Author: gujarat

૧૫ વર્ષ બાદ પણ પુનર્વસન,પા‹કગ અને રિવરફ્રન્ટ સહિતની મૂળભૂત સુવિધાઓ અધુરી રહેતા મામલતદારને આવેદનપત્ર અપાયું(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લાના શામળાજી યાત્રાધામના અટકેલા વિકાસ, વિસ્થાપિતોના પુનર્વસન, તાલુકા કક્ષાની કચેરીઓ કાર્યરત કરવા તેમજ યાત્રાળુઓ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે આજે શામળાજી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારશ્રી, શામળાજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઇ પટેલે જણાવ્યું હતું કે શામળાજી ખાતે વિકાસ માટે ડિમોલેશન અને આયોજનની પ્રક્રિયા વર્ષ ૨૦૧૧માં કરવામાં આવી હતી. પરંતુ આજે ૧૫ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં વિકાસની કામગીરી ખૂબ મર્યાદિત રહી છે.માત્ર મંદિર પરિસરનો જ વિકાસ કરવામાં આવ્યો છે, જ્યારે વિકાસના નામે અંદાજે ૧૦૦થી વધુ…

Read More

સંકલ્પ હબથી સશક્તિકરણ..(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં રહેતી અમીબેન ભાવસાર એક સામાન્ય ગૃહિણિ હતી, પરંતુ તેમની અંદર છુપાયેલી અસાધારણ સર્જનાત્મકતા અને હિંમતે તેમને આજે આત્મનિર્ભર મહિલા ઉદ્યમી તરીકે ઓળખ અપાવી છે.છેલ્લા ૧૫-૧૬ વર્ષથી તેઓ ઘરેથી જ હસ્તકળા (હેન્ડીક્રાફ્‌ટ)નો બિઝનેસ કરી રહ્યા છે, જેમાં તેઓ આકર્ષક અને સુંદર વસ્તુઓ બનાવીને લગ્નપ્રસંગો, મામેરા તથા અન્ય ઉત્સવ-પ્રસંગો માટે વિશેષ સજાવટ કરી આપે છે.બાળપણથી જ હસ્તકળા પ્રત્યે ઊંડો રસ ધરાવતી અમીબેનના પારિવારિક સમર્થને કારણે અમીબેન પોતાની પ્રતિભાને વિસ્તાર આપી શક્યા.આ સફરમાં મહત્વની ભૂમિકા ભજવી છે સંકલ્પઃ ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન એ. જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીના તાબા હેઠળના આ હબ…

Read More

વડિયા, વડિયા કુંકાવાવ તાલુકાનું અંતરિયાળ ગામ દેવળકી આમ તો રાજકીય સીમાંકન પીડિત ગામ છે. તેના સંસદસભ્ય પોરબંદર, ધારાસભ્ય જેતપુર અને જિલ્લા તાલુકાના સદસ્ય અમરેલીમાં આવે છે તેથી આ ગામના લોકોના પ્રશ્રો અને મુંઝવણ દૂર કરવા સતત મથામણ કરતા જોવા મળે છે.આ ગામના લોકોને વ્યવસ્થિત કાયમી પીવાના પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વાસ્મો યોજનામાં લાખો રૂપિયાના ખર્ચે પીવાના પાણીની ઉંચી ટાંકી બનાવવામાં આવી હતી. આ ટાંકી બન્યાના બે વર્ષ થયા. પરંતુ આ ટાંકી બનતી હતી ત્યારથી નબળી ગુણવત્તાવાળા કામ બાબતે તેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા હતા.પરંતુ ગામમાં પાછળના ત્રણ વર્ષમાં વહીવટદાર શાસન હોવાથી જાણે કોઈ સાંભળનાર જ…

Read More

તા.ર૬.ર.ર૬ ના રોજ મુખ્યમંત્રી જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ પ્રશ્ર રજૂ દાખલ થતાં બંને કચેરીના અધિકારીઓની દોડધામ વધી છે. ગારિયાધાર, શહેરમાં પાલિતાણા રોડનો એસટી સ્ટેન્ડથી પંચમુખી હનુમાન મંદિર સુધીનો રસ્તો આઈકોનિક રોડ સરકાર દ્વારા જાહેર કરાયેલો છે. આ રોડમાં કોમર્શિયલ હેતુ માટે કરેલ દબાણ દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ અને નગરપાલિકા વચ્ચે હાથ તાળીના ખેલ શરૂ થયા છે.પાલિતાણા રોડ ઉપર આવેલા કોમર્શિયલ બાંધકામ માટે મનફાવે તેવા દબાણો ખડકી દેવામાં આવ્યા છે. જેને લઈને એક અરજદાર પ્રવીણભાઈ કંટારીયા દ્વારા તા.ર૭.ર.રપ ના રોજ નગરપાલિકા કચેરી ખાતે દબાણ દૂર કરવા માટેની અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને જે તે…

Read More

અમદાવાદ, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ),અમદાવાદ કાર્યાલય દ્વારા આજે ગુજરાતભરમાં કાર્યરત શહેરી સહકારી બેંકો (યુસીબી)ના મુખ્ય કાર્યકારી અધિકારીઓ,વરિષ્ઠ વ્યવસ્થાપન અને આઈટી આગેવાનો માટે સાયબર-સક્ષમ છેતરપિંડીથી લડવા પર વર્કશોપનું આયોજન કર્યું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન આરબીઆઈ અમદાવાદ કાર્યાલય ના ક્ષેત્રિય નિદેશક શ્રી અમરેશ રંજન દ્વારા કરવામાં આવ્યું. મુખ્ય વક્તાઓમાં ગાંધીનગર સાયબર સેન્ટર ફોર એક્સલન્સના પોલીસ અધિક્ષક શ્રી સંજય કુમાર કેશવાલા અને ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રીમતી તન્વી રાઘુવંશીનો સમાવેશ થાય છે. વર્કશોપમાં ગુજરાતના100થી વધુ યુસીબીના સીઈઓ અને અન્ય વરિષ્ઠ આગેવાનોએ હાજરી આપી.ક્ષેત્રિય નિદેશકે તેમના મુખ્ય પ્રવચનમાં સાયબર-સક્ષમ નાણાકીય છેતરપિંડીમાં,ખાસ કરીને “ડિજિટલ ધરપકડ” ના ભય પર તાજેતરના વધારા પર પ્રકાશ પાડ્યો. તેમણે…

Read More

શિક્ષણ મંત્રીએ બોર્ડની પરીક્ષાઓના વિદ્યાર્થીઓને કારકિર્દીમાં ઉચ્ચ શિખરો સર કરી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવીસમગ્ર રાજ્યમાં ૧૭૦૧ પરીક્ષા કેન્દ્રો પર આજથી અંદાજે ૧૫,૨૭,૭૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા‌નો‌ પ્રારંભગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો આજથી સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર પ્રારંભ થયો છે. ત્યારે શિક્ષણ મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજાએ આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.સ્વામિનારાયણ હાઈસ્કૂલ ખાતે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ મોઢું મીઠું કરાવી,ગુલાબનું ફૂલ આપી અને રાઇટીગ પેડ-પેન અર્પણ કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,વિદ્યાર્થીઓ કોઈપણ જાતના…

Read More

સાણંદમાં માઇક્રોનનો મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટAIટેક્નોલોજીના ભવિષ્યને સશક્ત બનાવશે2000 લોકોની ટીમ કાર્યરત,આગામી સમયમાં 5 હજાર લોકોને સીધી રોજગારી મળશે,દિવ્યાંગ નાગરિકો માટે પણ નોકરીની તકો ઉપલબ્ધઅમદાવાદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ભગીરથ પ્રયાસોથી ભારત હવે નેશનલ સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રમાં પણ ડંકો વગાડવા તૈયાર છે. આગામી 28 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતના સાણંદ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMP (એસેમ્બલી,ટેસ્ટિંગ,માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ₹22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં માઇક્રોનનીATMPસુવિધાના શરૂ થવાથી,ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિનો શુભારંભ થશે.માઇક્રોનના સાણંદ પ્લાન્ટમાં 2000 લોકોની ટીમ કાર્યરત,દિવ્યાંગ નાગરિકો માટે…

Read More

પાકમાં રોગ – જીવાતથી થતા નુકસાનને અટકાવવા રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઉભી રહી છે. જે અંતર્ગત ઉનાળુ બાજરીના પાકમાં સંકલિત રોગ-જીવાત નિયંત્રણ માટે લેવાના વિવિધ પગલાં વિશે ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.આ માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ ખેડૂતોએ બાજરીની વાવણી માટે તંદુરસ્ત અને રોગમુક્ત બિયારણની પસંદગી કરી રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવું જોઇએ. બાજરી સાથે મગનું ૨:૧ ના પ્રમાણમાં આંતરપાક લેવાથી સાંઠાની માખી અને ગાભમારાની ઇયળના ઉપદ્રવમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. બિયારણનો દર ૪ થી ૫ કિલોગ્રામ પ્રતિ હેક્ટર રાખવો જોઇએ અને પારવણી વખતે સાંઠાની માખી તથા ગાભમારાની ઈયળથી નુકસાન થયેલા છોડ દૂર કરવા જોઇએ. જે તે…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મૂલાકાતે લક્ઝમબર્ગના ગ્રાન્ડ ડચીના નાણાં મંત્રી શ્રી ગિલિસ રોથ અને ડેલિગેશનવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત પ્રુડન્ટ ફાયનાન્સિયલ મેનેજમેન્ટ ધરાવતું રાજ્ય ગ્રીન એનર્જી-ગ્રીન ફાયનાંન્સિગ-ગ્રીન ગ્રોથમાં અગ્રેસરતા માટે લક્ઝમબર્ગની તજજ્ઞતાનો લાભ માટે પરામર્શ કર્યાØલોંગટર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે પરસ્પર સહયોગ અંગેબેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવીમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મૂલાકાત લક્ઝમબર્ગના ગ્રાન્ડ ડચીના નાણાં મંત્રી શ્રી ગિલિસ રોથ અને ડેલિગેશને ગાંધીનગરમાં લીધી હતી.લક્ઝમબર્ગ 115 બેંક્સ સાથે 8 ટ્રીલિયન યુરોનું રોકાણ એસેટ મેનેજમેન્ટમાં અને 80 જેટલા દેશોમાં ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાંન્સિયલ સર્વિસસમાં પ્રેઝન્સ ધરાવે છે આ સંદર્ભમાં તેમણે ભારત-ગુજરાત સાથે નાણાંકિય સંબંધો વિસ્તારવા માટેની ઉત્સુકતા દર્શાવી હતી.મુખ્યમંત્રી…

Read More

ગુજરાતના શહેરીજનોને મનોરંજક પ્રવૃત્તિઓ માટે વાઇબ્રન્ટ કોમ્યુનિટી સ્પેસ પ્રદાન કરવા –ગુજરાત બજેટ2026-27માં નમો ગૌરવ પાર્ક માટે રાજ્ય સરકાર દ્વારા શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ હેઠળ₹20કરોડની રકમની ફાળવણી₹100 કરોડના કુલ પ્રસ્તાવિત ખર્ચે બાળકોથી લઇને વરિષ્ઠ નાગરિકોસુધી તમામ વયજૂથના લોકોને આધુનિક અને આકર્ષક મનોરંજન સુવિધાઓ પ્રદાન કરવામાં આવશેપાર્કમાં આયોજિત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,સામાજિક મેળાવડાઓ અને સંગઠિત કાર્યક્રમો થકી શહેરી સમુદાયો વચ્ચેનું જોડાણ મજબૂત થશેછોડવાં અને વૃક્ષોના વાવેતર,થીમેટિક ગ્રીન લેન્ડસ્કેપ્સ અને પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ થકી અર્બન ઇકોલોજીમાં વધારો થશેગુજરાતના શહેરી વિસ્તારોમાં વિવિધ વયજૂથના લોકો માટે ઉચ્ચ ગુણવત્તાવાળા મનોરંજન સ્થળોની માંગ હવે વધી રહી છે. એવા વાયબ્રન્ટ કોમ્યુનિટી સ્થળો જે મનોરંજનની સાથે સાથે સર્વાંગી સ્વાસ્થ્ય…

Read More