વસ્ત્રાપુરમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઈટ પર શ્રમિક ભાઈ-બહેનો માટે મહિલા વિરુદ્ધ હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયોઅમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી અવર કન્સ્ટ્રક્શન સાઈટ પર કાર્યરત શ્રમિક ભાઈ-બહેનો માટે એક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનારમાં દહેજ પ્રતિબંધક અધિકારી સુશ્રી વૃત્તિકા વેગડા અને કાયદાના જાણકાર શ્રી ગૌરવભાઈ ઠક્કર દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ, 2013 (POSH Act) અંગે વિગતવાર કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે શ્રમિક બહેનોને કાર્યસ્થળે સલામત અને માનસભર વાતાવરણ મળી રહે તે માટે કાયદાની મુખ્ય જોગવાઈઓ,…
Author: gujarat
તંત્ર દ્વારા આ તમામ ૮ મેડિકલ સ્ટોર્સને કારણદર્શક નોટીસ આપી તાત્કાલીક ખુલાસો મંગાવાયોઘાટલોડીયામાં આવેલી એપોલો ફાર્મસી અને ક્રિષ્ના મેડિકલ,સેટેલાઇટની સોલક્યોર ફાર્મસી,નમનીધી ફાર્મા,નમ: વેલનેસ અને નટરાજ મેડિકલ સ્ટોર્સ તેમજ એપોલો ફાર્મસી,વેજલપુર અને એપોલો ફાર્મસી,પ્રહલાદનગરનો સમાવેશઅમદાવાદ, રાજ્યની જાહેર જનતાને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખૂબ સતર્કતાપૂર્વક કામગીરી કરીને કાયદાનું ઉલ્લંઘન કરનાર ઇસમો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે તાજેતરમાં અમદાવાદ ખાતે આવેલા વિવિધ ૮ જેટલા મેડિકલ સ્ટોર્સની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં ઘાટલોડીયામાં આવેલી એપોલો ફાર્મસી અને ક્રિષ્ના મેડિકલ,સેટેલાઇટની સોલક્યોર ફાર્મસી,નમનીધી ફાર્મા,નમ: વેલનેસ અને નટરાજ મેડિકલ…
Cyber Crime Simcard Scam: અમદાવાદના ચાંદલોડિયામાં રહેતા કુલદીપ ભુવાજી સામાન્ય પરિવારમાંથી આવતા હતા, પરંતુ થોડા મહિનાઓમાં જ તેમની જીવનશૈલીમાં મોટો ફેરફાર દેખાવા લાગ્યો હતો. નજીકનાં લોકોએ નોંધ્યું કે તેમની દુબઈ આવનજાવનની આવૃત્તિ વધી હતી અને ખર્ચાળ જીવનશૈલી અપનાવવાની શરૂઆત થઈ હતી. સામાન્ય રીતે મિતવ્યયી રહેનારા કુલદીપ હવે સખત છૂટથી રૂપિયા ખર્ચતા જોવા મળતા. આ બદલાવ પાછળની વાસ્તવિકતા પછી બહાર આવી કે દુબઈમાં સ્થાયી ‘ગુજરાતી લાદેન’ના નેટવર્ક સાથે તેમના સંબંધો જોડાઈ ગયાં હતાં. આ જ કડી અંકાનમાં આવતા પોલીસ તપાસે સમગ્ર કાવતરું ખુલ્લું પાડ્યું હતું.ડિજિટલ બંદી બનાવવાની ફરિયાદ અને તપાસની શરૂઆતએક સિનિયર નાગરિકે સાયબર ગઠિયાઓ દ્વારા ‘ડિજિટલ ઍરેસ્ટ’ કરાયા હોવાનો આક્ષેપ…
અમદાવાદમાં ઉત્તરાયણ-2026 પહેલાં જિલ્લા વહીવટી તંત્ર અને શહેર પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી પર કડક કાર્યવાહી હાથ ધરાઈ(પ્રતિનિધિ) અમદાવાદ,આગામી ઉત્તરાયણ-2026ના તહેવારને અનુલક્ષીને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને શહેર પોલીસે ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગને રોકવા માટે સઘન ઝુંબેશ હાથ ધરી છે, જેમાં મોટી માત્રામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેને અનુલક્ષીને શહેરભરમાં જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે.અધિક પોલીસ કમિશ્નર, વિશેષ શાખાની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસાર શહેરમાં ચાઈનીઝ દોરીના દાખલ થયેલા ગુનાઓની માહિતીમાં પોલીસે કુલ 8,46,650 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત થયેલા જથ્થામાં કુલ 2145 ચાઈનીઝ દોરીના ટ્રેલર અને 40 ફિરકીઓનો સમાવેશ થાય…
અમદાવાદક્ષેત્ર થી150થીવધુટ્રેનોનુંસંચાલનશક્યથશે-અમદાવાદસ્ટેશનપરટ્રેનોનોભારઓછોથશે,અનેસંચાલનવધુસુગમબનશે.પ્રતીકાત્મક ફોટોપશ્ચિમરેલવેનાઅમદાવાદમંડળનાવટવામાંલગભગ3કિલોમીટરલાંબોએકમેગાકોચિંગટર્મિનલબનાવવામાંઆવશે,જેનામાધ્યમથીઅમદાવાદસ્ટેશનપરટ્રેનોનોવધારાનોભારઘણોઓછોથશેઅનેસમગ્રક્ષેત્રમાંટ્રેનચલાવવાનીક્ષમતાખૂબવધશે.આપ્રોજેક્ટમંડળનીટ્રેનહેન્ડલિંગક્ષમતા2.5ઘણીવધારવાનીયોજનાનોસૌથીમહત્વપૂર્ણભાગછે,જેનોહેતુઉત્તમમુસાફરીસુવિધાઓ,નિરાંતેસંચાલનઅનેભવિષ્યનીજરૂરિયાતોનેઅનુરૂપઆધુનિકરેલવેમાળખુંતૈયારકરવાનોછે.વટવાટર્મિનલનીમુખ્યસંરચનાઅનેઆધુનિકસુવિધાઓઅમદાવાદમંડળમાંમોટાપાયેક્ષમતાવધારો–બધાસ્ટેશનોપરઝડપીથીચાલીરહેલોવિકાસમુસાફરોનેમોટાલાભઅનેરણનીતિકનેટવર્કસુધાર
ઉમેદવારો પોતાના માધ્યમ,વિષય અને કેટેગરી મુજબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર શાળા પસંદગી આપી શકશેAhmedabad, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અંતર્ગત મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી ના થયેલ હોય તેવા (List-A) મુજબ તથા તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવેલી પ્રતિક્ષાયાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો આવતીકાલ તા. ૧૦ થી ૧૨ ડિસેમ્બર, ૨૦૨૫ રાત્રે ૧૧.૫૯ કલાક સુધીમાં શાળા પસંદગી આપી શકશે.જે અન્વયે ઉમેદવારો વેબસાઇટ https://gserc.in/ પર પોતાના માધ્યમ, વિષય અને કેટેગરી મુજબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પૈકી અગ્રતાક્રમ અનુસાર શાળાઓની અમર્યાદિત સંખ્યામાં શાળા પસંદગી આપી શકશે, તેમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.યાદીમાં…
Pakistan Refugees CAA: પાકિસ્તાનથી આવેલા ૧૯૫ લોકોને ભારતની નાગરિકતા મળી ગઈ છે. આ ૧૯૫ લોકો એવા છે, જેમણે પાકિસ્તાનમાં મળેલી સતામણી પછી ભારતમાં સ્થળાંતર કર્યું હતું. આમાંથી ૧૨૨ લોકોને સિટિઝનશિપ (એમેન્ડમેન્ટ) એક્ટ એટલે કે CAA હેઠળ નાગરિકતા આપવામાં આવી. નાગરિકતા મેળવનારાઓમાં પાકિસ્તાનમાં લઘુમતી દરજ્જો ધરાવતા હિંદુ, શીખ, બૌદ્ધ અને જૈન ધર્મના નાગરિકો સામેલ છે.આ તમામ ૧૯૫ પાકિસ્તાની વિસ્થાપિતોને ગુરુવારના દિવસે સર્ટિફિકેટ વહેંચવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ગુજરાતના ડેપ્યુટી CM હર્ષ સંઘવી પણ હાજર હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, ૧૯૫ લોકોમાંથી ૧૨૨ ને CAA અને ૭૩ ને બીજા નિયમો હેઠળ સર્ટિફિકેટ આપવામાં આવ્યા. આ લોકોએ અમદાવાદ જિલ્લા કલેક્ટર ઑફિસમાં અરજી કરી હતી.૧. સુરક્ષાના…
ભ્રષ્ટાચાર સામે સામાજિક જાગૃતિ અભિયાનમાં વકતૃત્વ સ્પર્ધા – નિબંધ સ્પર્ધાના12વિજેતા છાત્રોને પ્રમાણપત્રો એનાયત થયા“સતર્કતા આપણી સહિયારી જવાબદારી”ના સૂત્ર સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉજવાયો આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ::મુખ્યમંત્રીશ્રી::Øહક્ક બહારનું લેવાય જ નહીં એ આપણી સંસ્કૃતિની વિરાસતના સંસ્કાર છેØજે કાર્ય કરીએ ફરજ બજાવીએ તેનાથી આત્મસંતોષ થાય તે જ સાચી ફરજ નિષ્ઠાØલાંચ–રૂશ્વત વિરોધી બ્યુરો એ.સી.બી.ની છાપ જ એવી હોય કે ખોટું કરનારાને સતત ભય રહે કે ખોટું થાય જ નહીંઅમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ અવસરે ગુજરાત રાજ્ય લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા આયોજિત સમારોહમાં જણાવ્યું હતું કે,એ.સી.બી.એ કોઈ ગરીબને મદદરૂપ થવાનો ભાવ ઉજાગર કરવા માટે કામ કરવાનો વિભાગ…
Gujarat Leaders 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય ગુજરાત છેલ્લાં ૧૨ વર્ષોથી રાષ્ટ્રીય રાજનીતિનું કેન્દ્ર રહ્યું છે. આ બંને દિગ્ગજ નેતાઓના ગઢમાં કોંગ્રેસે અધિવેશન યોજ્યું, તો રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલે પણ સતત મુલાકાતો લીધી, પરંતુ વર્ષ ૨૦૨૫માં રાજ્યમાં એવા ૧૦ નેતાઓ ચર્ચામાં રહ્યા જેમણે સૌનું ધ્યાન ખેંચ્યું.૧. હર્ષ સંઘવી (૪૦): વડાપ્રધાન મોદીના CM કાર્યકાળ પછી ૨૦૧૨માં મજૂરા બેઠક પરથી જીતેલા હર્ષ સંઘવીને ૨૦૨૧માં ‘નો રિપીટ’ થિયરી પછી ગૃહ રાજ્ય મંત્રી બનવાનો મોકો મળ્યો. ૨૦૨૫માં તેમને મોટું પ્રમોશન મળ્યું અને તેઓ રાજ્યના નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી CM) બન્યા. ગૃહ, પરિવહન અને પર્યટન જેવા મહત્ત્વપૂર્ણ વિભાગો…
