દક્ષિણ ગુજરાતનું પ્રતિ વ્યક્તિ જીડીપી અંદાજે4,600ડોલર છે,જેને2047સુધી વધારીને45,000ડોલરથી વધુ કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યદક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સ્થાન આપવાનાં નિર્ધાર સાથે માર્ગ સુધારણા માટે રૂ. 1,185 કરોડ મંજૂરગાંધીનગર, ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે દક્ષિણ ગુજરાતમાં આવેલા માર્ગોને પહોળા કરવા અને સુધારવા માટે રૂ.1,185કરોડનાં કામોને મંજુરી આપી છે. આનો ઉદ્દેશ સુરત ઇકોનોમિક રિજિયન (SER)ને દુબઈ અને ચીનના ગુઆંગઝૂ જેવા વૈશ્વિક ટ્રેડિંગ હબની તર્જ પર વિકસાવવાનો છે અને સુરતને વૈશ્વિક સપ્લાય ચેનમાં જોડવાનો છે.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે મંજૂર કરેલા આ પ્રોજેક્ટોમાં સુરત,તાપી,વલસાડ,નવસારી અને ડાંગ જિલ્લાઓમાં કુલ383 કિમીને આવરી લેતા24કામોનો સમાવેશ થાય છે. આ પગલું લોજિસ્ટિક્સ કનેક્ટિવિટી સુધારવા અને દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ કેન્દ્ર…
Author: gujarat
ગાંધીનગર, 13 માર્ચ: ગુજરાતમાં બેરોજગારીનો દર ૧.૧ ટકા સાથે દેશમાં સૌથી ઓછો છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૩.૨ ટકા કરતા ઘણો ઓછો છે. શ્રમ અને રોજગાર વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાએ ગુરુવારે વિધાનસભામાં આ માહિતી આપી હતી.કેન્દ્ર સરકારના પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) ને ટાંકીને બાવળિયાએ જણાવ્યું હતું કે, આ આંકડા રાજ્યના રોજગાર અને કૌશલ્ય વિકાસના પ્રયાસોની સફળતા દર્શાવે છે. તેમણે વર્ષ ૨૦૨૬-૨૭ માટે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ વિભાગની ₹૨,૯૦૨ કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરી હતી.સામાજિક સુરક્ષા અને સુધારા: મંત્રીએ જણાવ્યું હતું કે ૨૯ શ્રમ કાયદાઓને ૪ લેબર કોડમાં એકીકૃત કરવામાં આવ્યા છે, જે ગત ૨૧ નવેમ્બરથી અમલી બન્યા છે. આ…
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે વિશ્વ મહિલા દિવસની ભવ્ય ઉજવણીનિષ્ણાતો દ્વારા 800થી વધુ મહિલાઓને મહિલા સશક્તીકરણ અને સાયબર સુરક્ષા અંગે અપાયું માર્ગદર્શનવિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલાના અધ્યક્ષ સ્થાને એક વિશેષ મહિલા સંમેલન યોજાયું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં મહિલા શક્તિ અને સંસ્કારનું પ્રતિક છે. આજે મહિલાઓ વિજ્ઞાનથી લઈને રાજકારણ સુધીના તમામ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર અને…
રાજ્યભરમાં તા. ૯ થી ૧૫ માર્ચ દરમિયાન ‘ગ્રાહક જાગૃત્તિ સપ્તાહ‘ની ઉજવણીØગ્રાહકોની સુવિધા માટે ટોલ ફ્રી નંબર‘૧૪૪૩૭’અને‘૧૮૦૦ ૨૩૩ ૦૨૨૨’કાર્યરતØવર્ષ ૨૦૨૪થી અત્યાર સુધીમાં અંદાજે ૨૨,૭૦૨ જેટલી ફરિયાદોનું સુખદ નિવારણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના‘સશક્ત ગ્રાહક,સમૃદ્ધ ભારત‘ના વિઝન અને ગ્રાહક સુરક્ષાને રાષ્ટ્રના વિકાસના અભિન્ન અંગ ગણવાની નેમ સાથે ગુજરાત મક્કમતાથી આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગ્રાહક હિતોનું રક્ષણ એ માત્ર કાયદાકીય પ્રક્રિયા નહીં પરંતુ સુશાસનનો એક ભાગ બની ગઈ છે. આ જ વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ગ્રાહક જાગૃતિ અને સુરક્ષાના ક્ષેત્રમાં અનેક નવતર આયામો સર કર્યા છે. આગામી તા.૧૫ માર્ચ,૨૦૨૬ના રોજ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ‘ની રાજ્યકક્ષાની ભવ્ય…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો દિવ્યાંગજનો પ્રત્યે સંવેદના સ્પર્શી અભિગમ –મોટરાઈઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરથી રાજ્યના દિવ્યાંગજનોનું રોજિંદુ જીવન વધુ સરળ અને સુગમ બનશેસાદી જોયસ્ટિક વ્હીલચેરના સ્થાને ફોલ્ડીંગ જોયસ્ટિક વ્હીલચેર માટે1.10લાખ સહાય આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો દિવ્યાંગ હિતકારી નિર્ણયમસ્ક્યુલર ડ્રીસ્ટ્રોફી પ્રકારની દિવ્યાંગતાના સહાય લાભ મેળવવાની લાભાર્થીની પાત્રતા વય મર્યાદા18થી ઘટાડીને10વર્ષ કરવામાં આવીઅમદાવાદ, દિવ્યાંગજનો પોતાના રોજિંદા કામકાજ સરળતાથી કરી શકે તેમજ તેમને એક સ્થળેથી બીજા સ્થળે અવરજવરમાં સુગમતા રહે તેવા દિવ્યાંગ હિત અભિગમથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે દિવ્યાંગજનો માટે મોટરાઈઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર આપવાની યોજના શરૂ કરી છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 34જિલ્લાઓના4000દિવ્યાંગજનોને પ્રથમ વખત મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ…
‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ‘૨૦૨૬ના ૧૦૦ દિવસના કાઉન્ટડાઉનનો ભવ્ય પ્રારંભ;ગાંધીનગરમાં નવાMLAઆવાસ ખાતે યોજાઈ‘કર્ટન રેઝર‘ઇવેન્ટ‘Gandhinagar, વિશ્વભરમાં યોગની શક્તિનો પરિચય કરાવનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘ સમક્ષ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ‘ની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો,જેને વિશ્વના દેશોએ સહર્ષ સ્વીકારી ૨૧મી જૂનને‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ‘તરીકે જાહેર કર્યો છે. આ પરંપરાના ભાગરૂપે,વર્ષ ૨૦૨૬માં યોજાનારા ૧૨મા‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ‘ના ૧૦૦ દિવસ અગાઉથી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાતમાં યોગમય વાતાવરણ ઊભું કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશેષ અભિયાનનો નવાMLAઆવાસ,ગાંધીનગરથી પ્રારંભ કરવામાં આવ્યો છે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજીની આગેવાનીમાં અને રાજ્યના સર્વે ધારાસભ્યશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આજે નવાMLAઆવાસ,ગાંધીનગર ખાતે‘કર્ટન રેઝર‘ઇવેન્ટ સાથે ૧૦૦ દિવસના કાઉન્ટડાઉનનો શુભારંભ…
મોરબીમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓનું સન્માનમોરબી, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સનાળા ખાતે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું હતું. જેમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓનું સન્માન થયું હતું.આ સંમેલનમાં મોરબી જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓના હસ્તે મહિલાલક્ષી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક તથા મંજુરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના સહિત અન્ય સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા.અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેઘીએ ઉપસ્થિત મહિલાઓને જણાવ્યું હતું કે, મહિલાઓની માતા, દીકરી, સાસુ…
સુરતના અદાણી ફાઉન્ડેશન દ્વારા મહિલા દિવસની ઉજવણી કરાઈસુરત, સુરતના હજીરા સ્થિત અદાણી ફાઉન્ડેશન દ્વારા ભટલાઈ અને આદિવાસી બહુલ ઉમરપાડા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત આપો તો મેળવો થીમ આધારિત કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ૮પ૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.ભટલાઈ ખાતેના મુખ્ય સમારોહમાં ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખ તૃપ્તિબેન પટેલ, અદાણી હજીરા પોર્ટના સીઓઓ પંકજ ઉકે. સુરત જિલ્લા પંચાયત કૃષિ અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ તડવી સહિત સરપંચો તથા સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. દીપ પ્રાગટય અને સ્વાગત નૃત્યથી કાર્યક્રમની શરૂઆત થઈ, ત્યારબાદ પરંપરાગત ગરબાએ સૌનું મન મોહી લીધું હતું.ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ પોતાના સંદેશમાં મહિલાઓને અભિનંદન પાઠવતા અદાણી ફાઉન્ડેશન દ્વારા મહિલા…
દાહોદના ફેતપુરાના મોટી રેલપૂર્વ ગામે પરિવારને બંધક બનાવી રૂ.૧ર.૩૪ લાખની લૂંટદાહોદ, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટી રેલપૂર્વ ગામનો લૂંટનો સનસનાટી ભર્યો બનાવ સામે આવ્યો છે જેમાં એક પરિવારને ચાર જેટલા લૂંટારૂઓએ બંધક બનાવી મારી નાંખવાની ધમકીઓ આપી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૧ર,૩૪,૪૯૩ની મત્તાની સનસનાટી ભરી લૂંટ સમી સાંજના સમયેલૂંટારૂઓ લૂંટ કરી નાસી જતાં પંથકમાં ચકચાર સાથે લૂંટારૂઓના આ આતંકને પગલે વિસ્તારમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે પોલીસે ડોગ સ્કવર્ડ સહિતની મદદ લઈ લૂંટારૂઓને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.દાહોદ જિલ્લાના ફતેપુરાના મોટી રેલવપૂર્વ ગામે ખેડા ફળિયામાં રહેતા રમીલાબેન નગીનદાસ કટારા તથા તેમના પરિવારજનો ગત તા.૧૦મી…
શાણાવાંકિયામાં સિંહણના જડબામાંથી પુત્રીને છોડાવતી જનની -માતાએ પથ્થરમારો કરી સિંહણને ભગાડી, ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકી હોસ્પિટલમાં દાખલઉના, ગિરગઢડા તાલુકાના છેવાડાના શાણાવાંકિયા ગામે મંગળવારે બપોરે કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી. અહીં એક આંબાના બગીચામાં ૮ વર્ષની બાળકીને સિંહણ ઉઠાવી ગઈ હતી. જોકે માતાએ અદમ્ય હિંમત દાખવી પથ્થરો વડે સિંહણનો સામનો કરતા અંતે સિંહણે માસૂમને છોડીને ભાગવું પડ્યું હતું.મળતી માહિતી પ્રમાણે શાણાવાંકિયાના ભૂતડાદાદા ધજા વિસ્તારમાં આવેલા આંબાના બગીચામાં ૮ વર્ષીય રીવા મહેશભાઈ રામાણી તેની માતા મનીષાબેન સાથે કેરી વીણતી હતી. આ દરમિયાન બગીચામાં સિંહબાળ સાથે વસવાટ કરતી એક સિંહણ અચાનક ત્રાટકી હતી અને જોતજોતામાં માતાની નજર સામે જ રીવાને જડબામાં…
