વકીલ આલમમાં ખુશીની લહેર-ઐતિહાસિક જીત અને રેકોર્ડબ્રેક મતોઃ ૨૫ વર્ષની અવિરત સેવા અને મજબૂત નેતૃત્વ(એજન્સી)અમદાવાદ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં સમગ્ર રાજ્યના વકીલ આલમમાં જેમના નામનો દબદબો છે તેવા લોકપ્રિય અને પીઢ ધારાશાસ્ત્રી શ્રી જે. જે. પટેલે ભવ્ય વિજય મેળવીને એક નવો ઇતિહાસ અંકિત કર્યો છે.ગુજરાત રાજ્યના વકીલોની માતૃસંસ્થા એવી બાર કાઉન્સિલની આ ચૂંટણીમાં શ્રી જે. જે. પટેલે પ્રથમ પસંદગીના મતોનો ક્વોટા અત્યંત પ્રભાવશાળી રીતે પાર કર્યો છે. વર્ષ ૧૯૬૧ પછીની બાર કાઉન્સિલની ચૂંટણીઓના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો (ક્વોટા) એટલે કે ૧૯૨૯ થી વધુ પ્રથમ પસંદગીના મતો મેળવીને તેમણે એક અજેય લીડ પ્રાપ્ત કરી છે. આ…
Author: gujarat
કેનેડિયન નાગરિકોને શિકાર બનાવતું વધુ એક આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચાંદખેડામાંથી ઝડપાયું(એજન્સી)અમદાવાદ, શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરના સાયબર ફ્રોડનો સિલસિલો યથાવત છે, ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ચાંદખેડા વિસ્તારમાં ધમધમતા એક ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. આ કોલ સેન્ટર દ્વારા ખાસ કરીને કેનેડિયન નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા. બેંક અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી વિદેશીઓને ડરાવી-ધમકાવી ગિફ્ટ કાર્ડ દ્વારા ડોલર પડાવતા ૪ શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.સાયબર ક્રાઈમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચાંદખેડામાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ કેનેડામાં રહેતા લોકોને ફોન કરીને પોતે બેંકના કર્મચારી હોવાનું જણાવતા હતા. તેઓ કેનેડિયન નાગરિકોને એવું કહીને…
બટાકાના ભાવમાં ૬૦ ટકાનો ઘટાડો: ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકી(એજન્સી)મહેસાણા, ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને લીધે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં ભારતની આયાત-નિકાસને મોટો ફટકો પડ્યો છે. જેમાં ગુજરાતમાંથી બટાકાની નિકાસ પણ અટકી પડતા ઘરઆંગણે બટાકાના ભાવમાં ૬૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.ઘણા વેપારીઓએ પણ કોલ્ડ સ્ટોરેજમાં બટાકાનો સંગ્રહ કર્યો છે. ભાવ ઘટતા વેપારીઓ પણ પસ્તાય રહ્યા છે. મહેસાણાનો વિજાપુર અને તેનો કાંઠા વિસ્તાર જે ઉત્તમ ગુણવત્તાના બટાકા માટે જાણીતો છે, ત્યાં આજે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે.ગત વર્ષે જે બટાકા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયા હતા, તે જ આ વર્ષે ખેડૂતોની કમર તોડી રહ્યો છે. બજારમાં બટાકાના ભાવમાં ૬૦…
પશ્ચિમ બંગાળમાં ૧૫ વર્ષ જૂનું ડીએ એરિયર્સ ચૂકવવાની જાહેરાત(એજન્સી)કોલકાતા, પશ્ચિમ બંગાળ સરકારના કર્મચારીઓને રવિવારે મોટી ખુશખબર મળી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યના કર્મચારીઓનું ૨૦૦૯થી બાકી રહેલું મોંઘવારી ભથ્થું એરિયર્સ ચૂકવવામાં આવશે.ચૂંટણી પંચ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર કરવા જઈ રહ્યું છે. ત્યારબાદ જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે, ત્યાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જશે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારો કોઈ નવી જાહેરાત કરી શકશે નહીં. આચાર સંહિતા લાગુ થાય તે પહેલા જ મમતા બેનર્જીએ મોંઘવારી ભથ્થું એરિયર્સ સહિત અનેક મોટી જાહેરાતો કરી દીધી…
શામળાજી, ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમના ગુનામાં વોન્ટેડ અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સાથે સંકળાયેલા રીઢા ગુનેગાર સુખલાલ ઉર્ફે શાકાજી ડાંગીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવા માટે ફિલ્મી સ્ટાઈલે હુમલો કર્યાે હતો.અરવલ્લી જિલ્લાના શામળાજી ચેકપોસ્ટ પાસે આરોપીએ પોલીસ ડ્રાઈવરનું ગળું ટૂંપતા સર્જાયેલી અફરાતફરીમાં પોલીસ ઇન્સ્પેક્ટરે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં આરોપીના કાંડાના ભાગે ગોળી વાગતા તેને સારવાર અર્થે હિંમતનગર ખસેડાયો છે.સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગાંધીનગરના ગુજસીટોક અને દારૂબંધીના કેસમાં વોન્ટેડ સુખલાલ ઉર્ફે શાકાજી ડાંગીને ગત ૧૨ માર્ચના રોજ રાજસ્થાનના ઉદયપુરના પ્રતાપનગર વિસ્તારમાંથી દબોચી લીધો હતો.શુક્રવારે(૧૩ માર્ચ) સવારે પોલીસ ટીમ કારમાં આરોપીને લઈને ગુજરાત આવી રહી હતી. જેમાં આરોપીને હાથકડી પહેરાવી પાછળની…
અમદાવાદ, શહેરના સોલા વિસ્તારમાં એક વેપારી એડમર પિઝટ, કેસીઓ કંપનીની એડીફીશ-જી-શોક મોડલ અને બલ્ગરી કંપનીની ડુપ્લિકેટ ઘડિયાળો વેચતો હોવાની એક કંપનીને માહિતી મળી હતી.જે કંપનીના ઓથોરાઇઝ્ડ વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસની ટીમે આ વ્યક્તિને સાથે રાખીને વેપારીના ત્યાં રેડ પાડી હતી. રેડ દરમિયાન વેપારી કરોડોની કિંમત ધરાવતી વિવિધ બ્રાન્ડની ડુપ્લિકેટ ઘડિયાળ વેચતો હોવાનું સામે આવતા પોલીસે તેને ઝડપી પાડ્યો છે.પોલીસે આરોપી પાસેથી વિવિધ કંપનીની ૧૩૨ ડુપ્લિકેટ ઘડિયાળો કબજે કરી તપાસ હાથ ધરી છે. સોલા વંદેમાતરમ રોડ પર આવેલા ક્વીક સ્ટોરમાં કરોડોની કિંમત ધરાવતી વિવિધ બ્રાન્ડની ડુપ્લિકેટ ઘડિયાળ વેચાતી હતી. આ પ્રકારની માહિતી એક કંપનીના અધિકારીને મળતા તેમણે તપાસ…
અમદાવાદ , સેટેલાઈટમાં રહેતા વેપારીને શેરબજારમાં રોકાણ કરી મોટું વળતર આપવાની લાલચ આપીને લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ અને સભ્યે કુલ શ્ ૪.૦૪ કરોડની છેતરપિંડી આચરી છે.આરોપીએ શેરબજારમાં રોકાણ કરવાની વાત કરીને પત્ની, માતા અને ભાગીદારના નામે આખું રેકેટ ચલાવીને અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ થઇ છે. વેપારીએ આ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.આંબાવાડીમાં રહેતા મહેન્દ્રભાઈ પટેલ વટવા જીઆઈડીસીમાં મશીનરી મેન્યુફેક્ચરિંગ કંપની ધરાવે છે. છેલ્લા પાંચ વર્ષથી લાયન્સ ક્લબમાં સભ્ય હોવાથી સભ્ય અને પ્રમુખ એવા મિહિર પરીખ સાથે પરિચય થયો હતો. મિહિર પોતે માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, ટૂર્સ એન્ડ…
પાલનપુર, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં બાઇક સહિતના વાહનોની ઉઠાંતરી કરતી ટોળકીને પાલનપુર એલસીબીની ટીમે ઝડપી પાડી છે. જેમાં જુદા જુદા ૧૭ વાહન ચોરીના ભેદ ઉકેલીને આરોપી પાસેથી ચોરી કરાયેલા ૧૦ બાઇક અને એક બોલેરો મળી ૧૧ વાહનો કબજે કરી ત્રણની અટકાયત કરી હતી.બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ અલગ ૩ ટીમો દ્વારા વાહન ચોરીના ગુના ડીટેક્ટ કરવા હ્યુમન સોર્સ તથા ટેકનીકલી લીડ મેળવવાનો ટાસ્ક અપાયો હતો. જેમાં અલગ અલગ જગ્યાના આશરે ૧૦૦ વધારે સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ તથા ટેકનિકલ, નેત્રમ કેમેરાની મદદથી આજુબાજુના જિલ્લાઓમાં બનેલા વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા નરેશ ઉર્ફ નરશા દિતારામ ખેર (રહે.મહુડી તા.કોટડા જિ.ઉદેપુર રાજસ્થાન), કિરણસિંહ…
સુરત, સુરતના ઉમરા-વેલંજા રોડ પર આવેલા અવસર પ્લાઝામાં છેલ્લા દોઢ વર્ષથી ચાલતી નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર ઉત્રાણ પોલીસે દરોડો પાડી ૫૮૩ કિલોગ્રામ તૈયાર નકલી ઘી સહિત અંદાજે પાંચ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે. આ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે ફેક્ટરીનો માસ્ટર માઈન્ડ વોન્ટેડ જાહેર કરાયો છે.પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, અવસર પ્લાઝાની દુકાન નંબર ૧૦૬ અને ૧૦૮માં આ કૌભાંડ ચાલી રહ્યું હતું. આરોપી પિયુષ વિઠ્ઠલ સાંગાણી છેલ્લા દોઢ વર્ષથી અસલ ઘી જેવી સુગંધ લાવવા માટે ઘાતક કેમિકલ સિરપ ઉમેરતો હતો. આ નકલી જથ્થો ‘શ્રી સહજાનંદ’ અને ‘શ્રી ગજાનંદ’ જેવી બ્રાન્ડના નામે પેક કરી સુરત…
આણંદ, આણંદ જિલ્લાના ખંભાત શહેરના મૂળ વતની હાલ વડોદરા શહેરમાં સ્ટાર રેસીડેન્સી વસંત વિહાર ભાયલી રોડ વિસ્તારમાં રહેતા એક શખ્સે ૪૫ જેટલા લોકોને વારાણસી ખાતે યોજાયેલી કથામાં લઈ જવા માટે રૂ.૧.૪૮ લાખ ઉપરાંતની રકમ ઓનલાઈન મેળવી લઈને ટિકીટ બુક નહીં કરાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ પેટલાદ શહેર પોલીસમથકમાં નોંધાઈ છે.આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં નાના પંડયાની પોળ વિસ્તારમાં ક્›ણાલ કિરીટભાઈ ત્રિવેદી રહે છે. તેઓ દશ વર્ષ પહેલા પેટલાદ રાજકિય સંસ્કૃત પાઠ શાળામાં પૂજાપાઠ કરવા માટે જતા હતા. ત્યારે તેમની સાથે વડોદરા ખાતે રહેતા મૂળ ખંભાતના ચિરાગભાઈ મુકેશચંદ્ર જોશી પણ પૂજાપાઠ શીખવા માટે આવતા હોવાથી તેમની સાથે ઓળખાણ થઈ હતી.તેમને અઢી માસ અગાઉ…
