ગાંધીનગર , ગાંધીનગર શહેરના શ્રમજીવી પરિવારની ૫ વર્ષીય બાળકી પર રવિવારની રાત્રે દુષ્કર્મ આચરાયુ હોવાની ઘટનાએ પંથકમાં ચકચાર જગાવી છે. બાળકી શૌચક્રિયા માટે ઊઠી ત્યારે તકનો લાભ લઈ આરોપીએ દુષ્કૃત્ય આચર્યું હતું. ગભરાઇ ગયેલી બાળકી દાદી પાસે જઈને રડવા લાગી હતી.ત્યારે લોહી વાળા કપડા જોઇને દાદીને શંકા ગઇ હતી કે બાળકી સાથે કંઇક અઘટિત થયુ છે. પોલીસે શંકાના આધારે બાળકીના મામા સહિત ચાર શખસોની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળે એફએસએલની ટીમ પણ પહોંચી હતી.ગાંધીનગર શહેરના છાપરા વિસ્તારમાં રહેતો શ્રમજીવી પરિવાર દિવસે મજૂરી કામે જઇને આવીને વાળુ કરી રાત્રે સૂઈ ગયો હતો. દરમિયાન મોડી રાત્રે બાળકી શૌચક્રિયા માટે ઝુપડાની…
Author: gujarat
ગાંધીનગર, ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એક વકીલે તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’માં બલોચ સમુદાય સામે અશ્લીલ, અપમાનજનક અને અવમાનના સ્પદ ભાષાનો ઉપયોગ કરીને બદનામ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને ફિલ્મમેકર આદિત્ય ધાર અને બોલિવૂડ અભિનેતા સંજય દત્તને કાનૂની નોટિસ પાઠવી છે.એડવોકેટ નબીલ બ્લોચે સંજય દત્તના પાત્ર ચૌધરી અસલમ દ્વારા બોલાયેલા એક સંવાદ પર વાંધો ઉઠાવ્યો છે, જેમાં કહેવામાં આવે છે, ‘તુમ મગરમચ્છ પે ભરોસા કર સકતે હૈ મગર બલોચ પે નહીં’ વકીલે ફિલ્મમાં બોલાયેલા અન્ય કેટલાક સંવાદોનો પણ ઉલ્લેખ કર્યાે છે અને આક્ષેપ કર્યાે છે કે તે બલોચ સમુદાયને અપમાનજનક અને તિરસ્કાર ભર્યા રૂપમાં રજૂ કરે છે.કાનૂની નોટિસમાં કહેવામાં…
મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ બારની ચૂંટણી શુદ્ધિકરણ માટેનો ઐતિહાસિક જંગ બની રહેશે કે પછી ચૂંટણીની પૂર્વ સંધ્યાએ સત્તાની સીન્ડીકેંટ રચાશે ?! વકીલોમાં પ્રસરેલું ચિંતાનું મોજું ?!પ્રમુખ પદ ઉપર ઈશ્વરભાઈ દેસાઈઅને હેમંતભાઈ નવલખા વચ્ચે કાંટાળી ટકકર વચ્ચે તેઓ સેક્રેટરી કોને પસંદ કરશે ?!તસ્વીર મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ બારની છે ! જયાં મેટ્રો મેજીસ્ટ્રેટ કોર્ટ બારની ચૂંટણી યોજાવા જઈ રહી છે ! ચૂંટણી પ્રચારનો અંતિમ અને આખરી તબકકો ચાલી રહ્યો છે ! ડાબી બાજુથી ઉપપ્રમુખ પદના ઉમેદવાર શ્રી અશ્વિનભાઈ પટેલની તસ્વીર છે ! ઉપપ્રમુખ પદ ઉપર શ્રી અશ્વિનભાઈ પટેલ સફળ થયેલા ઉમેદવાર છે ! તેઓ બારના કાર્યક્રમોમાં વકીલોના પ્રશ્નો રજુ કરવામાં હર હંમેશ કર્મશીલ…
કાયદામંત્રી અને કાયદાશાસ્ત્રીઓની બેઠક ઃ આજે કેબિનેટમાં નિયમો રજૂ થશેઅમદાવાદ, ગુજરાતમાં ભાગીને લગ્ન કરતાં પ્રેમીઓ માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર હવે ભાગીને થતાં લગ્નના રજિસ્ટ્રેશન મામલે નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત કેબિનેટની મંજૂરી મળ્યા બાદ કરવામાં આવશે.મળતી માહિતી મુજબ, બુધવારે (૧૭ ડિસેમ્બર) મળનારી કેબિનેટ બેઠકમાં લગ્નના રજિસ્ટ્રેશન સંબંધિત નવા નિયમો રજૂ થઈ શકે છે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ ગુજરાત સરકાર આ અંગેની સત્તાવાર જાહેરાત કરશે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હવે ગુજરાતમાં ભાગીને કરેલા લગ્નનું માતા-પિતાની મંજૂરી વિના રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં. એટલે કે, પ્રેમ લગ્ન કરવા માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી…
અમદાવાદમાં ૧૫૦ મકાનો પર ફરી વળ્યું બુલડોઝર, કમલ તળાવ પાસે કાર્યવાહી(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રની લાલ આંખ યથાવત છે. અમદાવાદમાં ફરી એકવાર તંત્ર દ્વારા મોટાપાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. કુબેરનગર વિસ્તારમાં આવેલા કમલ (ઉમલા) તળાવ ખાતે કોર્પોરેશનની ટીમ ત્રાટકી હતી અને અંદાજે ૧૫૦ જેટલા દબાણો તોડી પાડ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના કુબેરનગર આઈટીઆઈ રોડ પર આવેલા કમલ તળાવની જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આજે સવારથી એએમસી દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે તળાવની આસપાસના આશરે ૧૫૦ જેટલા દબાણો પર બુલડોઝર ફેરવી દીધું છે, Ahmedabad – Excavator…
(એજન્સી)અમદાવાદ, ગુજરાતના વાહનચાલકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વાહનોના પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર એટલે પીયુસીની ફીના દરોમાં ધરખમ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમય બાદ પીયુસી ફીમાં રૂ. ૨૦ થી લઈને રૂ. ૫૦ સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે.નવા સુધારેલા દરો મુજબ, ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર અને ભારે વાહનો એમ તમામ કેટેગરીમાં ભાવ વધારો અમલી બન્યો છે. ખાસ કરીને મધ્યમ વર્ગના વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરો પર આ વધારાની સીધી અસર જોવા મળશે. રાજ્યમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે પીયુસી સેન્ટરના સંચાલકો દ્વારા લાંબા સમયથી ફી વધારાની માંગ કરવામાં આવી રહી હતી, જેને ધ્યાને રાખીને સરકારે આ નિર્ણય લીધો હોવાનું…
Jan Akrosh Yatra Phase 2: ઉત્તર ગુજરાતમાં મળેલા વ્યાપક પ્રતિસાદ બાદ હવે “જન આક્રોશ યાત્રા – પરિવર્તનનો શંખનાદ”ના બીજા ચરણની શરૂઆત થવા જઈ રહી છે. આ યાત્રા તા. ૨૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ પૂ. ભાથીજી મહારાજના ફાગવેલ ધામથી આરંભ થશે. યાત્રાનો અંત ૬ જાન્યુઆરીએ દાહોદના કંબોઈ ધામ ખાતે આવશે. મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લોકોના પ્રશ્નોને ઉજાગર કરવાનો આ પ્રયાસ છે.કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ દ્વારા સત્તાવાર જાહેરાતગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ યાત્રાની સત્તાવાર જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે જનતાના અવાજને મજબૂત રીતે આગળ લાવવા માટે આ યાત્રા આયોજિત…
(તસ્વીરઃ મગનજીત વણઝારા, હિંમતનગર) નાતાલ પૂર્વે વર્ષ ર૦રપની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સાબરકાંઠા પોલીસતંત્ર પાસ પરમીટ વિના દારૂ અને બીયરની હેરાફેરી કરતા તત્વો પર કડકાઈ શરૂ કરી રહી છેત્યારે ગાંભોઈ પોલીસે બાતમીને આધારે સોમવારે તેમના પોલીસ સ્ટેશનના હદમાંથી અંદાજે રૂ. ૬.પ૦ લાખની વધુની કિંમતની અંદાજે ર૦૦૦ બોટલ ઝડપી લઈને ત્રણ જણાની મુદ્દામાલ સાથે અટકાયત કરી તરત જ પકડાયેલા ત્રણ સહિત પાંચ જણા વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરી હતી.આ અંગે ગાંભોઈના પી.આઈ એસ.જે.ગોસ્વામી તથા તેમના સ્ટાફના જણાવાયા મુજબ ૩૧ મી ડિસમ્બર પૂર્વે શામળાજી અને રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ શરૂ કરાયું છે ત્યારે સોમવારે ગાંભોઈ પોલીસને…
Amul Dairy Election Results: કૈરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ – અમૂલ ડેરીમાં ભાજપે પૂર્ણ બહુમતી હાંસલ કર્યાને ત્રણ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. સોમવારે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદો માટે ચૂંટણી યોજાઈ હતી. ભાજપ તરફથી જનાદેશ જાહેર કરીને જણાવવામાં આવ્યું કે વીરપુર બ્લોકના શભેસિંહ પરમાર બિનહરીફ અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. જ્યારે વિજય પટેલ ઉપાધ્યક્ષ તરીકે નિર્વાચિત થયા છે. આ જાહેરાત ૧૦ સપ્ટેમ્બરે આઠ બ્લોક અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના એક સભ્ય માટે થયેલા મતદાનના બે દિવસ બાદ, ૧૨ સપ્ટેમ્બરે અમૂલ ડેરી ચૂંટણીના પરિણામો જાહેર થયાના ૯૪ દિવસ પછી થઈ હતી.સોમવારે યોજાયેલી ચૂંટણીમાં નિવૃત્ત સૈન્ય અધિકારી શંભુસિંહે ભાજપના ત્રણ મુખ્ય દાવેદારોને…
(પ્રતિનિધિ) નડિયાદ, યાત્રાધામ ડાકોર ખાતે તાજેતરમાં જિલ્લા કલેકટરે મુલાકાત લીધી હતી, જેમાં શહેરમાં વકરતી જતી ટ્રાફિકની સમસ્યાને મુખ્યત્વે ધ્યાનમાં લેવાઈ હતી. કલેકટરે તાત્કાલિક ધોરણે નડતરરૂપ દબાણો દૂર કરવા માટે સૂચનાઓ આપી હતી, જેના પગલે નગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.શુક્રવાર અને શનિવાર એમ બે દિવસમાં કુલ ૧૫૦ થી વધુ કાચા-પાકા દબાણો હટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગઈ રાત્રે પણ મંદિરની આજુબાજુના વિસ્તારોમાં અન્ય ૭૦ દબાણો હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. દબાણો દૂર થવાના પરિણામે, ટ્રાફિકને અડચણરૂપ બનતો મુખ્ય માર્ગ સરેરાશ ૫ ફૂટ જેટલો વધુ ખુલ્લો થયો છે, જેનાથી યાત્રાળુઓ અને સ્થાનિકોને ટ્રાફિકની સમસ્યામાં રાહત મળવાની અપેક્ષા…
