ઘેડ વિસ્તારના વિકાસ માટે મહત્વનો નિર્ણય
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા,વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા તેમજ સ્થાનિક ધારાસભ્યના સતત પ્રયત્નોથી આ વિસ્તારની સમસ્યાનો કાયમી હલ આવશે
ફેઝ-૧ અને ફેઝ-૨ હેઠળ સોરઠી ઘેડ વિસ્તારમાં રૂ. ૧૧૮૪.૧૮ કરોડ અને બરડા ઘેડ માટે રૂ. ૩૫૦.૦૧ કરોડ મળી કુલ રૂ. ૧૫૩૪.૧૯ કરોડની યોજનાથી બન્ને ઘેડ વિસ્તારના પ્રશ્નોનો ઉકેલ આવશે
અગાઉ એપ્રિલ-૨૦૨૫માં ફેઝ-૧ની રૂ. ૧૩૯.૪૨ કરોડની યોજનાના કામો હાલ પ્રગતિ હેઠળ
ઘેડવિસ્તારના૬તાલુકાનાગામ–ખેડૂતોનેઆયોજનાનોલાભમળશે ફેઝ–૧ના૧૭અનેફેઝ–૨ના૧૨કામોઆગામીબેવર્ષમાંપૂર્ણકરવાનુંઆયોજન
ખેડૂતો અને ગામજનોના હિતમાં સૌરાષ્ટ્રમાં સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ અને જળસંગ્રહ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા ફેઝ-૨ના કુલ રૂ. ૧,૪૨૩.૪ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત ઘેડ વિસ્તારના ૬ તાલુકાના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. જેમાં ફેઝ – ૧ ના ૧૭ અને ફેઝ –૨ ના ૧૨ કામો આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. ગત એપ્રિલ-૨૦૨૫માં ફેઝ-૧ના કુલ રૂ. ૧૩૯.૪૨ કરોડના કામોને મંજૂરી અપાઇ હતી,જે કામો પ્રગતિ હેઠળ છે તેમ,જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તેમજ પોરબંદરના સાંસદ શ્રી મનસુખ માંડવિયા,વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા,કેશોદના ધારાસભ્યશ્રી દેવાભાઇ માલવ,માણાવદરના ધારાસભ્યશ્રી અરવિંદ લાડાણી તેમજ માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજી કરગટીયા સહિત સ્થાનિક આગેવાનોના સતત પ્રયત્નોથી આ વિસ્તારની સમસ્યાનો કાયમી હલ આવશે જેનો સૌથી વધુ ફાયદો ખેડૂતો અને નાગરિકોને થશે.
જળ સંપત્તિ મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રોજેકટ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે,ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પોરબંદરના ધારાસભ્ય અને વન-પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઇ મોઢવાડિયા તેમજ આ વિસ્તારના ધારાસભ્યો દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેને આગામી સમયમાં સફળતા મળશે.
રાજ્યના ઘેડ વિસ્તારના પાણી નિકાલના અભ્યાસ માટે સેકોન કન્સલટન્ટ એજન્સી દ્વારા સર્વેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. એજન્સી દ્વારા રજૂ કરાયેલ પ્રાથમિક અહેવાલ મુજબ ઘેડ વિસ્તારના પાણી નિકાલના કામો માટે રાજ્ય સરકાર દ્વારા સોરઠી ઘેડ માટે ગત જાન્યુઆરી- ૨૦૨૫માં રૂ. ૧૧૮૪.૧૮ કરોડ અને બરડા ઘેડ માટે રૂ. ૩૫૦.૦૧ કરોડ એમ કુલ અંદાજીત રૂ. ૧૫૩૪.૧૯ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
જૂનાગઢ,પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વહેતી ભાદર,ઓઝત,મધુવંતી,મીણસાર,વર્તુ,સાની અને સોરઠી વગેરે નદીના મુખ ત્રિકોણ પ્રદેશથી સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તાર બનેલો છે.

