ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી છેતરપિડીની ઘટન સામે આવી છે. જેમાં બાવાજીના વેશમાં આવેલા ગઠિયાઓએ એક વ્યક્તિને પૈસા ડબલ અને ચાર ગણા કરી આપવાની લાલચ આપી કુલ રૂપિયા ૧પ લાખ પડાવી લીધા છે.ફરિયાદી દિનેશજી ચાવડા (રહે.મોટી આદરાજ, સુથારવાસાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આ ઘટનાની શરૂઆત આશરે નવા મહિના પહેલાં થઈ હતી. દિનેશજી જ્યારે પોતાની એક્ટિવા પર નંબર પ્લેટ નંખાવવા જઈ રહ્યા હતા ત્યારે રૂપાલ-નારદીપુર રોડ પર એક સફેદ કારમાં બેઠેલા બે શખ્સોએ તેમને અટકાવ્યા હતા.કારમાં એક બાવાજી બેઠેલા હતા. બાવાજીએ ફરિયાદીને આશીર્વાદ આપવાના બહાને વિશ્વાસમાં લીધા અને શરૂઆતમાં પ૦૦ની નોટના બદલે ડબલ પૈસા કરી આપ્યા હતા. ત્યારબાદ…
Author: gujarat
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલન યોજાયું(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશના કોઈપણ રાજ્યમાં આદિવાસી સમાજ માટે ગુજરાત જેવું કામ નહીં થયું હોવાનો હુંકાર કર્યો હતો.ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નેત્રંગ ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરાયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંમેલનમાં આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.સંમેલન પેહલા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ નેત્રંગ ચાર રસ્તા સ્થિત ભગવાન બિરસામુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા.નેત્રંગ ચાર રસ્તાથી આદિવાસી શૈલી મુજબ હર્ષ સંઘવીનું ભવ્ય રેલી રૂપે સ્વાગત સભા સ્થળ સુધી કરાયું હતું.સભાને સંબોધતા હર્ષ…
સ્થાનિક ખેડૂતોના સહયોગથી કાજુના વેલ્યુ એડિશન માટે પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાયી વેચાણ શરૂ કર્યું(ડાંગ માહિતી બ્યુરો)ઃ આહવાઃડાંગ જિલ્લાના ખેડૂતો આજે બાગાયત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. ખેડૂતોની અવિરત મહેનત તથા રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓના અસરકારક અમલના પરિણામે જિલ્લામાં બાગાયતી ખેતીને પૂરતું પોષણ મળી રહ્યું છે.ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ જામલાપાડા ગામે અંબિકા બાગાયત ફળ,ફુલ શાકભાજી ઉત્પાદક સહકારી મંડળી દ્વારા કાજુ ઉત્પાદન તથા કાજુ પ્રોસેંસીંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ મંડળી થકી ડાંગ જિલ્લાના લોકો કાજુની ખેતી તરફ વળ્યાં છે. અને ધર આંગણે રોજગારી મેળવતાં થયા છે. જામલાપાડા આવેલ અંબિકા બાગાયત ઉત્પાદક સહકારી મંડળી ખેડુતોના સહયોગથી કાજુ પ્રોસેસિંગ પ્લાન્ટ…
(પ્રતિનિધિ) મોડાસા, આજે શામળાજી યાત્રાધામ ખાતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખો અને પ્રતીકાત્મક કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લામાં વર્ષોથી પડતર રહેલા પ્રશ્નો અને શામળાજી યાત્રાધામના અધૂરા વિકાસ અંગે સરકાર અને વહીવટી તંત્રમાં જાગૃતિ અને સંવેદના જાગે તે માટે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભગવાન શામળિયાના ચરણોમાં સામૂહિક પ્રાર્થના કરી હતી.આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સૌપ્રથમ ભગવાન શામળિયાજીના મંદિરમાં દર્શન કરી મંદિરની પ્રદક્ષિણા કરી અને ધ્વજારોહણ બપોરે ૧૨ઃ૩૯ વાગ્યે વિજય મુહૂર્તમાં કર્યું. અને ભગવાન શામળિયાના ચરણોમાં પ્રાર્થના પત્ર અર્પણ કરવામાં આવ્યો.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અરૂણભાઇ પટેલે જણાવ્યું હતું કે પ્રાર્થના પત્રમાં શામળાજી યાત્રાધામના વિકાસ સાથે જોડાયેલા અનેક ગંભીર મુદ્દાઓ…
એક સપ્તાહમાં વેરિફિકેશન કરવા આદેશ(એજન્સી)અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ૫૮૬ પાથરણાવાળા કે જેમને પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા છે તેમને ૨૧મી માર્ચ સુધીમાં ભદ્ર પરિસરમાં ફરીવાર પુનઃ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે.ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડી. એન. રેની ડિવિઝન બેન્ચે સપ્ટેમ્બર ૨૦૨૫માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રમાણિત પાથરણાવાળાને વેન્ડિંગ ઝોનમાંથી હટાવવાના નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો હતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૮મી ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવેલા સોગંદનામાં પ્રમાણે ૫૮૬ પાથરણાવાળાને કોર્પોરેશન દ્વારા પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા હતા. આ ૫૮૬ પાથરણાવાળા પૈકી ૨૬૨ પાથરણાવાળાનું પ્રતિનિધિત્વ સેવા દ્વારા જ્યારે ૩૨૪ પાથરણાવાળાનું પ્રતિનિધિત્વ સેલો સંસ્થાન દ્વારા કરવામાં આવ્યું…
સિદ્ધપુર, પાટણ શહેરના નિલમ સિનેમા વિસ્તારમાં ગુરુવારે ભરબપોરે જૂની અદાવતમાં થયેલી ફાયરિંગની ઘટનામાં શહેરના બુકડી વિસ્તારમાં રહેતા અને ભેંસોના વ્યવસાય સાથે સંકળાયેલા આધેડનું મોત નીપજ્યું હતું.બનાવને પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવી ફાયરિંગ કરી ફરાર થયેલા શખ્સને ઝડપી લેવા શહેર ફરતે નાકાબંધી કરી સીસીટીવી ફૂટેજ તપાસી ચક્રોગતિમાન કરાયાં હોવાનું જાણવા મળ્યું છે. શહેરના બુકડી વિસ્તારમાં રહેતા અને ભેંસોના વ્યવસાય સાથે સંકળાયેલા યુસુબખાન ચાંદખાન પઠાણ (ઉ.વ. ૫૦) સવારે ૧૧ વાગ્યાના સુમારે નિલમ સિનેમા વિસ્તારમાં ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ઝહીર ઉર્ફે ખોખરા, સાહિદ સાજીદ શેખ અને એઝાઝ ઉર્ફે વેતીયો રસુલભાઈ સિપાઈએ રિક્ષામાંથી ઉતરી યુસુફ ખાનની…
જામનગર, સૌરાષ્ટ્રના મહત્વના ઔદ્યોગિક શહેરો જામનગર અને મોરબી હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એક તરફ જામનગરમાં આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે કાચા માલની આયાત અટકી છે, તો બીજી તરફ મોરબીમાં સિરામિક એકમો બંધ થતાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયના પૈડાં થંભી ગયા છે, જેના કારણે હજારો પરિવારોની આજીવિકા સામે પ્રશ્નાર્થ ચિન્હ લાગ્યો છે.જ્યારે સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઈલ ઉદ્યોગ પર યુદ્ધની અસર જોવા મળી રહી છે. સ્ટીમની મદદથી ચલાવાતા ૧૦હજારથી વધારે પાવરલૂમ્સને ગેસ નહીં મળતા આ યુનિટ્સ ડગુમગુ થવા માંડ્યા છે.જામનગરના બ્રાસ ઉદ્યોગમાં ભંગારની આયાત પર મોટી બ્રેક લાગી છે.આ અંગે જામનગર બ્રાસ ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા…
અમદાવાદ, મિડલ ઈસ્ટમાં યુદ્ધને પગલે ગેસના સિલિન્ડરની છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી ખેંચતાણથી વિદ્યાર્થીઓ ચિંતામાં મૂકાયા છે. કેમકે, પીજી તરીકે રહેતા વિદ્યાર્થી-નોકરિયાતો જ્યા રહે છે, ત્યા નાના પાયે ચાલતા રસોડામાં કે પછી બહાર રેસ્ટોરન્ટમાં જમતા હોય છે. હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડર નહીં મળતા હોવાથી તેમને પણ જમવાની મુશ્કેલી સર્જાઈ શકે છે.અમદાવાદમાં હાલ ૬૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ પીજીમાં રહે છે. જેમાંથી મોટાભાગના ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, વસ્ત્રાપુર અને શ્યામલ વિસ્તારમાં છે. હાલ આ પીજીમાં ગેસ સિલિન્ડરને લઈને કોઈ સમસ્યા સર્જાઈ નથી. પરંતુ તેના સંચાલકો અને પીજીમાં રહેતા લોકોમાં એક ચિંતા વ્યાપી ગઈ છે.બીજી તરફ વડોદરામાં પીજીના વિદ્યાર્થીઓ માટે નાના પાયે ચાલતા રસોડા…
અમદાવાદ મંડળમાં કાંકરિયા સ્થિત આધુનિક મેકેનાઈઝ્ડ લોન્ડ્રી: મુસાફરોને મળી રહ્યા છે સ્વચ્છ અને હાઇજિનિક બેડરોલઅમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા મુસાફરોને સ્વચ્છ,સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાની લિનેન સેવા ઉપલબ્ધ કરાવવા માટે કાંકરિયા ખાતેBOOTમોડેલ આધારિત આધુનિક મેકેનાઈઝ્ડ લોન્ડ્રીનું અસરકારક સંચાલન કરવામાં આવી રહ્યું છે.આ અત્યાધુનિક લોન્ડ્રી લાંબા અંતરની ટ્રેનોમાં એસી શ્રેણીના મુસાફરોને આપવામાં આવતાબેડરોલની ધોલાઈ,સફાઈ અને પ્રબંધનનેવૈજ્ઞાનિક તથા સ્વચાલિત ટેકનોલોજી દ્વારા સુનિશ્ચિત કરે છે.•આ પ્રોજેક્ટનીધોલાઈ ક્ષમતા પ્રતિ શિફ્ટ8ટન (કુલ16ટન)છે,જ્યારે દરરોજ આશરે19.5ટન લિનેન(18ટન બેડરોલ અને1.5ટન અન્ય કપડા) ની ધોલાઈ કરવામાં આવે છે·હાલમાં લિનેન ધોલાઈ માટેનોકરાર દર₹16.65પ્રતિ કિલોગ્રામ અથવા પ્રતિ બેડરોલનક્કી કરવામાં આવ્યો છે અને આ એકમમાં અંદાજે200કર્મચારીઓ કાર્યરત છે.·લોન્ડ્રીમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP)દ્વારા…
ગાંધીનગર, ૧૩ માર્ચ: સુરત જિલ્લામાં ટેસ્ટિંગ દરમિયાન નવી બનેલી ઓવરહેડ પાણીની ટાંકી ધરાશાયી થવાના મામલે ગુજરાત સરકારે નિર્માણ એજન્સી પાસેથી ₹૧.૦૪ કરોડની વસૂલાત કરી છે. જળ સંપત્તિ અને પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલે શુક્રવારે રાજ્ય વિધાનસભામાં આ જાણકારી આપી હતી.ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, તડકેશ્વર ગામના હરિયાળ સબ હેડવર્કસ ખાતે આ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે ટેસ્ટિંગ દરમિયાન તૂટી પડી હતી.આ ઘટના જાન્યુઆરી મહિનામાં બની હતી જ્યારે ‘ગાયપગલા જૂથ પાણી પુરવઠા યોજના’ હેઠળ બનેલી ૧૫ મીટર ઊંચી ટાંકીમાં તેની મજબૂતી ચકાસવા માટે પાણી ભરવામાં આવી રહ્યું હતું. આ માળખું અચાનક ધરાશાયી થતા નજીકમાં કામ…
