રાજ્યમાં ઘરેલુLPG-LNGપુરવઠો સુનિશ્ચિત કરવા માટેનું આયોજન
અમદાવાદ, મધ્ય-પૂર્વમાં ઉદ્ભવેલ ભૂ-રાજકિય પરિસ્થિતીના કારણે વિશ્વસ્તરે ઊર્જા ક્ષેત્રમાંLPG (Liquified Petroleum Gas)તથાLNG (Liquified Natural Gas)પુરવઠા પર પડેલા પ્રભાવને પહોંચી વળવા માટે અને રાજ્યમાં ગેસ પુરવઠો સતત જાળવી રાખવા માટે કેન્દ્ર સરકાર,રાજ્ય સરકાર અને ગેસ તથા ઓઇલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સમગ્ર રાજ્યમાં ઘરેલુLPGસિલિન્ડરના વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે.
કેન્દ્ર સરકાર દ્વારા ૫ માર્ચ ૨૦૨૬ ના ગેઝેટ નોટિફિકેશન દ્વારાLPGમાટે ઉપયોગ થતા બ્યુટેન તથા પ્રોપેન ગેસનો મહત્તમ ઉપયોગLPGના ઉત્પાદન માટે કરવામાં આવે તથા તે જાહેર ક્ષેત્રની ત્રણ ઓઇલ માર્કેટીંગ કંપનીઓ (IOCL, BPCLઅનેHPCL)ને જ ઉપલબ્ધ કરાવવામાં આવે તે મુજબની નિયમનકારી વ્યવસ્થા આવશ્યક ચિજવસ્તુ ધારા નીચે કરવામાં આવેલ છે. જેથી ઘરેલુ વપરાશનાLPGસિલિન્ડરનો પુરવઠો અવિરત નાગરિકોને મળી રહે અને કોઇ અસુવિધા ઉભી ન થાય.
તેવી જ રીતે ભારત સરકાર દ્વારા ૯ માર્ચ ૨૦૨૬ના ગેઝેટ નોટિફિકેશન દ્વારા ઘરેલુPNGઅને વાહનો માટેનાCNGજેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને પ્રાથમિકતા-૧ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ ક્ષેત્રોને ૧૦૦ % કુદરતી ગેસનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે જેથી નાગરિકોને કોઈ અસુવિધા ન થાય.
વર્તમાન પરિસ્થિતિમાં ઔદ્યોગિક ક્ષેત્ર માટે કુદરતી ગેસ પુરવઠામાં માત્ર મર્યાદિત કાપ લાગુ કરવામાં આવ્યો છે. જોકે આવનારા સમયમાંLNGના નવા કાર્ગો મધ્ય-પુર્વના યુધ્ધ અસરગ્રસ્ત સિવાયના વિશ્વના અન્ય વિસ્તારોમાંથી ભારત પહોંચવાના હોવાથી ગેસ પુરવઠાની સ્થિતિ વધુ સુદ્દઢ થાય તે બાબત સુનિશ્ચિત કરવામાં આવી છે.
દેશના ગેસ આધારિત ઊર્જા ક્ષેત્રમાં ગુજરાત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. રાજ્યમાં હાલમાં ૧,૦૭૩CNGસ્ટેશનો અને ૩૭ લાખથી વધુ ઘરેલુPNGગ્રાહકો છે. આ તમામ ગ્રાહકો માટે સતત અને વિશ્વસનીય ગેસ પુરવઠો સતત જાળવવા માટે મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.
રાજ્યના અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ અને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારાCGD (શહેરી ગેસ વિતરણ) કંપનીઓ તથા ઓઇલ માર્કેટીંગ કંપનીઓ સાથે ગેસ પુરવઠાની નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે.
તા. ૧૩/૩/૨૦૨૬ના રોજ માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્યમાં ગેસ પુરવઠાની પ્રવર્તમાન પરિસ્થિતીની ઉચ્ચસ્તરિય સમિક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ગેસ પુરવઠાની હાલની સ્થિતિ,વૈશ્વિક પરિસ્થિતિના પડકારો તેમજ આવનારા દિવસોમાં પુરવઠાની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યના નાગરિકોને ઘરેલુLPGનો પુરવઠો કોઇપણ પ્રકારની મુશ્કેલી વગર નિયમિત મળી રહે તે રીતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યુ હતુ તેમજ રાજ્યમાં ઘરેલુPNGઅને વાહન માટેનાCNGજેવા પ્રાથમિક ક્ષેત્રોમાં ગેસ પુરવઠો અવિરત મળી રહે અને નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે આગોતરા તેમજ લાંબા ગાળાના આયોજનની સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા માર્ગદર્શનોનું ચુસ્તપણે પાલન કરીને રાજ્યના ઉદ્યોગો તથા નાગરિકોને વિશ્વસનીય ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે તે માટે જરૂરી પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠક દરમિયાન રાજ્યમાં સ્વચ્છ ઊર્જાના વ્યાપને વધુ વેગ આપવા માટે શક્ય તેટલી વહેલી તકે ઘરેલુ (Domestic)તથા કોમર્શિયલPNGકનેક્શનોની સંખ્યા વધારવા,નવા વિસ્તારોમાં નેટવર્કનું ઝડપી વિસ્તરણ કરવા અને વધુમાં વધુ ગ્રાહકોનેPNGસાથે જોડવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.

