ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટણી કમિશ્નરો અને કેટલાક વકીલ ઉમેદવારો વચ્ચે ઐતિહાસિક કાનુની જંગ વચ્ચે મત ગણતરી શરૂ થઈ, પરંતુ બેલેટ બોકસ લઈ જતી ટ્રક બીનવારસી જણાતા વિડિયો વાયરલ થતાં અફવા ફેલાઈ જે વકીલોના ઉશ્કેરાટનું કારણ બની ?! જવાબદાર કોણ ?!
ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય અને ઉમેદવાર પરેશભાઈ વાઘેલા, જોઈન્ટ કમિશ્નર મિલનભાઈ પટેલના કહેવાથી શંકાનું સમાધાન કરાવવા ટ્રક પર ચઢયા ને તેમને નોટિસ મળી ?!
તસ્વીર ગુજરાત યુનિર્વિસટીના પટાંગણમાં આવેલા “અટલ કલામ” હોલ પાસેની છે ! ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ શાંતિથી અને સરળતાથી પૂર્ણ થઈ ગઈ હતી ! કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી !
આ ચૂંટણી કમિશ્નરશ્રીઓ સર્વ શ્રી હસમુખભાઈ એમ. પરીખ, જોઈન્ટ ચૂંટણી કમિશ્નર શ્રી રÂશ્મનભાઈ જાની, જોઈન્ટ ચૂંટણી કમિશ્નર શ્રી મિલનભાઈ પટેલ અને બાર કાઉન્સિલના સેક્રેટરી શ્રી સિÂધ્ધબહેન સહિત સમગ્ર સ્ટાફની મહેનતનું આ નિષ્ઠાનું પરિણામ હતું ! પરંતુ ગુજરાત યુનિર્વિસટીના પટાંગણમાં એક કથિત ઘટનાનો વિડિયો કોઈએ વાયરલ કર્યાે !
જેમાં ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટણીના સીલબંધ બેલેટ બોકસને લઈ જતી ટ્રકને કેટલાક વકીલોએ જોઈ જેનો ટ્રક નં. જી.જે-૦૧-એચ.ટી-૬૧૮૪ છે તેના દરવાજા ખુલ્લા હતાં અને બેલેટ પેપરની પેટીઓ ખુલ્લેઆમ બિનવારસી પડી હતી ! આવો વિડિયો કોઈએ વાયરલ કરતા વકીલ ઉમેદવારો અને તેમના ટેકેદારો ભડકી ગયા ને પછી અફવાઓ ફેલાતા વકીલો તો રસ્તા પર આવી ગયા અને દેખાવો કર્યા અને વકીલાતની વ્યવસાયિક ગરિમાનો ભંગ થયો ! જે ન થવો જોઈએ !
બીજી તસ્વીર એવી છે કે, જેમાં વકીલ ઉમેદવારોના મગજમાં અનેક તર્ક વિતર્ક થયા અને બેલેટ બોકસ લઈ જતી ટ્રકને અટકાવી કેટલાક વકીલોએ ખુલાસા માંગ્યા અંતે જોઈન્ટ ચૂંટણી કમિશ્નર શ્રી મીલનભાઈ પટેલની સંમતિથી અને વકીલોની સંમતિથી ગુજરાત બાર કાઉન્સિલના વર્તમાન ઉમેદવાર શ્રી પરેશભાઈ વાઘેલાએ ટ્રકમાં જઈ તપાસી રીપોર્ટ આપ્યો કે બધા સીલ યથાવત છે ! પછી વકીલોના મનમાંથી શંકા દુર થઈ !
છતાં કેટલાક વકીલો એવું કહેતા હોવાનું કહેવાય છે કે, વપરાયા વગરના બેલેટ પેપર સાથે ન લઈ જાઓ ?! પરંતુ ટુંકમાં આ પ્રશ્ન આ રીતે હળવો થઈ ગયો હતો ! નીચેની બીજી તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલની છે ! જેને આખરે મત ગણતરી શરૂ થઈ ગઈ છે !
જેમાં વેસ્ટર્ન ટાઈમ્સે વિશ્વાસ પાત્ર વર્તુળો મારફતે મળેલી માહિતી મુજબ અમદાવાદ જીલ્લાના મતો જુદા પાડવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ! જેમાં અમદાવાદ શહેરમાં ૭૪૧૫ મતોનું મતદાન થયું જેમાંથી ૬૯૫૯ મતો યોગ્ય ઠર્યા અને ૪૫૬ મતો રદ થયા ! જયારે ગુજરાત હાઈકોર્ટ ખાતે ૧૯૮૯ નું મતદાન થયું જેમાં ૧૮૨૨ મતો યોગ્ય ઠર્યા અને ૧૬૭ મતો રદ થયા ! બાવળામાં ૬૬ મતોનું મતદાન થયું જેમાં ૬૨ મતો યોગ્ય ઠર્યા અને ૪ મતો રદ થયા !
ધોળકામાં ૨૪૦ મતોનું મતદાન થયું જેમાં ૨૩૩ મતો યોગ્ય ઠર્યા અને ૭ મતો રદ થયા ! માંડલમાં ૪૫ મતો પડયા જેમાં ૪૪ મતો યોગ્ય ઠર્યા અને ૧ મત રદ થયો ! સાણંદમાં ૧૮૬ મતો પડયા જેમાં ૧૭૭ મતો યોગ્ય ઠર્યા અને ૯ મતો રદ થયા ! વિરમગામમાં ૧૪૭ મતો પડયા જેમાં ૧૩૬ મતો યોગ્ય ઠર્યા અને ૧૧ મતો રદ થયા !
દહેગામમાં ૧૯૪ મતો પડયા જેમાં ૧૯૦ મતો યોગ્ય ઠર્યા અને ૪ મતો રદ થયા ! ગાંધીનગરમાં ૧૨૦૮ મતો પડયા જેમાં ૧૧૨૧ મતો યોગ્ય ઠર્યા અને ૮૭ મતો રદ થયા ! કલોલના ૩૫૭ મતોનું મતદાન થયું જેમાં ૩૪૨ મતો યોગ્ય ઠર્યા અને ૧૫ મતો રદ થયા! માણસામાં ૧૩૩ મતો પડયા જેમાં ૧૩૨ મતો યોગ્ય ઠર્યા અને ૧ મત રદ થયો ! મળેલી માહિતી મુજબ અમદાવાદ જીલ્લાના ૧૨૦૭૦ મતોનું મતદાન થયું જેમાં ૧૧૩૦૫ મતો યોગ્ય ઠર્યા અને ૭૬૫ મતો રદ થયા !
હવે આગળની ચૂંટણી પ્રક્રીયા ચાલુ છે ! ચોથી તસ્વીર બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની કચેરીની છે ! બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સમક્ષ ગુજરાત બાર કાઉન્સિલના મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી હસમુખભાઈ પરીખ, જોઈન્ટ ચૂંટણી કમિશ્નર શ્રી રÂશ્મનભાઈ જાની, જોઈન્ટ ચૂંટણી કમિશ્નર શ્રી મીલનભાઈ પટેલ વકીલ ઉમેદવારોના તથા અન્યના કથિત ગેરવર્તન વિરૂધ્ધમાં ફરિયાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને ફરિયાદ કર્યા પછી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સેક્રેટરી શ્રી શ્રીમતો સેને ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટણીના ૧૨ જેટલા ઉમેદવારોને કારણદર્શક નોટિસ ફટકારી છે અને ૭ દિવસમાં ખુલાસો માંગ્યો છે !

