ગોધરાની ઘનશ્યામ ગેસ એજન્સીમાં જિલ્લા પુરવઠા અધિકારીની આકસ્મિક તપાસ -રૂ.૩૩,૭૮૫ની કિંમતનો બિનહિસાબી જથ્થો મળી આવતા તેને સીઝ કરાયોગોધરા, પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેસ સિલિન્ડરોની સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે પુરવઠા વિભાગ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગર અને તેમની ટીમ દ્વારા ગોધરા ખાતે આવેલ ઘનશ્યામ ગેસ એજન્સી પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.જે અન્વયે લકઝુરા હોટલ પાછળ આવેલ એજન્સીનું ગોડાઉન, જે હિતેશભાઈ પી. ઘરમચંદાણી દ્વારા સંચાલિત છે. જેમાં ગોડાઉનમાં રહેલા ૧૯.૦૦ કિલોગ્રામના કોમર્શીયલ ગેસ બોટલોનું સ્ટોક રજિસ્ટર સાથે મેળવણું કરતા, ૧૭ ગેસના ભરેલા બોટલ વધારાના (બિનહિસાબી)…
Author: gujarat
(ડાંગ માહિતી બ્યુરો) આહવા ઃ ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત ‘જલ મહોત્સવ-૨૦૨૬’ માં ડાંગ જિલ્લાએ રાષ્ટ્રીય ફલક પર ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. ડાંગના વઘઈ તાલુકાના ઘોડવહળ ગામની પાણી સમિતિના સભ્ય શ્રીમતી સંગીતાબેન અશોકભાઇ દેશમુખને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રશંસા પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે.ગ્રામીણ વિસ્તારોમાં ‘જલ જીવન મિશન’ હેઠળ શુદ્ધ પાણી પૂરું પાડવાના અભિયાનમાં શ્રીમતી સંગીતાબેને આધારિત પાણીની ગુણવત્તાની દેખરેખ” માં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યાં છે.આ પ્રસંગે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, ‘ભારતમાં પાણી માત્ર મૂળભૂત સુવિધા નથી, પણ આપણી સંસ્કૃતિ અને આજીવિકા સાથે જોડાયેલું છે. એક…
અંબાજી મંદિર હવે માઈ ભક્તો માટે ડિજિટલ બન્યું -કલેક્ટરના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ-દર વર્ષે અંદાજે ૧ કરોડ ર૦ લાખ જેટલા મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ અને કરોડોનું દાન મેળવવામાં આવે છેપાલનપુર, વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતા કરોડો માઈ ભક્તોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના વરદ હસ્તે આ એપ્લિકેશનનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ આઈ સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના દ્વારા યાત્રિકો હવે ગમે…
મેઘરજના રાંજેડીમાં નિવૃત્ત શિક્ષિકા સાથે રૂ.૧૦ લાખથી વધુની છેતરપિંડી-ભાણિયાએ યુપીઆઈ મારફતે રૂપિયા ટ્રાન્સફર કર્યામેઘરજ, અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રાંજેડી ગામે નિવૃત્ત શિક્ષિકા સાથે વિશ્વાસઘાત અને ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ગેમ રમવાના બહાને મોબાઈલ લઈ ભાણિયાએ યુપીઆઈ મારફતે આશરે રૂ.૧૦.૧૮ લાખ રૂપિયા પોતાના તથા ઓળખીતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે.રાંજેડી ગામે રહેતી નિવૃત્ત શિક્ષિકા મધુબેન અરવિંદભાઈ ભગોરા દ્વારા મેઘરજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની બહેન કિરણબેન એ જ ગામમાં રહે છે. બહેનનો દિકરો નિખિલ હિમાંશુભાઈ ભગોરા અવારનવાર તેમના ઘરે ટીવી જોવા આવતો હતો અને મોબાઈલમાં ગેમ રમવાની વાત કરી મોબાઈલ માંગતો હતો.આ…
મામલતદારને આવેદન, હરસોલી ચોકડી પાસે ઉત્તમ ડેરી પર પશુપાલકોએ સૂત્રોચાર કર્યાદહેગામ, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં દૂધ સ્વીકાર મુદ્દે પશુપાલકો અને અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ વચ્ચે સર્જાયેલો વિવાદ ઉગ્ર બની રહ્યો છે. ગાંધીનગર જિલ્લા સંઘની મધુર ડેરીમાં દૂધ સ્વીકારવા પર પ્રતિબંધ મૂકાતા તાલુકાના પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ મુદ્દે મંગળવારે રાત્રે પશુપાલકોએ દહેગામની નેહરુ ચોકડી પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. રોષે ભરાયેલા પશુપાલકોએ ચેતવણી આપી છે કે, જો માગણીઓ તાત્કાલિક સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.દરમિયાન બુધવારે સવારે પશુપાલકોએ ફરીથી વિરોધ…
ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટણી કમિશ્નરો અને કેટલાક વકીલ ઉમેદવારો વચ્ચે ઐતિહાસિક કાનુની જંગ વચ્ચે મત ગણતરી શરૂ થઈ, પરંતુ બેલેટ બોકસ લઈ જતી ટ્રક બીનવારસી જણાતા વિડિયો વાયરલ થતાં અફવા ફેલાઈ જે વકીલોના ઉશ્કેરાટનું કારણ બની ?! જવાબદાર કોણ ?!ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય અને ઉમેદવાર પરેશભાઈ વાઘેલા, જોઈન્ટ કમિશ્નર મિલનભાઈ પટેલના કહેવાથી શંકાનું સમાધાન કરાવવા ટ્રક પર ચઢયા ને તેમને નોટિસ મળી ?!તસ્વીર ગુજરાત યુનિર્વિસટીના પટાંગણમાં આવેલા “અટલ કલામ” હોલ પાસેની છે ! ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ શાંતિથી અને સરળતાથી પૂર્ણ થઈ ગઈ હતી ! કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી !આ ચૂંટણી કમિશ્નરશ્રીઓ સર્વ શ્રી હસમુખભાઈ…
ગૃહ વિભાગ ગુજરાતની ઢાલ છે અને ન્યાય તંત્ર એ રાજદંડઃ ડેપ્યુટી સીએમ સંઘવીચાર વર્ષમાં પોકસોના કેસમાં ૯૦૭ ગુનેગારોને આજીવન કેદ, ૧૪ને ફાંસીની સજા-બુલડોઝરથી રૂ.ર,રપ૬ કરોડની જમીન મુકત કરાઈઃ કોન્સ્ટેબલ માટે ર૦,૪૦૦ આવાસ બનાવાશે(એજન્સી)ગાંધીનગર, ગૃહ અને કાયદા-ન્યાયતંત્ર વિભાગોની કુલ રૂ.૧૬,૯૬૭ કરોડનો અંદાજપત્રીય માંગણી બજેટને વિધાનસભામાં પસાર કરાવશે વેળાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અસામાજીક તત્વો તેમજ ભુમાફીયાઓને ઉપર દાદરનું બુલડોઝર ફરરતા રૂ.ર,ર૪૬ કરોડની સરકારી જમીન મુકત કરાયાનું કહયું હતું આ સાથે જ ઝડપથી પોલીસ કોન્સ્ટેબલ સિપાઈ પરીવાર સાથે પોલીસ સ્ટેશન નજીક રહી શકે તે માટે એક સાથે ર૦,૪૦૦ આવાસો બાંધવા માટે આયોજન હોવાનું પણ તેમણે જાહેર કર્યું હતું. જે બે રૂમ રસોડાના…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં બ્રિટીશ ડેપ્યુટી હાઈ કમીશન અને ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે કોમનવેલ્થ ડે નીમીતી ઉચ્ચ સ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકનો મુખ્ય ઉદેશ્ય યુકે ગુજરાત કોમનવેલ્થ હેઠળ રમતગમત સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્કચર અને ઈનોવેશન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો છે. અમદાવાદ જયારે વર્ષ ર૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા તરફ આગળ વધી રહયું છે.ત્યારે બ્રિટીશ કંપનીઓએ આ કાર્યક્રમમાં અત્યાધુનીક સોલ્યુશન અને વિશ્વસ્તરીય રમતગમત માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે પોતાની તત્પરતા દર્શાવી છે. યુકે પાસે મોટા પાયે આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓના આયોજનનો બહોળો અનુભવય છે. જેનો લાભ ગુજરાતના સ્પોર્ટસ ઈકો સીસ્ટમ મળશે.આ પ્રસંગે ગુજરાત રમતગમત અને સાસકૃતિક પ્રવૃત્તિઓના મંત્રી ડો. જયરામભાઈ ગામીતે આ સહયોગને…
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મેડિકલ બિલના નવા નિયમો આવ્યા -ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે : કુટુંબની વ્યાખ્યામાં બીજી પત્નીનો સમાવેશ કરવામાં આવ્યો નથીગાંધીનગર, રાજ્ય સરકાર દ્વારા અધિકારી કર્મચારીના મેડિકલ બીલ માટે કુટુંબની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. તબીબી સારવારના ખર્ચના હેતુ માટે હવેથીકુટુંબ’ માં કોનો સમાવેશ થશે તેની સ્પષ્ટતા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કુટુંબની વ્યાખ્યામાં સરકારી અધિકારી કે કર્મચારી પોતે અને તેના પર નિર્ભર સભ્યોનો સમાવેશ કરાયો છે. જો કે આ વ્યાખ્યામાં સગીર વયના જ સભ્યોનો સમાવેશ કરાયો છે.આ અંગે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. મહત્વની બાબત છે કે, કુટુંબની…
(એજન્સી)જૂનાગઢ, જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર આવેલા આદ્યશક્તિ મા અંબાના મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની મહેફિલ જામી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન આ પવિત્ર જગ્યાએ નીચ હરકત કરનારા કર્મચારીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે.શું છે સમગ્ર મામલો? સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા કથિત વીડિયોમાં બેથી ત્રણ લોકો બેફામ ગાળાગાળી કરતા, દારૂ પીતા અને માંસાહાર કરતા જોવા મળ્યા હતા. આ મામલો વહીવટી તંત્રના ધ્યાને આવતા જ કલેક્ટર અને મામલતદારની સૂચનાથી તાત્કાલિક તપાસ હાથ ધરાઈ હતી.પ્રાથમિક તપાસમાં તથ્ય જણાતા મંદિરની ગરિમા લજવનારા કિશોરસિંહ ચૌહાણ, તુષારગીરી ગૌસ્વામી, પ્રિન્સ ઠાકર, ગૌસ્વામી…
