સાંજે ૬.૩૦ કલાકે હોળી પ્રગટાવાશે -ત્રીજી માર્ચના રોજ દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયોપાલનપુર, અંબાજી ખાતે ચંદ્રગ્રહણ હોવાથી હોળી એક દીવસ પહેલા પ્રગટાવવામાં આવશે અને ચંદ્રગ્રહણને લઈ અંબાજી મંદીર બંધ રહેશે. શકિત પીઠ અંબાજી ખાતે આગામી હોળી અને ફાગણ પુનમના તહેવારોને લઈ દર્શન અને આરતી સમયમાં ફરેફાર કરવામાં આવ્યો છે.આગામી તા.ર-૩-ર૦ર૬ સોમવાર ફાગણ સુદ ૧૪ના રોજ હોળી પર્વ નીમીત્તે મંદીરમાં આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે સવારે ૭.૩૦ થી ૮.૦૦ કલાકે આરતી થશે અને ત્યારબાદ ૮.૦૦ થી ૧૧.૩૦ સુધી ભકતો દર્શન કરી શકશે. બપોરે ૧ર કલાકે રાજભોગ ધરાવવામાં આવશે જયારે સાંજે ૬.૩૦ કલાકે હોળી પ્રગટાવવામાં આવશે અને હોળી પ્રગટાવ્યા બાદ…
Author: gujarat
અંબાજી કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત થયો-ડિસ્ટ્રિક્ટ કોર્ટે જામીન અરજી ફગાવી: મંદિરના વહીવટદાર કૌશિક મોદી સાથે હાથાપાઈ કરી હતીપાલનપુર, યાત્રાધામ અંબાજી ખાતે ગત તા.૯ ફેબ્રુઆરીએ અંબાજી કોલેજના પૂર્વ પ્રિÂન્સપાલ મોદનાથ મિશ્રાએ અંબાજી મંદિર ટ્રસ્ટની અધિક કલેકટર અને વહીવટદારની કચેરીમાં ભારે ધાંધલ-ધમાલ કરી હતી,સાથે અધિક કલેકટરને મંદિરના વહિવટદાર કૌશિક મોદી સાથે હાથપાઈ કરી ગળું દબાવી જીવલેણ હુમલો થયાની ઘટના બની હતી. જેમાં અધિક કલેકટર કૌશિક મોદી ગંભીર રીતે ઘવાયા હતા. તે બાબતે અધિક કલેકટરે અંબાજી પોલીસ સ્ટેશનમાં જીવલેણ હુમલો થયા મામલે ફરિયાદ નોંધાવી હતી જેને લઈ પોલીસે પૂર્વ પ્રિન્સિપાલ મોદનાથ મિશ્રાની ધરપકડ કરી દાંતા કોર્ટમાં રજૂ કર્યા હતા.જ્યાં…
અડાલજ નજીક લકઝુરિયસ કારમાં આવેલી ગેંગ વાછરડાની ચોરી કરી ફરારગાંધીનગર, ગાંધીનગરમાં પશુચોર ટોળકી બેફામ બની લકઝુરિયસ કારમાં પશુઓની ચોરી કરતી હોવાના બનાવોથી જિલ્લાના પશુપાલકોને પોતાના દૂધાળા ઢોર ચોરાઈ જવાનો ભય સતાવી રહ્યો છે અને ગ્રામજનોમાં રોષ પ્રવર્તે છે.અડાલજ પાસેના શનિદેવ મંદિર સામે મધરાતે લકઝુરિયસ કારમાં પશુ ચોરી જતી ગેંગ આવી હતી અને વાછરડાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી તેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. અડાલજમાં મંદિરની સામે રાત્રે એક સફેદ કલરની લકઝુરિયસ કારમાં આવેલા તસ્કરોએ વારછાડાઓને ગાડીમાં ભરવાનું શરૂ કર્યું હતું જેના લીધે પશુઓ ભાંભરવા લાગ્યા હતા. પશુ ભાંભરતા હોવાનો અવાજ આવતા મંદિરના પૂજારી જાગી ગયા હતા.પશુને ઉઠાવી જવાતા…
નવો નિયમ વોટ્સએપ, ટેલીગ્રામ, સીગ્નલ મેસેજીગ એપ્સનો લાગુ પડે છે.સિમ કાર્ડ વિના વોટ્સએપ નહીં ચાલે(એજન્સી)નવીદિલ્હી, તમે વોટસએપ યુઝર હોય તે તમારા માટે આ કામની વસ્તુ છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે. કે સીમ-બાઈન્ડીગ નિયમમાં કોઈ છુટછાટ કે ઢીલ આપવામાં નહી આવે. તે નિયમ વોટ્સએપ, ટેલીગ્રામ, સીગ્નલ મેસેજીગ એપ્સનો લાગુ પડે છે. ડીજીટલ સુરક્ષાનો મજબુત કરવા આ નિયમ અમલી બની રહયો છે. કંપનીઓને ૧લી માર્ચથી અમલી થનારા આ નિયમોનું પાલન કરવું પડશે.સરકારનું કહેવું છેકે તે એપ્સને સક્રીય સીમકાર્ડ સાથે જોડાયેલા રહેવું પડશે. તેથી કરીને વોટસએપ માટે ઉપયોગમાં લેવાતો નંબર અસલી અને એકિટવ છે તે જાણી શકાશે. મોબાઈલમાંથી સીમ દુર કરવામાં…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને લૂંટફાટની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારો બાદ હવે તસ્કરોએ સરકારી મિલકતોને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.તાજેતરમાં બોપલ વિસ્તારમાં આવેલા લાલગેબી આશ્રમના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાંથી તસ્કરો નિર્ભય બનીને આશરે ૧૦૦ લિટર જેટલું ડીઝલ ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ ઘટનાની વિગત મુજબ, એસ.ટી. ડ્રાઈવર પરસોત્તમકુમાર બારીયાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત ૨૧ ફેબ્રુઆરીએ તેઓ સુરત-અમદાવાદ-બોપલ રૂટની બસ લઈને આવ્યા હતા.રાત્રિ રોકાણ માટે તેમણે લાલગેબી આશ્રમ પાસે બસ પાર્ક કરી હતી અને પોતે બસની બાજુમાં આવેલા ઓટલા પર સુઈ ગયા હતા. વહેલી…
(એજન્સી)અમદાવાદ, અનીલ સ્ટાર્ચ લીમીટેડ અને તેની પેટા કંપનીઓ દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાની બેંક ઠગાઈ અને હવાલા રેકેટ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેકટરોરીટ ઈડી એ આક્રમક વલણ અપનાવ્યું છે.ઈડીએ આ કૌભાંડમાં મેસર્સ અનીલ ન્યુટીએન્ટસ લી. મેસર્સ અનીલ લી.અને તેના મુખ્ય પ્રમોટર અમોલ શ્રીપાલ શેઠ સહીત કુલ ૮ પક્ષકારો સામે અમદાવાદના ગ્રામ્ય કોર્ટમાં સ્પેશીયલ ફરીયાદ દાખલ કરી છે. કોટે આ મામલે ગંભીર નોધ લઈ તમામ આરોપીઓને આગામી રપમી માર્ચે કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે.આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે, મેસર્સ અનીલ ન્યુટ્રીશસ્ટેન લીમીટેડ અને તેના સંચાલકોએ બેક ઓફ ઈન્ડીયા બીઓએ સાથે રૂ.૪૭.૮૮ કરોડની કથીત છેતરપીડી આચરી હોવાની ફરીયાદ સીબીઆઈની સ્પેશીયલ ક્રાઈમ…
જુદા જુદા ઝોનમાં રોડ ખુલ્લા કરવાની અને પ્લોટનો કબજો લેવાની એસ્ટેટ ખાતાની ઝુંબેશ(એજન્સી)અમદાવાદ, શહેરની અનેક ખાનગી સોસાયટીઓમાં પીજીનો વિવાદ શમતો નથી તેવી જ રીતે મ્યુનિ.ની આવાસ યોજનાઓમાં મકાન મળ્યા બાદ ભાડે આપીદેવાની ગેરરીતિ પણ બેરોકટોક આચરવામાં આવે છે.ઉત્તર પશ્ચિમ ઝોનમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા એલઆઈજી-૧પ શિવાલય હાઈટ્સમાં મકાનો ભાડે અપાતા હોવાની ફરિયાદોના આધારે મ્યુનિ. એસ્ટેટ ખાતાએ ચેકિંગ હાથ ધર્યું હતુંજેમાં ૪૦ મકાનોમાં ચેકિંગ દરમિયાન એક મકાન સીલ કરી દેવાયું હતું અને ૧૬ મકાન માલિકોને અંતિમ નોટિસ તથા એકને કારણ દર્શક નોટિસ પાઠવી હતી. ફકત ૧૧ આવાસમાં મૂળ લાભાર્થી રહેતા હોવાનું જણાયું હતું તેમજ રર આવાસને તાળા મારેલા જણાયા હતા.ઉત્તર…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આઈ ટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી કોન્ફરન્સમાં વિશેષ ઉપસ્થિતિ રહેશેમહાત્મા મંદિર ખાતે આગામી તા.૧ માર્ચે‘ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ- ૨૦૨૬‘યોજાશે -વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાGandhinagar, જ્યારે દુનિયાની સામે કોવિડ- ૧૯ ના પડકારો ઊભા થયા અને તેને કારણે અમુક જે અગત્યના પાર્ટસ હતા એની સપ્લાય ચેઈન ખોટવાઈ હતી એમાં મહત્વની સિસ્ટમ સેમીકન્ડક્ટર છે.સેમીકન્ડક્ટર ઉત્પાદન બંધ થવાથી દુનિયાના ઘણાં ઉદ્યોગો ને માઠી અસર થઈ હતી. આ એક મોટો પડકાર હતો,આ પડકારને એક અવસર ગણીને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દેશને સેમીકન્ડક્ટર હબ બનાવવાનું નક્કી કર્યું જેને પરિણામે આજે દેશ સેમીકન્ડક્ટર સહિતના ફિફ્થ જનરેશન સ્માર્ટ…
GLP-1 ઉપચાર માટે દર્દીઓની પહોંચને વિસ્તારે છેઝાયડસે પ્રીફિલ્ડ કાર્ટ્રિજમાં એક ઇનોવેટિવ સેમાગ્લુટાઇડ ઇન્જેક્શન (15 મિલિગ્રામ/3 મિલી) વિકસાવ્યું છે જેને પેશન્ટ-ફ્રેન્ડલી રિયુઝેબલ પેનનો ઉપયોગ કરીને આપવામાં આવે છે જેના માટે કંપની પાસે વિશિષ્ટ અધિકારો છેઅમદાવાદ, 26 ફેબ્રુઆરી, 2026 આંતરરાષ્ટ્રીય સ્તરે હાજરી ધરાવતી નવીનતા સંચાલિત લાઇફ સાયન્સિસ કંપની ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ (તેની પેટાકંપનીઓ/સહયોગી કંપનીઓ સહિત,જેને હવેથી“Zydus”તરીકે ઓળખવામાં આવશે) ભારતમાં સેમાગ્લુટાઇડ પેટન્ટ પૂરી થવા પર –SEMAGLYNTM, MASHEMATMઅનેALTERMETMબ્રાન્ડ નામો હેઠળ સેમાગ્લુટાઇડ ઇન્જેક્શન લોન્ચ કરવાની યોજના ધરાવે છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ અગાઉ ટાઇપ 2 ડાયાબિટીસ મેલીટસ અને સ્થૂળતાની સારવાર માટે સેમાગ્લુટાઇડ ઇન્જેક્શનના ઉત્પાદન અને માર્કેટિંગ માટે મંજૂરી આપી હતી.1Zydus plans to launch…
જે. જે. પટેલે ફોજદારી બારમાંથી વકીલોની સેવા કરી ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન પદ સુધી પહોંચ્યા પણ સમગ્ર વકીલ આલમની જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમ, રાજકારણ જોયા વગર ફકત સેવા કરી છે ! અને ભાડા-ભથ્થા ઘેર નથી લઈ ગયા એ મોટી વાત છે ?!!એવા વકીલ ઉમેદવારો ચૂંટો જે વ્યવસાયે વકીલ હોય કારણ કે આજકાલ કથિત ભૂતિયા વકીલ મતદારો પણ ઘણાં હોવાનું મનાય છે !અમેરિકન મહિલા ઉદ્યોગપતિ, સાહસિક અને કોસ્મેટીક ઈન્કના સ્થાપક મેરી કે. એશ કહે છે કે, “મોટા ભાગના લોકો ડ્રોઈંગ રૂમમાં પિયાનો સજાવીને પરલોક સિધાવી જાય છે, એમણે કયારેય એ વગાડવાની હિમ્મત નથી કરી હોતી”!! જયારે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં મતદાન…
