Author: gujarat

માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલનો વય નિવૃત્તિ કાર્યક્રમ યોજાયોસરકારની કામગીરી છેવાડાના માનવી સુધી પહોંચાડતું મહત્વનો વિભાગ – માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડેગાંધીનગર, માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે માહિતી કમિશનર શ્રી કે.એલ.બચાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.નિવૃત્ત થઈ રહેલા શ્રી અરવિંદ પટેલની સેવાઓને બિરદાવતા માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે,શ્રી અરવિંદ પટેલ અત્યંત કર્મઠ,બુદ્ધિશાળી અને ધૈર્યવાન વ્યક્તિત્વ છે. મીડિયા અને જનસંપર્ક જેવા પડકારજનક ક્ષેત્રમાં તેમણે અત્યંત સૂઝબૂઝથી કાર્ય…

Read More

સાણંદ, ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સાણંદમાં માઇક્રોન કંપનીના ₹22,000 કરોડના સેમિકન્ડક્ટર ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ હતું. ભારતની તકનીકી આત્મનિર્ભરતા તરફ આ એક મોટું પગલું માનવામાં આવે છે.Micron’s ATMP semiconductor plant has come up with an investment of ₹22,000 crores in Sanand, Gujarat.વડાપ્રધાન @narendramodi એ ગુજરાતના સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીની સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ (ATMP) સુવિધાની મુલાકાત લીધી હતી. તેમણે પ્લાન્ટના પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું અને “પાવરિંગ ધ ફ્યુચર” હેઠળ આ પ્લાન્ટ કેવી રીતે કાર્ય કરે છે તથા તેની ભાવિ વ્યૂહરચના શું છે તે વિશે જાણકારી મેળવી હતી. અધિકારીઓએ એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો…

Read More

સુરત પાસપોર્ટ ઓફિસને બોમ્બની ધમકી બાદ ગુજરાતના અનેક શહેરો હાઈ-એલર્ટ પર, નવસારી સહિતની પોસ્ટ ઓફિસોમાં સર્ચ ઓપરેશનનવસારી, ૨૮ ફેબ્રુઆરી: ગુજરાતમાં ફરી એકવાર અસામાજિક તત્વો દ્વારા ઈમેલ મારફતે બોમ્બની ધમકી આપીને ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તુરંત જ રાજ્યના અન્ય મહત્વના શહેરોની પોસ્ટ ઓફિસો અને સરકારી ઇમારતોને પણ નિશાન બનાવવામાં આવશે તેવા ઈમેલ મળતા સમગ્ર પોલીસ તંત્ર દોડતું થયું છે. નવસારી, ભાવનગર, જૂનાગઢ અને જામનગર સહિતના ૧૪થી વધુ શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.નવસારીની નાગ તલાવડી વિસ્તારમાં આવેલી હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ…

Read More

સુરત, રંગોના તહેવાર હોળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં વસતા ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના લાખો શ્રમિકોમાં વતન જવાની ભારે ઘેલછા જોવા મળી રહી છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર હાલ જાણે માનવ મહેરામણ ઊમટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.પરિવાર સાથે તહેવાર ઉજવવા માટે લાખો લોકો કોઈપણ ભોગે વતન પહોંચવા મથી રહ્યા છે. રેલવે સ્ટેશનની સ્થિતિ એટલી વિકટ છે કે જનરલ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી. દર વર્ષે હોળીના પર્વે લાખોની સંખ્યામાં શ્રમિકો પોતાના વતન પરત ફરતા હોય છે, પરંતુ આ વર્ષે ઉધના સ્ટેશન પર મુસાફરોનો ધસારો એટલો વધી ગયો છે કે ત્યાં ભારે અફરાતફરીનો માહોલ જોવા…

Read More

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ: ૨૮ ફેબ્રુઆરી ગુજરાતમાં બાયોટેકનોલોજી અને વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિનો નવો યુગ: “જ્ઞાન આધારિત અર્થતંત્ર” તરફ આગળ વધતું ગુજરાતજુલાઈ ૨૦૨૧થી અત્યાર સુધી ૫૧ લાખથી વધુ વિજ્ઞાન પ્રેમીઓએ સાયન્સ સિટીની લીધી મુલાકાતગુજરાત આજે માત્ર ઉદ્યોગોનું હબ નથી,પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ‘ વિકસિત ભારત@૨૦૪૭’ ના વિઝનને સાકાર કરવા વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે પણ અગ્રેસર બન્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત “જ્ઞાન આધારિત અર્થતંત્ર” તરફ આગળ વધી રહ્યું છે.સંશોધન,નવીનતા,સ્ટાર્ટઅપ્સ,શિક્ષણ અને વૈજ્ઞાનિક જાગૃતિ— ક્ષેત્રોમાં રાજ્યએ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. ગુજરાત આજે બાયોટેકનોલોજી અને વિજ્ઞાનના ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ ક્રાંતિનું સાક્ષી બની રહ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાના સબળ…

Read More

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દ્વારા ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત@૨૦૪૭‘ના વિઝનને વેગ મળશે: ઉદ્યોગ રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીતવિધાનસભા ખાતે ધારાસભ્ય શ્રી દિવ્યેશ અકબરી દ્વારા રજૂ કરવામાં આવેલો રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત બિનસરકારી સંકલ્પ સ્વીકારાયોવિધાનસભા ગૃહ ખાતે બિનસરકારી સંકલ્પના પ્રત્યુત્તરમાં ઉદ્યોગ રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીતે જણાવ્યું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં વાઈબ્રન્ટ ગુજરાતના જે બીજ રોપ્યા હતા,તેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના સક્ષમ નેતૃત્વ હેઠળ નવી ઊંચાઈ આપવામાં આવી રહી છે.ડૉ. ગામીતે કહ્યું કે,મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે વાઈબ્રન્ટ ગુજરાતની સફળતાને છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવા‘વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’ (VGRC)નું આયોજન કર્યું છે. જે ગુજરાતને ખરા અર્થમાં…

Read More

યુવાઓ મેન્યુફેક્ચરીગ, ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ, IT, બેંકિંગ અને વીમા જેવા ક્ષેત્રોમાં મેળવી રહ્યા છે રોજગારીગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં રોજગારી અંગે વિગતવાર માહિતી રજૂ કરતા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં રોજગાર કચેરીઓ ખાતે કુલ ૬,૯૨,૬૨૧ ઉમેદવારોની નોંધણી કરવામાં આવી છે. જેમાં ૬,૨૮,૭૨૯ શિક્ષિત અને ૬૩,૮૯૨ અર્ધશિક્ષિત યુવાનોનો સમાવેશ થાય છે. આ ઉમેદવારો પૈકી કુલ ૫,૮૩,૪૯૫ યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક રોજગારી પૂરી પાડવામાં આવી છે.મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે,રોજગાર વિનિમય કચેરીઓ માત્ર બેરોજગારો માટે જ નહીં,પરંતુ ઉચ્ચ અભ્યાસ અને સારી કારકિર્દીના માર્ગદર્શન માટે પણ યુવાનો માટે એક મહત્વનું કેન્દ્ર બની છે. જેના પરિણામે રાજ્યના યુવાનોને મુખ્યત્વે મેન્યુફેક્ચરીગ,ઓટોમોબાઈલ,ટેક્સટાઈલ, IT,બેંકિંગ અને…

Read More

સેમિકન્ડક્ટરની ચીપ બનાવવા માટે અત્યંત સ્વચ્છ રૂમ જરૂરીસાણંદ પ્લાન્ટના પ્રથમ ફેઝમાં નિર્મિત ક્લિનરૂમનો વિસ્તાર5લાખ ચોરસ ફૂટ,એફિલ ટાવરથી સાડાત્રણ ગણા સ્ટીલનો ઉપયોગ: સંજય મેહરોત્રા,પ્રમુખ અને સીઈઓ,માઇક્રોન ટેકનોલોજીઓપરેશન થિયેટરથી પણ સ્વચ્છ હોય છે ક્લિનરૂમ,એક નાનો કણ કે તાપમાનમાં1ડિગ્રીના ફેરફારથી પણ મશીનની કામગીરી ખોરવાઇ શકેસેમિકન્ડક્ટર ચીપની ઉત્પાદન પ્રક્રિયામાં ક્લિનરૂમ મહત્વપૂર્ણ હોય છે. ચીપના ઉત્પાદનમાં વાતાવરણ એકદમ સ્વચ્છ હોય એ જરૂરી છે કારણ કે હવામાં રહેલા સાવ નાના કણ પણ ચીપમાં ઘુસીને નુકસાન પહોંચાડી શકે છે. તબીબી ઉપકરણો,દવાઓ અને સેમિકન્ડક્ટરના ઉત્પાદનો માટે ક્લિનરૂમ બનાવવામાં આવે છે. સાણંદમાં માઇક્રોન કંપનીએ બનાવેલો ક્લિનરૂમ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સામેલ થઇ ગયો છે.માઇક્રોન ટેકનોલોજીના સીઇઓ અને પ્રમુખ…

Read More

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને બોટાદમાં દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો“દિવ્યાંગજનનું જીવન સરળ બને એ દિશામાં સરકાર સતત કામ કરી રહ્યી છે.” નિમુબેન બાંભણીયાગ્રાહક બાબતો,ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લાની પી.ટી.સી. કોલેજ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. જિલ્લામાં દિવ્યાંગજનોના સશક્તિકરણ અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પહેલરૂપે જિલ્લા વહીવટી તંત્ર,બોટાદ દ્વારા એલીમેમ્કો તથા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનાCSRફંડથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત રાજ્ય (IOCL GSO)ની સી.એસ.આર. યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક કૃત્રિમ અંગ તથા સહાયક ઉપકરણોના વિતરણ અંગેના આ કાર્યક્રમમાં ૪૧ મોટર ચાલિત ટ્રાઇસાઇકલ,૧૦૭…

Read More

NFSUના ચતુર્થ દીક્ષાંત સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ‘મુખ્ય અતિથિ’ તરીકે ઉપસ્થિત રહ્યાંશ્રી હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત હાઇકોર્ટના માનનીય મુખ્ય ન્યાયાધીશ ‘અતિથિ વિશેષ’ તરીકે ઉપસ્થિત રહ્યાપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શનમાં NFSU વૈશ્વિક સુરક્ષા અને વૈજ્ઞાનિક સત્ય આધારિત ન્યાયના પ્રવર્તન માટે સંકલ્પબદ્ધ: પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસગાંધીનગર, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)નો ચતુર્થ દીક્ષાંત સમારોહ તા.27 ફેબ્રુઆરી, 2026ના રોજ NFSU, ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે માનનીય ન્યાયમૂર્તિ શ્રી સૂર્યકાંત, ભારતના માનનીય મુખ્ય ન્યાયાધીશ ‘મુખ્ય અતિથિ’ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. માનનીય ન્યાયમૂર્તિ શ્રી અરવિંદ કુમાર, ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા; માનનીય ન્યાયમૂર્તિ શ્રી એન.વી. અંજારિયા, ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા;માનનીય ન્યાયમૂર્તિ…

Read More