CM Bhupendra Patel AAP Meeting: ૪૦ વર્ષની ઉંમરે હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ અને ૪૫ વર્ષની વયના નીતિન નબીનને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવીને ભાજપે ચોંકાવ્યા છે. આ બે મોટા નિર્ણયો બાદ ગુજરાતમાં આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે. રાજ્યમાં પ્રથમ વખત મંગળવારે આમ આદમી પાર્ટીના નેતાઓની કેમેરા સામે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત થઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માત્ર નેતાઓ સાથે મુલાકાત જ ન કરી પરંતુ તેમનું આવેદનપત્ર પણ સ્વીકાર્યું. ‘આપ’ નેતાઓ ખેડૂતોની ૧૧ માંગણીઓ સાથે મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતા. ૨૦૨૧ પછી સીએમ બન્યા બાદ આ પ્રથમ તક છે જ્યારે સરકારે આ રીતે આમ આદમી પાર્ટીના નેતાઓને મહત્વ આપ્યું છે. તેને…
Author: gujarat
કડીના બુડાસણ ગામે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં ધર્માંતરણ મુદ્દે પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરીમહેસાણા, કડીના બુડાસણ ગામે યોજાયેલી વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ઓમકાર મિશન ચેરિટેબલ ટ્રસ્ટની સાધારણ સભામાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ઘટી રહેલી હિન્દુ વસ્તી અને વિભાજન તેમજ ધર્માંતરણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ મારફતે, સંઘ મારફતે આપણને ખબર પડી છે. છેલ્લા રપ, ૩૦, ૪૦ વર્ષથી કે આપણે ઘટતા જઈએ છીએ. આપણામાં વિભાજન છે. ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે. વસ્તી વધતી જાય છે. તેમણે ધર્માંતરણના બે અલગ પરિબળો અંગે વાત કરીને કહ્યું કે, બે અલગ વિષય છે. એક ફોસલાવી…
Ahmedabad School Bomb Threat: ગુજરાતના અમદાવાદમાં આવેલી ત્રણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યા ઈમેલની સૂચના મળતા જ પોલીસે ૪ શાળાઓમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. બુધવારે સવારે ૮:૩૫ વાગ્યે ત્રણ શાળાઓને ધમકીભર્યા ઈમેલ આવતા હડકંપ મચી ગયો હતો. આ ઈમેલના સબ્જેક્ટમાં લખવામાં આવ્યું હતું કે, બપોરે ૧:૧૧ વાગ્યે બોમ્બ ધડાકા થશે. તેમાં આગળ લખ્યું છે કે આ ધડાકા શાળાઓથી લઈને સાબરમતી જેલ સુધી થશે. મેઈલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ઉલ્લેખ છે.અમદાવાદની જે શાળાઓને ધમકી મળી:ઝેબર સ્કૂલ (Zebar School)મહારાજા અગ્રસેનDAV ઇન્ટરનેશનલ સ્કૂલઝાયડસ સ્કૂલ (Zydus…
કારોબારી પદ ઉપર લડતા ઉમેદવારો અને ટેકેદારોની મોટી જવાબદારી કેમ ?!ગુજરાત હાઈકોર્ટ બારમાં સક્ષમ, નિડર, કર્મશીલ, પ્રતિભાશાળી ઉમેદવારો મત વિભાજનમાં હારી જશે તો હાઈકોર્ટ બારની પ્રતિભા કોણ ઉજાગર કરશે ?! અને વકીલોના પ્રાણ પ્રશ્નો કોણ ઉકેલી શકશે ?! વકીલ મતદારોમાં ચકચાર ?!અમેરિકાના પ્રમુખ રોનાલ્ડ રિગને કહ્યું છે કે, “લોકશાહી એ મુરઝાઈ જાય એવું પુષ્પ નથી, પરંતુ તેને સિંચવું તો પડે જ”! ગુજરાત હાઈકોર્ટ બારનો ટેકનીકલ વહીવટ લોકશાહી ઢબે ચાલે, પુરી પારદર્શકતા સાથે ચાલે તે જોવાની જવાબદારી હાઈકોર્ટ બારના જનરલ સેક્રેટરીની છે ! લોકશાહી ઢબે ચૂંટાયેલા દરેક પ્રતિનિધિ એ વિનમ્ર સેવક છે ! સાથે બાર અને બેન્ચ વચ્ચે સેતુ છે !ત્યારે…
AAP Gujarat Jodo Campaign Surat: ભાજપના અભેદ્ય ગઢ ગણાતા ગુજરાતમાં ‘ગુજરાત જોડો’ અભિયાન ચલાવી રહેલી આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપ-કોંગ્રેસમાં ગાબડું પાડ્યાનો દાવો કર્યો છે. ‘આપ’ ના જણાવ્યા અનુસાર, સુરતમાં ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકરોએ ઈમાનદાર રાજનીતિ માટે પાર્ટીનું સભ્યપદ સ્વીકાર્યું છે. સુરતથી જ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં એન્ટ્રી મળી હતી. ૨૦૨૧ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ એ સુરતમાં ૨૭ બેઠકો જીતી હતી. ત્યારબાદ આપ એ ‘મિશન ગુજરાત’ નક્કી કર્યું હતું. આપ હાલ સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષમાં છે. તેણે કોંગ્રેસને પાછળ છોડીને આ પદ હાંસલ કર્યું હતું. ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ એવા સમયે પાર્ટી છોડી છે જ્યારે થોડા મહિનાઓ પછી…
નડિયાદઃ સંતરામ વિદ્યાલયના વાલીઓનું સોશિયલ મીડિયા ગ્રુપ હેક કરી ઓનલાઈન છેતરપિંડી(પ્રતિનિધિ) નડિયાદ, સંતરામ વિદ્યાલયના વિદ્યાર્થીઓના વાલીઓ માટે શાળા દ્વારા બનાવાયેલા સોશિયલ મીડિયાના ઉરટ્ઠંજછpp ના ૨૫થી વધુ ગ્રુપોને હેક કરીને વાલીઓના મોબાઈલ નંબર મેળવ્યા હતા. ત્યારબાદ ગઠિયાએ વાલીઓનો સંપર્ક કરી ‘સ્કૂલમાંથી બોલું છું’ તેમ જણાવી લિંક પર ક્લિક કરવા અને પૈસાની માંગણી કરવાનું શરૂ કર્યું હતું. ૪ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ ફસાયા હતા જો કે આ અંગે સ્કૂલ દ્વારા વાલીઓને જાગૃત કરવા માટેની મીટીંગો શરૂ કરી પૂરી છે અને બીજી બાજુ સાયબર ક્રાઇમમાં અરજી પર આપી હોવાનું જાણવા મળે છેનડિયાદમાં આવેલી સંતરામ વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં નર્સરીથી ધોરણ ૧૨ સુધીના વર્ગો…
(પ્રતિનિધિ)ગોધરા, દેશની દરેક મહિલાને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળે અને ઘરે બેઠા શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા નલ સે જલ યોજના કાર્યરત કરવામાં આવી છે. સરકારનું સ્વપ્ન છે કે મહિલાઓને માથે બેડાં ઉપાડવા ન પડે અને ‘હર ઘર જલ’ સૂત્ર સાર્થક થાય. પરંતુ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢીયાર ગામમાં આ યોજનાની સુવિધા હજુ સુધી લોકોને મળી નથી જે ચિંતાનો વિષય બન્યો છે.સરકાર દ્વારા ઘરે-ઘરે પાણી પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે છતાં પઢીયાર ગામના મુખ્ય વિસ્તારમાં પીવાના પાણીની જૂથ યોજનાનો લાભ પહોંચ્યો નથી. પરિણામે, ગામની મહિલાઓ પીવા માટે અને પશુપાલન માટે હેડ પંપના પાણી પર આધાર રાખવા…
બે બોટ વચ્ચે લાકડાનું પાટિયું મૂકી પરિક્રમાવાસીઓની અવરજવર કરતા વિડિઓ વાયરલ(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે ગંભીર સમસ્યા ઉભી થઈ છે.નર્મદા નદીમાં પાણીની અછતને કારણે બોટ જેટી સુધી પહોંચી શકતી ન હોવાના કારણે પરિક્રમાવાસીઓને બે બોટ વચ્ચે લાકડાનું પાટીયું મૂકીને જોખમી રીતે અવરજવર કરવી પડી રહી છે.નર્મદા પરિક્રમાના દક્ષિણ તટ પરનો અંતિમ પડાવ એવા શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વરથી પરિક્રમાવાસીઓને હોડી દ્વારા નદી પાર કરાવી ઉત્તર તટે આવેલા મીઠીતલાઈ ખાતે ઉતારવામાં આવે છે.પરંતુ ઉત્તર કાંઠે આવેલી નર્મદા પરિક્રમાની જેટી આગળ આશરે ૧૦થી ૧૫ ફૂટ જેટલું પુરાણ થઈ જતાં મોટી ટ્રોલર બોટને તરવા માટે જરૂરી ૬થી ૮ ફૂટ…
હવે રાજ્યના તમામ પાન પાર્લર,ચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનોમાં આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવાનું રહેશેઆ રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ,પોટેશિયમ નાઇટ્રેટ,આર્ટિફિશિયલ ડાય,કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થો હોય છે,જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારકરાજ્યના ગૃહ વિભાગે કેટલાક યુવાઓ દ્વારા કરવામાં આવતા નશાને રોકવા માટે એક મહત્વપૂર્ણ અને તાત્કાલિક નિર્ણય લીધો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૧૬૩(૨) અને ૧૬૩(૩) હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને,રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર,ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ,વેચાણ,વિતરણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે.યુવાઓ દ્વારા અલગ અલગ પ્રકારના નશાયુક્ત માદક…
