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે. સીબીએસઈના પરીક્ષા નિયામકે વિદ્યાર્થીઓ અને વાલીઓને આ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે.SS1MS

