હિંમતનગર, ઉત્તર પ્રદેશના બારાબંકીના બે ઠગોએ બે મહિના અગાઉ ર૪ લોકોને અંદાજે રૂ. ૧૧.૭૧ લાખ કેટલાક સિનિયર સીટીઝનોને ખોટી લાલચ આપી બળજબરીથી તબક્કાવાર ગુનાઇત ધમકી આપી ભય ઉભો કરી ઓનલાઈન છેતરપિંડી આચરી હતી. જે અંગે સાબરકાંઠા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગયા મહિને ડિઝિટલ એરેસ્ટ કરી ઠગાઈ આચરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.જેને પગલે સાયબર ક્રાઈમની ટીમે બંનેને તાજેતરમાં કેટલાક મોબાઈલ અને સિમકાર્ડ સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ પકડાયેલા બંનેને ડિઝીટલ એરેસ્ટ કરવા બદલ હિંમતનગર લાવી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ અંગે સાયબર ક્રાઈમના પીઆઈ એ.જી.રાઠોડ તથા તેમના સ્ટાફના જણાવાયા મુજબ, ગત તા.૯ નવેમ્બરના રોજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા…
Author: gujarat
અમદાવાદ, વન્ય પ્રાણીઓના સંવર્ધન અને સંરક્ષણ માટે ગુજરાત હંમેશા સુરક્ષિત રાજ્ય રહ્યું છે. છેલ્લી વન્યજીવ વસ્તી અંદાજ- ગણતરી મુજબ વર્ષ ૨૦૨૩માં રાજ્યમાં સિંહ, મોર, નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા સહિત અંદાજે ૨૧ પ્રજાતિઓની અંદાજિત ૯.૫૩ લાખથી વધુ વસતિ નોંધાઈ છે, જે ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.રાજ્યમાં પ્રથમ કચ્છના બન્ની વિસ્તારમાં ‘ચિત્તા કન્ઝર્વેશન બ્રિડીંગ સેન્ટર’ તૈયાર કરાશે.દર વર્ષે ૦૪ ડિસેમ્બરે ગુજરાત અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ’ તરીકે ઉજવાય છે.આ દિવસે લુપ્ત થતા વન્યજીવો અને પક્ષીઓને બચાવવા નાગરિકો જાગૃત્ત થાય તે માટે દેશમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ‘એશિયાટિક સિંહ’ એ ગુજરાત અને ભારતની શાન છે.…
મોરબી, હળવદના રાણેક્પર રોડ ઉપરથી વેપારી યુવાન રોકડા ૭ લાખ રૂપિયા થેલામાં લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બે બૂકનીધારી શખ્સો દ્વારા તેને આંતરીને તેની આંખમાં મરચાની ભૂકી છાંટવામાં આવી હતી અને ત્યારબાદ તેની પાસેથી રોકડ રૂપિયા ભરેલ થેલો લૂંટી લૂંટારૂઓ ત્યાંથી નાસી ગયા હતા. પોલીસે લુટરૂને પકડવા માટે તાત્કાલિક નાકાબંધી કરાવી હતી અને હવે ભોગ બનેલા વેપારીની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.હળવદમાં આવેલા આનંદ બંગલો સોસાયટીમાં રહેતા અને હળવદ માર્કેટ યાર્ડમાં વેપાર કરતાં વેપારી યુવાન રજનીકાંતભાઈ દેથરીયા ગઈકાલે હળવદ માર્કેટયાર્ડ ખાતેથી પરત આવી રહ્યા હતા ત્યારે તેની પાસે થેલામાં રોકડા સાત લાખ રૂપિયા હતા તેઓ…
અમદાવાદી, જામીન માટે હાઇકોર્ટમાં ખોટા સર્ટિફિકેટ રજૂ કરનાર બે આરોપીને ગ્રામ્ય કોર્ટના જજ જે. એ. બક્ષીએ ૩-૩ વર્ષની કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો છે જે નિઃશંકપણે પુરવાર થાય છે, આરોપીઓએ ન્યાય માગવા માટે ખોટા પુરાવા રજૂ કર્યા છે, ગુનો હળવાશથી લઇ શકાય નહીં.નોંધનીય છે કે, આ કેસમાં આરોપી વિજયની પત્ની વીણા પણ સહઆરોપી છે, પરંતુ હજુ સુધી પોલીસ તેને પકડી શકી નથી. ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ મથકમાં ઠગાઈ સહિતની કલમ હેઠળ ગુનામાં આરોપી વિજય હરિભાઈ ટાંક ૨૦૨૨માં જેલમાં હતો ત્યારે તેના પત્ની વીણાબહેન ગુજરાત હાઇકોર્ટમાં વચગાળાની જામીન અરજી કરી હતી.જેમાં…
અમદાવાદ, ઇસ્કોન બ્રિજ પર ભારોભાર બેદરકારી દાખવી ગોઝારો અકસ્માત સર્જીને ૯ લોકોના ભોગ લેનારા તથ્ય પટેલને સાપરાધ મનુષ્ય વધની કલમમાંથી મુક્તિ આપવાનો હાઇકોર્ટે ઇનકાર કરતાં તેને મોટો ઝાટકો લાગ્યો છે.હાઇકોર્ટના જસ્ટિસ પી.એમ. રાવલે ચુકાદામાં એવું તારણ રજૂ કર્યું છે કે,‘આરોપી તથ્ય વિરુદ્ધ બેફામ અને બેદરકાર ડ્રાઇવિંગનો આ કોઇ સાદો કેસ નથી પરંતુ પ્રથમદર્શી એવો અત્યંત મજબૂત કેસ છે જેમાં સાપરાધ મનુષ્ય વધની કલમ ૩૦૪નો કેસ બને બને છે. તેથી એની ડિસ્ચાર્જ અરજી ગ્રાહ્ય રાખી શકાય નહીં.’ નોંધનીય છે કે આ કલમ હેઠળ ૧૦ વર્ષની સખત કેદની કાનૂની જોગવાઇ છે.તથ્ય પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આઈપીસીની કલમ ૩૦૪ અને ૩૦૮માંથી ડિસ્ચાર્જ કરવાની…
અમદાવાદ, નાર્કાેટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બાતમીના આધારે સરખેજ પાસેથી ૨૬૨.૧૫ કિલોગ્રામ (૧૧૯૧૬૦૦ ગોળી) અલ્પ્રાઝોલમ ડ્રગ્સ કેસમાં એકને ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજૂ કરતા ગ્રામ્ય કોર્ટે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે.નાર્કાેટિક્સ કંટ્રોલ બ્યૂરોના જણાવ્યા અનુસાર, આરોપીનું નેટવર્ક રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં ફેલાયેલું હોય સિન્ડિકેટના સભ્યોની તપાસ ચાલુ કરી છે. આ ઉપરાંત ડ્રગ્સના નેટવર્કમાં નાણાકીય સ્ત્રોત પણ બહાર આવ્યો છે.નાર્કાેટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓએ મકરબા પાસે રહેતા ઘાંચી ગુલામરસૂલ ગનીભાઈ અલ્લારખાને પ્રતિબંધિત અલ્પ્રાઝોલમ ડ્રગ્સ મામલે ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી.જેમાં નાર્કાેટિક્સ કંટ્રોલ બ્યૂરોના ખાસ એડવોકેટ મુકેશ કાપડિયાએ…
બોપલની ઓર્ચિડ ફીન્સબરી, શીલજની વર્ટીકલ વ્યુ, પરમનેટ, ધ સોવેરીયન, થલતેજની અમરાને દંડ ફટકારાયો(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરની 21 જેટલી ચાલુ બાંધકામ સાઈટોને હવા પ્રદુષિત કરવા બદલ દંડ કરાયો છે. સાઈટ પર લગાવેલા એર ક્વોલિટી સેન્સરની તપાસ દરમિયાન મહત્તમ લિમીટ કરતા વધુ એર ક્વોલિટી ઈન્ડેક્ષ હોવાનું જણાતા તેમને રૂ. 9.75 લાખનો દંડ કરવામાં આવ્યો છે.હાલમાં શહેરનો એર ક્વોલિટી ઈન્ડેક્ષ 200ને પાર રહેતું હોવાથી કોર્પોરેશન પર માછલા ધોવાયા હતા. જેના પગલે હવે કોર્પોરેશન દ્વારા એર ક્વોલિટી ઈન્ડેક્ષ ઘટાડવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે, જેમાં ચાલુ બાંધકામ સાઈટો પર તવાઈ બોલાવવામાં આવી છે.અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 200ને પાર રહેતું હોવાથી…
અમદાવાદમાં વરિષ્ઠ નાગરિકે ડિજિટલ અરેસ્ટમાં રૂ.૧૫.૨ લાખ ગુમાવ્યા(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ૬૭ વર્ષીય નિવૃત્ત નાગરિક ફરી એકવાર સુનિયોજિત સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ તરીકે ઓળખ આપીને ઠગબાજોએ તેમને ડિજિટલ એરેસ્ટને ધરપકડની ધમકી આપી હતી. આ લોકોએ તેમના પર આતંકવાદને ભંડોળ પૂરું પાડવાનો આરોપ લગાવ્યો હતો.બાદમાં તેમને ખોટા ‘વેરિફિકેશન’ માટે પૈસા ટ્રાન્સફર કરવા મજબૂર કર્યા હતા, જેમાં નિવૃત્ત નાગરિકે રૂ.૧૫.૨ લાખ ગુમાવ્યા છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, અમદાવાદમાં ન્યૂ ગુંજન વિસ્તારમાં પત્ની સાથે રહેતા નિવૃત્ત નરેશભાઈ શાહને ૨૮ નવેમ્બરથી ૨ ડિસેમ્બર દરમિયાન ફોન કોલ્સ, વોટ્સએપ વીડિયો કોલ્સ અને બનાવટી દસ્તાવેજો દ્વારા નિશાન…
મંદિરમાં થયેલ ચોરીની પોલીસને જાણ કરાતા પાલડી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે(એજન્સી) અમદાવાદ, શહેરના પાલડી વિસ્તારમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે ગંભીર પ્રકારનો બનાવોમાં વધારો થયો છે. તેમાંય દેરાસરમાં ચોરી થયાની ઉપરા છાપરી બીજી ઘટના બનતા પોલીસની કામગીરી સામે સવાલો ખડા થયા છે.તાજેતરમાં શાંતિવનમાં આવેલા શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘમાં દેરાસરના જ પૂજારીએ સફાઇ કર્મીની મદદગારીથી દેરાસરના પૂજારૂમમાંથી અને લોકરવાળા ભોંયરામાંથી ચાંદીના પુંઠીયા, ચાંદીના મુગુટ, કુંડળ અને આંગી મળીને કુલ ૧૧૭ કિલો ચાંદી સહિત ૧.૬૪ કરોડની મતા ચોરી થઇ હતી. ત્યાં ગણતરીના દિવસોમાં તસ્કરોએ વધુ એક જૈન દેરાસરને નિશાન બનાવ્યું છે.પાલડીના અશોકનગર બસ સ્ટેન્ડ સામે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ દિગંબર…
૩૦ લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે.રાજ્યની ૧૨ વિધાનસભા મતવિસ્તારોમાં ૧૦૦% ડિજીટાઈઝેશન સંપન્ન(પ્રતિનિધિ) અમદાવાદ, ૨૦૨૫ની મતદાર યાદીમાં નોંધાયેલા ૫ કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના ૩૩ જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં ૧૦૦% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં ૧૦૦% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે.આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે પૈકી કુલ ૧૨ વિધાનસભા મતવિસ્તારમાં ડિજીટાઈઝેશનની કામગીરી ૧૦૦ % પુરી થઈ ચુકી છે.જેમાં બનાસકાંઠા જિલ્લાની ધાનેરા અને થરાદ, દાહોદ જિલ્લાની લીમખેડા, દાહોદ (એસ.ટી), અરવલ્લી જિલ્લાની બાયડ, રાજકોટ જિલ્લાની ધોરાજી, જસદણ અને ગોંડલ, જૂનાગઢ…
