પાટણ, પાટણના સમી તાલુકામાં ગંભીર ઘટના સામે આવી છે. જેમાં ૨૩ વર્ષીય પરિણીતાએ એક વર્ષના માસૂમ દીકરા સાથે કૂવામાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું. પરિણીતાએ સાસરીયાના ત્રાસથી આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે, ત્યારે મૃતકના પિતાએ જમાઈ-સાસરી પક્ષ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.સમગ્ર મામલે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, સમી તાલુકાના અમરાપુર (હંસનગર)માં પરિણીતાએ પુત્ર સાથે કૂવામાં પડીને આપઘાત કરતાં સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે.પોલીસ ફરિયાદ અનુસાર, રાધનપુરના ધરવડીના રહેવાસી પ્રભુભાઈ દાનાભાઈ ઠાકોરે તેમની પુત્રી હંશાબેનના અમરાપુર ગામના દેવુભાઈ કાનજીભાઈ ઠાકોર સાથે વર્ષ ૨૦૧૯માં લગ્ન કર્યા હતા. લગ્નજીવન થોડા સમય બાદ પરિણીતાનો…
Author: gujarat
ગાંધીનગર, ખેડૂતોની આવક બમણી કરવાની ગુલબાંગો વચ્ચે શહેરીકરણ અને ઔદ્યોગિકરણ તરફની આંધળી દોટના કારણે ખેતી નષ્ટ થઈ રહી હોવાનું ચિત્ર સામે આવ્યું છે. ગુજરાતના સાત જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન ખેતીની ૧૬,૩૫૨ જમીનો ‘બિન ખેતી’ થઈ ગઈ છે. એટલે કે આટલા ધરતીપુત્રોએ ખેતી તરફથી મોઢું ફેરવી લીધું છે.ખાસ કરીને વિપરીત સંજોગો વચ્ચે પણ ખેતી કરતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા હોવાથી હવે તેઓ પરંપરાગત વ્યવસાય તરફથી મોઢું ફેરવી રહ્યા છે.ભારત કૃષિ પ્રધાન દેશ છે.ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે, પરંતુ અત્યારે સૌથી વધુ દુઃખી ધરતીપુત્રો જ છે. એક તરફ વાતાવરણ વારંવાર દગો કરી રહ્યું છે, બીજી તરફ જણસોના પોષણક્ષમ ભાવ…
વડોદરાના પોઇચા ગામે મહી નદી ઉપર રૂ.૩૪૯ કરોડના ખર્ચે તૈયાર થનાર વિયરનું કામ પ્રગતિમાં:-જળ સંપત્તિ મંત્રીવડોદરા, રાજ્યમાં સિંચાઇ વિસ્તારમાં વધારો થાય અને ભૂગર્ભ જળ સ્તર ઉંચા આવે તેવા હેતુથી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જળ સંચયના અનેક પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે વડોદરાના પોઇચા ગામે મહી નદી ઉપર રૂ.૩૪૯ કરોડના ખર્ચે તૈયાર થનાર વિયરનું કામ પ્રગતિમાં છે.આ વિયરનું નિર્માણ થવાથી આજુબાજુની અંદાજે ૨૯ હજાર એકર જમીનને સિંચાઈના લાભની સાથે આ વિસ્તારમાં જળસ્તર ઉંચા આવશે તેમ,જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું.જળ સંપત્તિ મંત્રી શ્રી પટેલે વધુ વિગતો…
રાજ્યમાં ઘરેલુLPG-LNGપુરવઠો સુનિશ્ચિત કરવા માટેનું આયોજનઅમદાવાદ, મધ્ય-પૂર્વમાં ઉદ્ભવેલ ભૂ-રાજકિય પરિસ્થિતીના કારણે વિશ્વસ્તરે ઊર્જા ક્ષેત્રમાંLPG (Liquified Petroleum Gas)તથાLNG (Liquified Natural Gas)પુરવઠા પર પડેલા પ્રભાવને પહોંચી વળવા માટે અને રાજ્યમાં ગેસ પુરવઠો સતત જાળવી રાખવા માટે કેન્દ્ર સરકાર,રાજ્ય સરકાર અને ગેસ તથા ઓઇલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.સમગ્ર રાજ્યમાં ઘરેલુLPGસિલિન્ડરના વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે.કેન્દ્ર સરકાર દ્વારા ૫ માર્ચ ૨૦૨૬ ના ગેઝેટ નોટિફિકેશન દ્વારાLPGમાટે ઉપયોગ થતા બ્યુટેન તથા પ્રોપેન ગેસનો મહત્તમ ઉપયોગLPGના ઉત્પાદન માટે કરવામાં આવે તથા તે જાહેર ક્ષેત્રની ત્રણ ઓઇલ માર્કેટીંગ કંપનીઓ (IOCL, BPCLઅનેHPCL)ને જ…
રાજ્ય સરકારના સર્વગ્રાહી અભિગમ અને રિયલ ટાઈમ મોનિટરિંગને કારણે ગુજરાતમાં કુપોષણના દરમાં મોટો ઘટાડો નોંધાયોપરિવાર અને સમાજની સક્રિય ભાગીદારી થકી આપણે સૌ સાથે મળીને રાજ્યને સુપોષિત બનાવીશુંવિધાનસભાના ગૃહમાં મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રીએ રાજ્યમાં કુપોષણની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સર્વગ્રાહી અભિગમ અને રિયલ ટાઈમ મોનિટરિંગને કારણે ગુજરાતમાં કુપોષણના દરમાં મોટો ઘટાડો નોંધાયો છે.મંત્રીશ્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારના’પોષણ ટ્રેકર’ડેટા મુજબ,જાન્યુઆરી ૨૦૨૫ માં રાજ્યમાં ઓછા વજનવાળા બાળકોની ટકાવારી ૨૦.૫ ટકા હતી,જે જાન્યુઆરી ૨૦૨૬ માં ઘટીને ૧૧.૪ ટકા થઈ છે. આમ,એક જ વર્ષમાં ૯.૧ ટકાનો માતબર ઘટાડો જોવા મળ્યો છે. આ સુધારોNFHS-5ના જૂના આંકડાઓની સરખામણીમાં…
ઘેડ વિસ્તારના વિકાસ માટે મહત્વનો નિર્ણયકેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા,વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા તેમજ સ્થાનિક ધારાસભ્યના સતત પ્રયત્નોથી આ વિસ્તારની સમસ્યાનો કાયમી હલ આવશેફેઝ-૧ અને ફેઝ-૨ હેઠળ સોરઠી ઘેડ વિસ્તારમાં રૂ. ૧૧૮૪.૧૮ કરોડ અને બરડા ઘેડ માટે રૂ. ૩૫૦.૦૧ કરોડ મળી કુલ રૂ. ૧૫૩૪.૧૯ કરોડની યોજનાથી બન્ને ઘેડ વિસ્તારના પ્રશ્નોનો ઉકેલ આવશેઅગાઉ એપ્રિલ-૨૦૨૫માં ફેઝ-૧ની રૂ. ૧૩૯.૪૨ કરોડની યોજનાના કામો હાલ પ્રગતિ હેઠળઘેડવિસ્તારના૬તાલુકાનાગામ–ખેડૂતોનેઆયોજનાનોલાભમળશે ફેઝ–૧ના૧૭અનેફેઝ–૨ના૧૨કામોઆગામીબેવર્ષમાંપૂર્ણકરવાનુંઆયોજનખેડૂતો અને ગામજનોના હિતમાં સૌરાષ્ટ્રમાં સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી…
પિતા બાદ કાકાનું દેહદાન કરી એબીપી અસ્મિતાના શ્રી રોનક પટેલે શબ્દોથી નહીં, કર્મથી નિભાવ્યો પત્રકારધર્મમૃત્યુના શોકને સમાજ સેવાના અવસરમાં બદલી એક પરિવારના બે ભાઈઓએ દેહદાનથી પ્રગટાવી માનવતાની જ્યોતઅમદાવાદ, કહેવાય છે કે ‘શિક્ષક ક્યારેય નિવૃત નથી થતો’, આ વાતને અક્ષરશઃ સાર્થક કરી બતાવી છે અમદાવાદના એક એવા પરિવારે, જેણે પોતાના સ્વજનના મૃત્યુના શોકને સમાજ સેવાના અવસરમાં બદલી નાખ્યો છે.આ વાત છે એક એવા ગુરુની, જેમણે આખું જીવન મેડિકલના વિદ્યાર્થીઓને ભણાવ્યા અને અંતે પોતાનો દેહ પણ એ જ વિદ્યાર્થીઓના સંશોધન માટે અર્પણ કરી દીધો. ડૉ. વિઠ્ઠલભાઈ કાનજીભાઈ પટેલ (ડૉ. વી.કે. પટેલ) માત્ર એક નામ નહોતું, પણ મેડિકલ શિક્ષણ જગતની એક સંસ્થા હતા.32…
લાશના હાથ-પગ બાંધી, કોથળામાં ભરીને મંદિર પાસે ફેંકી દીધી હતી. પોલીસ માટે આ કેસમાં સૌથી મહત્વની કડી ‘દોરી’ બની હતી.પપ વર્ષની મહિલાને ગળે ટૂંપો આપીને હત્યા કર્યા બાદ લાશ કોથળામાં પેક કરીને ફેંકી આવ્યા-સુરતના કોસાડમાં પુત્ર, પુત્રવધૂએ જ માતાની ક્રૂર હત્યા કરી લાશ ફેંકી દીધીસુરત, સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ પાસે બે દિવસ પહેલા કોથળામાં બંધ હાલતમાં મળી આવેલી પપ વર્ષીય હમીદાખાતૂનની હત્યાનો ભેદ ઉકેલવામાં સુરત ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે.આ હત્યા કોઈ બહારની વ્યકિતએ નહીં, પરંતુ મૃતકના સગા પુત્ર પરવેઝ અને પુત્રવધૂ શબાનાએ મળીને કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ હત્યાકાંડમાં શબાનાના પિતા ફિરોઝ આલમે…
કોંગ્રેસના સભ્યોનું કહેવું હતું કે બજેટમાં ૨૦-૨૦ વર્ષ જૂના પ્રોજેક્ટોને ફરી રજૂ કરવામાં આવ્યા હોવાનું કહી જુની કેસેટ ગણાવ્યું હતું.રૂ.૨૩૫.૧૦ કરોડનું અને રૂ.૩૭.૭૧ કરોડની પુરાંતવાળુ બજેટ મંજૂર કરાયું-ભરૂચ પાલિકાની બજેટ લક્ષી અંતિમ સામાન્ય સભા મળી(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નગર સેવાસદન દ્વારા ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી.જેમાં રૂપિયા ૨૩૫.૧૦ કરોડનું અને ૩૭.૭૧ કરોડની પુરાંતવાળુ બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જોકે સભા શરૂ થાય તે પહેલા જ વિપક્ષે સત્તાપક્ષ ને ઘેરતા સત્તાપક્ષ અને વિપક્ષ આમને સામને જોવા મળ્યા હતા.ભરૂચ નગર સેવા સદનની ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટલક્ષી સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ યાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી.આ બેઠકમાં નગર સેવા સદનનું ૨૩૫.૧૦ કરોડનું…
વડગામ, ખેડૂતોની રજૂઆતોના અંતે વડગામ, પાલનપુરના ૧ર૬ તળાવો હવે મહેસૂલી રેકોર્ડમાં સમાવાયા છે જેના લીધે તે તમામ તળાવ કુદરતી તળાવ તરીકે નોંધાતા નર્મદાના પાણીથી ભરાશે. વહીવટી તંત્રે સરપંચો સાથે બેઠક કૃયા બાદ તળાવોની માપણી અને કાર્યવાહી પૂર્ણ કરાઈ છે જેમાં વડગામના ૭૩ અને પાલનપુરના પ૩ તળાવોનો સમાવેશ કરાયો છે.સિદ્ધપુરના ડિંડરોલથી વડગામના કરમાવદ તળાવ સુધીની પાઈપલાઈન નાંખવાની પૂરી થઈ છે. જો કે, નજીકના ગામોના તળાવો સરકારી રેકર્ડ પર તળાવ ન હોવાથી ખેડૂતોમાં નારાજગી ફેલાઈ હતી. આસપાસના ગામોમાં વિરોધ ઉઠયો હતો. કેટલાક ખેડૂતોએ કલેકટર કચેરી રૂબરૂ પહોંચી તળાવો ભરવા રજૂઆત કરી હતી.ભૂગર્ભ જળસ્તર નીચે જતા ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતા છે. આ સમસ્યાના…
