રાજ્યમાં ઘરેલુ તેમજ કોમર્શિયલ હેતુ માટેPNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધરાજ્યમાંLPGસહિત કેરોસીનના વિતરણ અંગેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે: સુશ્રી મોના ખંધાર,અધિક મુખ્ય સચિવ,અન્ન અને નાગરિક પુરવઠા વિભાગખાનગી અને જાહેર ક્ષેત્રની તમામ ગેસ એજન્સીઓના મોનિટરિંગ માટે અધિકારીઓની ટીમ તૈનાતગાંધીનગર, સોમવાર 16 માર્ચ 2026ના રોજ ગાંધીનગર વિધાનસભા પરિસર ખાતે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તેમજ અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ વિભાગના ઉદ્દેશ્ય, “અંત્યોદયથી સર્વોદય,સૌને અન્ન,સૌને પોષણ”ના…
Author: gujarat
ગાંધીનગર, 16 માર્ચ : ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે નર્મદા પરિક્રમા માત્ર યાત્રા નથી; પણ આસ્થા, સાધના અને આધ્યાત્મિક શક્તિનો અનોખો અનુભવ રહી છે અને ગુજરાતમાં યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા આ જ સનાતન પરંપરાનું જીવંત પ્રતિબિંબ છે કે જ્યાં ભક્તો નર્મદા માતાની આરાધના સાથે પરિક્રમા કરીને આધ્યાત્મિક સાહસ થકી શાંતિનો અનુભવ મેળવે છે.ગુજરાત સરકાર પણ દર વર્ષે યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાને ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે વિશાળ પાયે વ્યવસ્થાઓ કરે છે. આ વર્ષે આગામી ફાગણ વદ અમાસ 19 માર્ચથી ચૈત્ર વદ અમાસ 17 એપ્રિલ 2026 સુધી ચાલનારી આ 30 દિવસીય નર્મદા પરિક્રમા માટે પણ રાજ્ય સરકારે…
શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ તેમના 71માં જન્મદિવસ નિમિત્તે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના‘કેન્દ્રની મુલાકાત લઈ શ્રમિકોને સ્વહસ્તે ભોજન પીરસ્યુંગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોના સર્વાંગી કલ્યાણ અને સુખાકારી માટે કાર્યરત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતર્ગત શ્રમિક પરિવારોને પૂરતું પોષણ અને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવા માટે નક્કર આયોજન કરવામાં આવ્યું છે. બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિકો અને તેમના પરિવારને સાદું,સાત્વિક અને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુથી આ યોજનાનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ગુજરાત સરકારના શ્રમ,કૌશલ વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોતાના 71 મા જન્મદિવસની ઉજવણી,આજે ગાંધીનગરમાં સેક્ટર – 6માં આવેલા કડિયા નાકા પાસેના શ્રમિક…
ભરૂચમાં નવા જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થકી ૨ લાખથી વધુ યુવાનોના સપના સાકાર થશે-વિશ્વમાં ગ્લોબલ કેમિકલ હબ તરીકે ખ્યાતિ પ્રાપ્ત ભરૂચ જિલ્લાના જંબુસરમાં એક હજાર એકરમાં દેશનો પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્ક આકાર લઈ રહ્યો છેઅરજદારોને સરળ-સુગમ વહીવટી સેવાઓ પૂરી પાડવા મહેસૂલ વિભાગ દ્વારા રૂ. ૧.૧૭ કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા ૪ જનસેવા કેન્દ્રોનું લોકાર્પણનર્મદા પરિક્રમાર્થીઓ માટે ૮ વિશ્રામ હોલ અને ગ્રામીણ સ્તરે ૬૪ નવા પંચાયત ઘરોની ભેટમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના સર્વાંગી વિકાસને નવી ગતિ આપતા રૂ. ૧૨૪૮.૫૭ કરોડના ૭૩ વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત તેમજ રૂ.૧૦૨ કરોડના ૬૬ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી ભરૂચના નાગરિકોને કુલ અંદાજિત રૂ. ૧૩૫૦.૬૮ કરોડના કુલ ૧૩૯ વિકાસ…
સેવા,શિસ્ત અને સંસ્કાર જ યુવા જીવનનો સાચો શણગાર;સ્કાઉટ્સ-ગાઈડ્સ પ્રવૃત્તિ રાષ્ટ્રનિર્માણની પાઠશાળા: રાજ્યપાલનાની ઉંમરે રચાયેલો સ્વભાવ જ આજીવન વ્યક્તિત્વની ઓળખ બને છે;ભૂલો છુપાવવાને બદલે પારદર્શક બનવા યુવાનોને રાજ્યપાલશ્રીની શીખવૃક્ષારોપણ અને વ્યસનમુક્તિને જીવનનો હિસ્સો બનાવવા રાજ્યપાલશ્રીનું આહવાનગાંધીનગર, લોકભવન ખાતે આયોજિત ‘ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ્સ ગાઈડ્સ‘ના રાજ્ય સન્માન સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સ્કાઉટ્સ-ગાઈડ્સ અને રોવર-રેન્જર્સને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા. આ તકે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે,આજની યુવા પેઢી જ્યારે મોબાઈલ,ટીવી અને અન્ય વ્યસનોના પ્રભાવ હેઠળ છે,ત્યારે સ્કાઉટ્સ-ગાઈડ્સની આ શિસ્તબદ્ધ ટીમમાં જોડાયેલા બાળકો ખરેખર ભાગ્યશાળી છે. નાની ઉંમરે જ્યારે તમે વૃક્ષારોપણ,સ્વચ્છતા અને જળ સંરક્ષણ જેવા કાર્યો સાથે જોડાવ છો,ત્યારે…
Øપોલિયો મુક્ત ગુજરાતની સિદ્ધિને ટકાવી રાખવા માટે વર્ષ2025માં24.65લાખ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યાØ“ટીકા એક્સપ્રેસ“, “મોબાઇલ મમતા દિવસ”અને“ખિલખિલાટ વાહન”જેવા માધ્યમોના કારણે અંતરિયાળ વિસ્તારોમાં રસીકરણ શક્ય બન્યુંØઓરી–રુબેલા નાબૂદી માટેIDSPઅનેVSIMSસિસ્ટમ દ્વારા પ્રાપ્ત રિયલ–ટાઇમ ડેટાનો ઉપયોગØગુજરાતમાં28ફેબ્રુઆરીથી રાષ્ટ્રવ્યાપીHPVરસીકરણ અભિયાનનો પ્રારંભવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશા માતા અને શિશુ આરોગ્યને રાષ્ટ્રીય પ્રાથમિકતા આપી છે. તેમના આ વિઝનને અનુરૂપ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આ ક્ષેત્રમાં અભૂતપૂર્વ કાર્ય કરી રહી છે. રાજ્યમાં ‘સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ’ સુદ્રઢ બન્યો છે,જેથી માતાઓ અને બાળકોને સુરક્ષાનું એક વ્યાપક કવચ મળી રહ્યું છે. ગુજરાત સરકારની આ નિરંતર અને અસરકારક પહેલોના પરિણામે,વર્ષ2025-26દરમિયાન11.30લાખથી વધુ શિશુઓ અને24લાખથી વધુ બાળકોનું સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું છે.સ્વસ્થ…
વિધાનસભામાં બે ધારાસભ્યો બાજુબાજુમાં બેસે છે પણ જાણે બાપે માર્યા વેર હોય તેમ કોઈ દિવસ એક બીજા સાથે વાત નથી કરતા ગુજરાતની ૧૫મી વિધાનસભાના આઠમા સત્રમાં ધારાસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો મિજાજ કંઈક નોખો અને અનોખો લાગે છે!વાત જાણે એમ છે કે ભા. જ. પ. ની લોખંડી શિસ્ત હેઠળ તેના ધારાસભ્યો પોતે ઈચ્છતા હોય તેવો મૌલિક કે વૈચારિક પ્રશ્ન પુછી શકતા નથી.એ માટે તેઓએ મુખ્ય દંડકની ઓફિસમાંથી આવતી ચબરખી વાંચીને જ પ્રશ્નો પૂછવા પડે છે! આને કારણે વિધાનસભાની કાર્યવાહી નિરસ બની જાય છે. આના ઉપાય તરીકે તા. ૯/૩/૨૬ના રોજ મળેલી બેઠકમાં અધ્યક્ષ શંકર ચૌધરીએ પોતાનો નિર્ણય જાહેર કર્યો કે ‘વિધાનસભાનાં નિયમોના…
ગાંધીનગર, ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તા.૩૦ માર્ચ,૨૦૨૬ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તા.૨૩ એપ્રિલ,૨૦૨૬ના રોજ મતદાન તથા તા.૪ મે,૨૦૨૬ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગોવા,કર્ણાટક,મહારાષ્ટ્ર,નાગાલેન્ડ અને ત્રિપુરા રાજ્યોની વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી સહિત ગુજરાતની ઉમરેઠ બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.જે અંતર્ગત ઉમરેઠ વિધાનસભા બેઠક માટે તા.૩૦ માર્ચ,૨૦૨૬ થી તા.૦૬ એપ્રિલ,૨૦૨૬ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરી શકાશે. ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે તા.૧૫ માર્ચ,૨૦૨૬ થી આદર્શ આચાર સંહિતા લાગુ પડશે. ઉલ્લેખનીય છે…
(એજન્સી)અમરેલી, અમરેલી જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાનું વધુ એક મોટું અને ગંભીર કૌભાંડ સામે આવ્યું છે. ખાંભા તાલુકાના ઈંગોરાળા ગામમાં ફૂડ વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પરા વિસ્તારના એક મકાનમાંથી ૨૨૦ લીટર શંકાસ્પદ નકલી દૂધનો જથ્થો ઝડપી પાડ્યો છે.આ દરોડા દરમિયાન દૂધ બનાવવા માટે વપરાતો ૨૦૦ કિલોથી વધુ પાઉડર અને વનસ્પતિ તેલ પણ મળી આવતાં તંત્ર ચોંકી ઉઠ્યું હતું. મોડી રાત્રે કાર્યવાહી કરતા ફૂડ વિભાગે નકલી દૂધના સેમ્પલ લઈને સ્થળ પર જ ૨૨૦ લીટર દૂધનો નાશ કર્યો છે અને પોલીસે આ મામલે જાણવાજોગ ફરિયાદ નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે.પ્રાપ્ત વિગતો મુજબ, અમરેલીના ઈંગોરાળા ગામના પરા…
AI જનરેટેડ અશ્લીલ વીડિયો દ્વારા છેતરપિંડીનું નેટવર્ક અમદાવાદમાં ઝડપાયું(એજન્સી)અમદાવાદ, શહેરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો દુરુપયોગ કરી નિર્દોષ લોકોને હનીટ્રેપમાં ફસાવતું એક મોટું નેટવર્ક અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શોધી કાઢ્યું છે.એસ્કોર્ટ સર્વિસના નામે યુવતીઓના એડિટ કરેલા અને એઆઈ જનરેટેડ અભદ્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી લોકોને આકર્ષવામાં આવતા હતા. ક્રાઈમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં આ કૌભાંડના તાર રાજસ્થાન અને છત્તીસગઢ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.સાયબર ક્રિમિનલ્સ હવે છેતરપિંડી માટે અદ્યતન ટેકનોલોજીનો સહારો લઈ રહ્યા છે. આ ટોળકી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પર સુંદર યુવતીઓના એઆઈ દ્વારા તૈયાર કરેલા નકલી વીડિયો અને ફોટા મૂકતા હતા.એસ્કોર્ટ સર્વિસ કે ડેટિંગના નામે સંપર્ક કરનારા યુવાનો…
